SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ વિવેકના પંથે. : ર૯૧ : પ્રભુના સંકેતને સાચી રીતે જાણી શકે, રહસ્ય સમજી શકે અને સમજાવી શકે; પણ આ તે બધા ઔદયિક ભાવવાળા રહ્યા એટલે જે વખતે જેવા ઉદયને આધીન હોય તે તરફ તાણી જાય અને ઉદયાધીન ટોળું તાણુતાણી કરી લડી મરે. સાચે બેધ અને સાચી સમજણ આપ્યા વગર આત્માને આનંદ અને શાંતિ મળવા કઠણ છે. આનંદ આદિ સાચી વસ્તુઓ આત્માના ધર્મ છે અને તે મુક્ત થવાથી જ પ્રગટે છે, માટે મુક્તદશાનું સાચું જ્ઞાન શ્રી મહાવીરની સાચી જીવનચર્યામાંથી મળી શકે છે. સંસારના સમગ્ર દુખેથી છૂટી જવાય તે જ મુક્તદશા મળે. મુક્તિ નામ જ છૂટી જવાનું છે. મને વૃત્તિમાંથી જડધર્મની અભિલાષા નીકળી જાય તે મુક્તિ પાસે જ છે. ઔદયિક ભાવને જીવ જડને સંગ કરી સુખ માને છે, પણું ઔપથમિક, ક્ષાપશમિક, ક્ષાયિક ભાવે તે સુખને પિતાનામાં જ રહેલું જુએ છે. હવે કરવાનું છે એટલું જ છે કે ક્ષાપશમિક ભાવ જે સન્માગ કહેવાય છે તેને છોડી ઔદયિક ભાવરૂપ ઉન્માગમાં ન જવાય તે જ આપણે આપણું કાંઈક શ્રેય સાધી શકીશું. ક્ષાપશમિક ભાવ ધમ અને ઔદયિક ભાવ અધમ છે, માટે ધર્મસાધન કરવું. ‘ છે
SR No.023513
Book TitleGyanpradip
Original Sutra AuthorN/A
AuthorVijaykastursuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1943
Total Pages446
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy