SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ : ૨૦ : જ્ઞાન પ્રદીપ. ~~~~ ~ ~ ~~ પછીનું કામ કરનારે જાણે છે કે હું સારું કમાયો છું અને તે સાથે લઈને જાઉં છું; કારણ કે હું જે કાંઈ કમાયે છું તે મારી પાસે જ છે. માનવદેહમાં રહીને અબૂઝ રહ્યા તે પછી ક્યાં બૂઝીશું? બધા ય દેહમાં જીવવા કરતાં માનવજીવન ઉત્તમ છે પણ તે જાણીબૂઝી છૂટી જવાય તે જ. બાધ વગરનું માનવજીવન, કનિષ્ટમાં કનિષ્ટ–વધારેમાં વધારે અપરાધી ! માનવદેહમાં જીવી બુઝાવવા કેણ શ્રમ કરે? બધા ય તૈયાર વસ્તુના ગ્રાહક. એક આંધળે બીજા આંધળાને પૂછે છે “ભાઈ ! રત્નપુરને માગ કર્યો?” બીજા આંધળાએ ઉત્તર આપ્યો જમણે હાથે ચાલ્યા જાઓ. પહેલાં વીરપુર આવશે અને પછી રત્નપુર આવશે.” પેલો પૂછનાર ફરીથી પૂછે છે કેઃ “તે રત્નપુર જોયું છે કે? રત્નપુરને માગ જે છે? ” બીજો કહે છે મેં ગામે નથી જોયું અને માર્ગ પણ નથી જે. હું તે સાંભળેલું કહું છું.” ત્યારે પૂછનાર બોલ્યાઃ “મને એક જણે ડાબે હાથે રત્નપુર બતાવ્યું, બીજાએ પાછળ બતાવ્યું, ત્રીજાએ સન્મુખ બતાવ્યું અને તું જમણે હાથે બતાવે છે.” બધા ય આંધળા અને બધા ય અણજાણ. કેઈપણ અનુભવજન્ય સત્ય નથી બતાવતું. એક કહે છે આગમમાં આમ લખ્યું છે, બીજે કહે વેદમાં આમ છે, ત્રીજે ગીતાનું પ્રમાણ આપે છે, ચેાથે કુરાન બતાવે છે ત્યારે પાંચમે બાઈબલને આગળ મૂકે છે. આ પ્રમાણે અનુભવજ્ઞાનશૂન્ય અત્યારની જનતામાં મતભેદ પડી ગયા છે. એક ત્યાગથી કાર્યસિદ્ધિ-મુક્તિ બતાવે છે ત્યારે બીજે ભેગથી બતાવે છે. અનુભવજ્ઞાન વગર આંધળાની જેમ ફાંફાં મારવાનાં. સૌ કે લખેલું વાંચી જાણે પણ સમજેસમજાવે કેણ? ઉપશમભાવી આત્મા હોય તે તે લખેલા
SR No.023513
Book TitleGyanpradip
Original Sutra AuthorN/A
AuthorVijaykastursuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1943
Total Pages446
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy