SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ - સાવધાન સદા સુખી. : ૨૫૧ ઃ પ્રમત્તદશા તે વિકૃત વિભાવદશા છે અને તે વિકૃત જગતમાં વિચરવાથી ઉત્પન્ન થાય છે. ભૌતિક વિકારેથી-વિકૃતિથી ચેતનમાં વિકૃતદશા જન્મે છે, પરંતુ ભૌતિક પ્રવૃતિ ચેતનમાં વિકૃતિ કરી શક્તી નથી. વસ્તુમાત્રની પ્રકૃતિ ચેતનમાં થયેલી વિકૃતિની વિનાશ કરવાવાળી છે. આ વાત નીચે લખેલા એક જ ઉદાહરણ થી સ્પષ્ટ સમજી શકાય છે. આપણે પેરીસ જેવા શહેરમાં ફરવા નીકળીએ એટલે આપણી દષ્ટિમાં દરેક દશ્ય આવે જ છે. આપણું દષ્ટિમાં એક મોટું મકાન આવ્યું એટલે આપણે તે જ સ્થળે થંભી ગયા અને આભા બની અસાવધાનતાથી તે મકાનના વખાણ કરવા લાગ્યા. અહા ! કેવું સુંદર મકાન છે? એની બાંધણું કેવી છે? એમાં ચિત્રવિચિત્ર કેવું કામ બન્યું છે? આ પ્રમાણે પાર્થિવ વિકૃતિ આપણી પ્રકૃતિમાં વિકૃતિદશા ઉત્પન્ન કરવા સમર્થ બની શકી, પણ આપણે વિકૃતિ તરફ દષ્ટિ ન આપતાં તેની પ્રકૃતિ તરફ દષ્ટિ આપીશું તે તે પ્રકૃતિ એટલે આ મકાનમાં ઇંટ, ચૂનો, માટી, લાકડાં અને લોઢા સિવાય બીજી એવી કઈ વસ્તુ છે કે જેને હું સુંદર માની રહ્યો છું ? આ વિચાર આવતાં જ ચેતનમાં ઉત્પન્ન થયેલી વિકૃતિને વિનાશ થશે જ. પ્રકૃતિમાં રહેલા પદાર્થો વિકૃતભાવ પેદા કરી શકતા નથી પણ વિકૃત જ વિકૃતિ કરે છે. પ્રકૃતિ વિકૃતિનું નિમિત્ત-કારણ બની શકતી નથી. અસાવધાનતા વિકૃતિને ઉત્પન્ન કરે છે અને સાવધાનતા વિકૃતિને વિનાશ કરી પ્રકૃતિને પ્રગટાવે છે, માટે જ અસાવધાન
SR No.023513
Book TitleGyanpradip
Original Sutra AuthorN/A
AuthorVijaykastursuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1943
Total Pages446
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy