SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રમાર્જન કરે છે. જગ્યાને સાફસુફ કરે છે. મેઘકુમાર દે સુગંધિ જલથી સિંચન કરે છે. ઋતુકુમાર દેવે સુગંધયુક્ત પાંચ વર્ણવાળાં પુપોની વૃષ્ટિ કરે છે, વ્યંતર દેવતાઓ મણિઓ, રત્ન અને સુવર્ણથી જડિત એક એજન પ્રમાણ પીઠબંધ કરે છે. તે પીઠબંધ ઉપર વૈમાનિક દેવતાઓ મણિમય કાંગારાએથી યુક્ત રત્નમય ચાર દ્વારદરવાજા યુક્ત પ્રથમ ગઢ બનાવે છે. તે ચાર દરવાજા પતાકાઓ, તેરણ ધજાઓ અને પુતળીઓથી સુશોભિત હોય છે. તે પહેલા ગઢને ફરતે રત્નમય કાંગરાવાળ, ચાર દરવાજાથી યુક્ત સોનાનો બીજો ગઢ તિષી દેવતાઓ બનાવે છે. તે બીજા ગઢને ફરતે સેનાના કાંગરાથી સુશોભિત, ચાર દરવાજા યુક્ત ભવનપતિ દેવતાઓ ત્રીજે રૂપાનો (સૌથી બહારને) ગઢ બનાવે છે. શ્રી તીર્થકરોના પવિત્ર પુણ્યપ્રભાવથી ચૈત્યવૃક્ષ, રત્નમયપીઠ, દેવછંદ, સિંહાસન વગેરે બીજી રચનાઓ પણ કલ્યાણ ભક્તિને ધારણ કરનાર દેવતાઓ કરે છે. ત્યારપછી તીર્થકર ભગવતે જ્યારે ચાલવાના હોય છે, ત્યારે દેવોએ પ્રભુના પગ નીચે અનુક્રમે મૂકેલા નવ સેનાનાં કમલે ઉપર પગ મૂકતા મૂકતા પ્રભુ ચાલે છે અને તેઓ ભવનપતિ, વ્યંતર, તિષી અને વૈમાનિક એમ ચારે નિકાયના દેવેન્દ્રોથી પરિવરેલા સમવસરણમાં પધારે છે.
SR No.023499
Book TitleArihant Bhakti
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherNamaskar Mahamantra Aradhak Mandal
Publication Year1974
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy