SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩ર છે અને સાધનાકાળમાં તેમને જે કોઈ પરિષહ અને ઉપસર્ગો ઉત્પન્ન થાય છે, તેને સમ્યફ પ્રકારે સહન કરે છે. કહ્યું છે કે रागहोंसकसाए, इंदियाणि य पंचवि ।। परिसहे उवसग्गे नामयंता नमोऽरिहा ॥ १ ॥ અર્થ-રાગ, દ્વેષ, કષાય, પાંચ ઈન્દ્રિ, પરિષહા અને ઉપસર્ગોને નમાવનારા એવા અરિહંતને નમશકાર થાઓ ! આ રીતે તેઓ સમસ્ત બાહ્યા અને અત્યંતર પરિ ગ્રહનો ત્યાગ કરે છે અને તેથી તેઓ નિગ્રંથ કહેવાય છે. તેઓ સર્વ જી પ્રત્યે અહિંસાદિ ધર્મનું આચરણ કરે છે અને મૈત્રી, પ્રમોદ કરૂણા અને મધ્યસ્થ ભાવનાઓથી તેઓ ધર્મધ્યાનને સ્થિર કરે છે અને ત્યારપછી ક્ષમા, નમ્રતા, સરલતા અને સંતોષ આદિના આલંબનેથી શુકલધ્યાન ઉપર આરૂઢ થાય છે, ત્યારપછી ક્ષપકશ્રેણિ ઉપર આરૂઢ થઈ ચાર ઘાતિકર્મોને ક્ષય કરે છે અને તેથી સર્વદ્રા અને તેઓના સર્વ પદ્યાને સાક્ષાત્કાર કરતું કેવળજ્ઞાન અને કેવળદર્શન તેમને ઉત્પન્ન થાય છે. કેવળજ્ઞાન ઉત્પન્ન થતાં જ તે ભગવંતેને તીર્થકર નામ કર્મની પ્રકૃતિનો ઉદય થાય છે. અહીં ગ્રંથકર્તા વિવેકી શ્રોતાજનેને કહે છે કે-હે ભાગ્યશાળીઓ ! શ્રી તીર્થકરોની તીર્થકર નામ પ્રકૃતિને મહિમા સાવધાન થઈને સાંભળો તેને એવો મહિમા છે કે જ્યાં જ્યાં તે ભગવંતે ધર્મદેશના આપે છે. ત્યાંની જનપ્રમાણ ભૂમિનું વાયુકુમાર દેવે
SR No.023499
Book TitleArihant Bhakti
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherNamaskar Mahamantra Aradhak Mandal
Publication Year1974
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy