SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી કલ્પસૂત્રહવે જે પિતા અને પુત્ર, માતા અને દીકરી, રાજા અને પ્રધાન તથા શેઠ અને નેકર સાથે જ દીક્ષા લે, સાથેજ વેગ વહે અને સાથે જ વડીદીક્ષા લે તે તેમને લધુ વૃદ્ધ શી રીતે સ્થાપવા ? તેના જવાબમાં કહેવાનું કે, જે પિતા વિગેરે વૃદ્ધ પુરૂષ અને પુત્ર વિગેરે ન્હાનાએ વજીવનિકાય, અધ્યયન અને ગેવાનવહેવા વિગેરેની ક્રિયા કરીને એકી સાથે ચગ્યતાને પ્રાપ્ત થયા હોય તે તેઓને અનુક્રમે સ્થાપિત કરવા. અને ધારો કે તેમાં થોડું અંતર રહી જતું હોય તે જરા વિલંબ કરે અને બનતાં સુધી પિતા વિગેરે વૃદ્ધ પુરૂષને અગ્રપદે સ્થાપિત કરવા. કારણ કે એટલી છૂટછાટ મૂકવામાં ન આવે તે પિતા વિગેરે વૃદ્ધને પુત્રાદિક ઉપર કદાચિત અપ્રીતિ થાય. પુત્ર વિગેરે જે બહુ કુશાગ્રબુદ્ધિવાળા હોય અને પિતા વિગેરે બુદ્ધિમાં પછાત હોય તે સ્વાભાવિક રીતે જ તેમની વચ્ચે હેટું અંતર પડી જાય. એવે પ્રસંગે વૃદ્ધ પિતાદિકને આ પ્રમાણે શાંતિથી સંબેધવા:–“હે મહાભાગ ! તમારે પુત્ર બુદ્ધિમાન છે પણ તમારી ખાતર બીજા ઘણા સાધુઓથી પાછળ પડી જશે, અને બીજા સાધુઓથી ન્હાને ગણાશે. હવે જો તમે અનુજ્ઞા આપતા હે તે તેને છ તરીકે સ્થાપીએ. તમારે પુત્ર જ્યેષ્ઠ ગણાય તેમાં એકલા તમારા પુત્રનું જ નહીં પણ તમારૂ ગૈારવ છે.” એ રીતે સમજાવવાથી જે વડીલ પુરૂ રજા આપે તે પુત્ર, પુત્રી, નેકર વિગેરેને પ્રથમ સ્થાપવા અને રજા ન આપે તે ન સ્થાપવા. પ્રતિક્રમણ કલ્પ. બાવીસ તીર્થકરના સાધુએ તે પોતાને અતિચાર લાગે ત્યારે જ પ્રતિક્રમણ કરે, પણ પહેલા અને છેલ્લા તીર્થકરના
SR No.023492
Book TitleKalpsutra Sukhbodhika Sachitra
Original Sutra AuthorN/A
AuthorSushil
PublisherMeghji Hirji Jain Bookseller
Publication Year
Total Pages578
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy