SearchBrowseAboutContactDonate
Page Preview
Page 439
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૩૪ શ્રી કલ્પસૂત્રસખીઓનું આશ્વાસન રાજીમતીનું હદયદક રૂદન સાંભળી, આસપાસ ઉભેલી - સખીઓની આખમાં પણ ક્રોધની શક્તિમાં પ્રકટ થઈ. એક સખી બોલી ઉઠી:–“દુનિયામાં કહેવત છે કે કાળા નર ભાગ્યે જ સ. રળ હોય છે! કદાચિત કાળાશ ને સરળતા અને સાથે દેખાય તે સમજવું કે જરૂર વિધાતાએ ભૂલ કરી હશે. શ્યામ મનુષ્ય માટે ભાગે વક્રજ હેાય છે! હે પ્રિય સખિ? આવા નગુણા અને પ્રીતિરહિત પુરૂષ વિષેને તમારે પ્રેમભાવ ત્યજી છે. તમારે તેની સાથે કંઇજ સંબંધનથી એમ માને. એવા સ્નેહ વગરના, વ્યવહારવિ મુખ, ઘરમાં રહેવા છતાં જંગલી પ્રાણની જેમ ઘર માંડવામાં કાચર, દાક્ષિય વગરના અને સ્વેચ્છાચારી નેમિકુમાર કદિ અહિંથી ચાલ્યા જાય તે પણ શું થઈ ગયું? એક રીતે તે એ ઠીકજ થયું કે આપણને તેના આવા સ્વભાવની પ્રથમથી જ ખબર પડી, નહિંતર પરણ્યા પછી મમતારહિત થયા હતા તે શું કરત? ઉંડા કૂવામાં ઉતાર્યા પછી દેરડું કાપી નાખત તે તારી શી દશા થાત? હે હેન! જે થયું તે સારું જ થયું.તમેતે નેમિકુમારને માત્ર સંકલ્પ વડેજ અર્જાયા હતાં, એટલે જ્યાં સુધી તમારું પાણીગ્રહણ નથી કર્યું ત્યાં સુધી તે તમે કુંવારિકા કન્યા સમાન ગસુઓ, અને કન્યાને વળી આટલે બધે વલોપાત શા સારૂ હોવો જોઈએ? પ્રીતિને વિષે તત્પર એ બીજે કઈ ભર્તાર તમારે માટે અમે ખુશીથી શેધી કાઢશું. માટે નિશ્ચિત થાઓ, ગઈ ગુજરી ભૂલી જાઓ.” રામતીને નિશ્ચય સખીઓનાં વચન સાંભળી રામતીએ લજજાથી માથું નીચું નમાવ્યું, કાન આડા હાથ ધર્યા અને કહ્યું – “તમે મને
SR No.023492
Book TitleKalpsutra Sukhbodhika Sachitra
Original Sutra AuthorN/A
AuthorSushil
PublisherMeghji Hirji Jain Bookseller
Publication Year
Total Pages578
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy