SearchBrowseAboutContactDonate
Page Preview
Page 431
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ર૬ શ્રી ક૯પ સત્રઆ જગતમાં કયાંઈ સ્થાન નથી. એકલે પુરૂષ કશી બીસાતમાં ગણાતો નથી. માટે દિયરજી, સમજો, સમજે અને પરણીને ગૃહસ્થાવાસને શેલાવો.” એ પ્રમાણે બીજી પણ અનેક પીઓએ યુક્તિ-પ્રયુકિતવ નેમિકુમારના ચિત્તને ભીંજવવા પ્રયત્ન કર્યો. ગેપીએ અને ય ના આગ્રહથી, મિાન બેઠેલા પ્રભુ જરા હસી પડયા. તેમને હસતા જઈ “ નિરિત અનુભવ” અર્થાત દેખી ના ન પાડી તેથી તેમને કબુલ છે એ અર્થ કરી ગેપીએ આનંદમય સ્વરમાં એકદમ બેલી ઉઠી કે –“નેમિકુમાર લગ્ન કરવા તેયાર છે.” આ વાત જોતજોતામાં દ્વારકાનગરીમાં ઘેર ઘેર ફેલાઈ ગઈ. લગ્નની તૈયારી કૃષ્ણ વાસુદેવ ઉગ્રસેન રાજા પાસે જઈ તેની પુત્રી રાજીમતીનું માથું કરી આવ્યા અને ઉગ્રસેને પણ તે ઘણી જ ખુશીથી સ્વીકાર્યું. કુણે સમુદ્રવિજયને તે સમાચાર આપ્યા. મહારાજા સમુદ્રવિજયના હર્ષનું તે પૂછવું જ શું? તેમણે કહ્યું–“હે વત્સ! તમારી પિતૃભક્તિ અને ભ્રાતૃવાત્સલ્ય જોઈ મને પરમ આનંદ થાય છે. તમે નેમિકુમારને વિવાહ કરવાનું કબૂલાવી અમારી ચિંતા હંમેશને માટે દૂર કરી છે.” મહારાજા સમુદ્રવિજયે તત્કાલ કોષ્ટકી નામના જોષીને બેલાવી લગ્નને શુભ દિવસ પૂછ. જોષીએ જવાબ આપે કે-“વર્ષાકાળમાં શુભ કાર્યો થઈ શકતાં નથી, તે પછી ગૃહસ્થીઓનું મુખ્ય અને મહત્વનું કાર્યવિવાહ તે થઈ જ કેમ શકે?” સમુદ્રવિજયે પોતાની સ્થિતિ સ્પષ્ટ કરતાં કહ્યું કે;–“અમે માંડમાંડ નેમિકુમારને વિવાહ માટે મનાવ્યા છે. હવે જે વિવાહ લંબાય તે મોટું વિદન આવી પડવાને દરેક સંભવ છે. માટે ગમે તેમ કરી
SR No.023492
Book TitleKalpsutra Sukhbodhika Sachitra
Original Sutra AuthorN/A
AuthorSushil
PublisherMeghji Hirji Jain Bookseller
Publication Year
Total Pages578
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy