SearchBrowseAboutContactDonate
Page Preview
Page 387
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૦ શ્રી કલ્પસરતેઓના ઉપગરૂપે વિનાશ પામે છે. અને બીજા પદાર્થના ઉપગ રૂપે ઉત્પન્ન થાય છે–પણ જ્ઞાન સામાન્ય સ્વરૂપે તો રહે છે જ. આવી રીતે પૂર્વના ઉપયોગ રૂપે આત્મા ન રહે હોવાથી તેને પૂર્વના ઉપગ રૂપ સંજ્ઞા રહેતી નથી. આ વેદપદથી ઘટપટાદિ ભૂતની અપેક્ષાએ આત્માના ઉપયોગની ઉત્પત્તિ અને વિનાશ સૂચવેલ છે, પણ તેથી ભૂતેમાંથી ચૈતન્ય ઉપજે છે એમ માનવાને જરાયે કારણ નથી. ચૈતન્ય એ ભૂતને ધર્મ જ નથી. તે તે આત્માને જ ધર્મ છે. આત્મા દ્રવ્ય રૂપે નિત્ય છે તેથી તે પરલોકમાં જાય-આવે એ તદન સંભવિત અને ગ્ય છે. આત્મા અનંતા છે. જે આત્મા જેવાં કર્મ કરે તેવી તેને ગતિ મળે. ( આ વિષય વધારે સ્પષ્ટપણે ઇન્દ્રભૂતિ તથા વાયુભૂતિ સાથેની ચર્ચામાં ચર્ચાય છે.) મેતાર્ય પંડિતના મનની ઘણીખરી શંકાએ શમી ગઈ. તેની પરલોકને વિષે પુરેપુરી શ્રદ્ધા બેઠી. આખરે તેમણે પણ પિતાના ત્રણ શિષ્યો સાથે તેજ વખતે પ્રભુ પાસે દીક્ષા લીધી અગીયારમાં પ્રભાસ પંડિતઃ મુક્તિ વિષે ઇન્દ્રભૂતિ વિગેરે દસે જણને દીક્ષિત થયેલા સાંભળી, અગીયારમા પ્રભાસ નામના પંડિતે વિચાર્યું કે જેના ઇન્દ્રભૂતિ જેવા દસે જણ શિષ્ય થયા તે મારે પણ પૂજ્ય છે. માટે હું પણ તેમની પાસે જઈ મારા સંશય દૂર કરી લઉં. એટલે તે પણ પિતાના ત્રણ શિષ્ય સાથે પ્રભુ પાસે આવ્યું. પ્રભુએ તેને કહ્યું કે હે પ્રભાસ ! તને મેક્ષ વિષે અશ્રદ્ધા છે ને? તને આ સંશય પરસ્પર વિરૂદ્ધ ભાસતા વેદપદેથી જ થયે છે. તું જાણે છે કે રામર્થ વા થગ્નિહોત્ર-યાવજ જીવન અગ્નિહોત્ર હેમ ક૨. અર્થાત્ જીંદગીની છેલ્લી ઘડી સુધી અનિડેત્રની ક્રિયા કર્યા
SR No.023492
Book TitleKalpsutra Sukhbodhika Sachitra
Original Sutra AuthorN/A
AuthorSushil
PublisherMeghji Hirji Jain Bookseller
Publication Year
Total Pages578
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy