SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી કલ્પસૂત્ર નરલ હોવાથી સારવારથી કર્મરૂપી શત્રુઓને હણવાને હાથીના જેવા શૂરવીર; સ્વીકારેલા મહા વ્રતના ભારને વહન કરવામાં સમર્થ હોવાથી વૃષભના જેવા પરાક્રમવાળા; પરિષહાદિ રૂપ પશુઓ વડે પરાજય ન પામતા હાવાથી સિંહની જેમ દુધર્ષ સ્વીકારેલા તપ-સંયમમાં દઢ રહેવાથી અને ઉપસર્ગો રૂપી વાયરા વડે ચલાયમાન નહીં થતા હોવાથી મેરૂ પર્વતની જેમ નિશ્ચલ; હર્ષ અને વિષાદનાં કારણે પ્રાપ્ત થવા છતાં વિકાર રહિત સ્વભાવવાળા હોવાથી સાગરની પેઠે ગંભીર; પરને શાંતિ પમાડવાના મનના પરિણામવાળા હેવાથી ચન્દ્રમાં પેઠે સમ્ય લેશ્યાવાળા દ્રવ્યથી શરીરની કાંતિ વડે અને ભાવથી જ્ઞાન વડે ઝળહળતા તેજવાળા હોવાથી સૂર્યની પેઠે દેદીપ્યમાન તેજવાળા; સુવર્ણ નિર્મળ થયે જેવું તેજસ્વી દેખાય, તેવા જ પ્રભુ પણ કમેલ દૂર થવાને લીધે અતિ તેજસ્વી; શીત, ઉષ્ણ વિગેરે અનુકૂળ અને પ્રતિકૂળ સર્વ સ્પર્શને સહન કરનારા હોવાથી, પૃથ્વીની પેઠે સહનશીલ; ઘી વિગેરેથી અત્યંત દીપ્ત થયેલા અગ્નિની પેઠે, જ્ઞાનરૂપ તેમજ તપરૂપ તેજ વડે દેદીપ્યમાન; એ પ્રકારે ઉપમાઓના આધારે પ્રભુના નિરૂપલેષપણાનાં વિશેષણે અવધારવાં. પ્રતિબંધનું સ્વરૂપ-મહાવીર પ્રભુની અપ્રતિબંધતા ભગવંતને કોઈ પણ પદાર્થમાં પ્રતિબંધ નથી. પ્રતિબંધન ચાર પ્રકારના છે:– ૧ ) દ્રવ્ય (૨) ક્ષેત્ર (૩) કાળ અને (૪) ભાવ. (૧) દ્રવ્યથી આશ્રીને સ્ત્રી વિગેરે સચિત્ત અને આભૂષણ વિગેરે અચિત્ત. આભૂષણ પહેરેલ સ્ત્રી વિગેરે મિશ્ર. આ પ્રમાણે સચિત્ત, અચિત્ત અને મિશ્ર દ્રામાં, પ્રભુને “આ દ્રવ્ય મારાં છે” ઈત્યાદિ રૂપે સંસારને બંધકરનાર આશારૂપ પ્રતિબંધનથી. (૨) ક્ષેત્રને આશ્રીને ગામમાં, નગરમાં, અરયમાં, ખેતરમાં,
SR No.023492
Book TitleKalpsutra Sukhbodhika Sachitra
Original Sutra AuthorN/A
AuthorSushil
PublisherMeghji Hirji Jain Bookseller
Publication Year
Total Pages578
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy