SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ સક્ષમ વ્યાખ્યાન. ૪૧ કોશાંખીથી વિહાર કરી, પ્રભુ સુમંગળ નામના ગામે ૫ધાર્યા. ત્યાં સનત્કુમાર ઇન્દ્રે આવી પ્રભુને વંદન કર્યું. ત્યાંથી વિહાર કરતાં, અનુક્રમે પ્રભુ ચંપાનગરી પધાર્યા. ત્યાં સ્વાતિદત્ત નામના બ્રાહ્મણની અગ્નિહેાત્રશાલામાં ચામાસી તપ સ્વીકારી ખારમું ચાતુર્માસ રહ્યા. તે ચારે મહિના, રાત્રિને વિષે પૂર્ણ ભદ્ર તથા મણિભદ્ર નામના બે યક્ષેા, ભક્તિથી પ્રેરાઇને પ્રભુની સેવા કરવા આવતા. ત્યાંથી વિહાર કરી પ્રભુ જંબિકા ગામે પધાર્યાં. ત્યાં શક્રેન્દ્રે આવી પ્રભુ પાસે ભક્તિભાવભર્યાં નાટાર ભ કર્યો. પછી તે મેલ્યા કે: “હે જગદ્ગુરૂ ! હવે આપને થાડા દિવસેામાં કેવલજ્ઞાન થવુ જોઇએ.” ત્યાંથી વિહાર કરી પ્રભુ મિીક ગામ આવ્યા. ત્યાં ચમરે આવી, પ્રભુને વંદન કરી, સુખશાતા પૂછી પુન: પોતાના સ્થાને ચાલ્યા ગયા. પ્રભુના કાનમાં ખીલા ઢોકાયા ! મિતીક ગામથી વિહાર કરી પ્રભુ ષમાનિ નામના ગામમાં આવ્યા અને ત્યાં ગામ મ્હાર પ્રતિમા ધરીને રહ્યા. પેાતાના ત્રિપૃષ્ટ વાસુદેવના ભવમાં શય્યાપાલના કાનમાં તપાવેલા સીસાના રસ રેડાવી. ઉપાર્જન કરેલુ. અશાતાવેદનીય કર્મ પ્રભુને આ સમયે ઉદયમાં આવ્યું. તે શય્યાપાલના જીવ ઘણાં ભવભ્રમણુ કરી, આ ગામમાં ગોવાળીયા થયા હતા. તે ગાવાળ, રાત્રિએ પ્રભુને ગામની બ્હાર ઉભા રહેલા જોઇ, પેાતાના બળદોને પ્રભુ પાસે મૂકી, ગાયા દાવા ગામમાં ગયા. ગાવાળ ચાલ્યેા ગયા એટલે ચોડીવારે બળદ પણ સ્વેચ્છાપૂર્વક અટવીમાં દૂર ચાલ્યા ગયા. ગાયા દઈને ચેવાળ પાછે આવ્યે અને જુએ છે તે ત્યાં બળદ જેવું કંઇ ન દેખાયું. તે પ્રભુને પૂછવા લાગ્યા કે− હૈ દેવાય ! ૧}
SR No.023492
Book TitleKalpsutra Sukhbodhika Sachitra
Original Sutra AuthorN/A
AuthorSushil
PublisherMeghji Hirji Jain Bookseller
Publication Year
Total Pages578
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy