SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪મ વ્યાખ્યાન. ૩૫ પેલે। પ્રતિજ્ઞાથી ભ્રષ્ટ થયેલા કાળમુખા સંગમદેવ ત્યાં જ આવતા દેખાયા. ઇન્દ્રે એકદમ પેાતાની નજર ફેરવી વાળી અને બીજા દેવા સામે જોઇ કહ્યું કે:— આ પાપાત્મા આવે છે. તેનુ મુખ જોવાથી પણ પાપ લાગે. એણે આપણા સ્વામીને અહુ બહુ રીતે કનડી, મારા મ્હોટા અપરાધ કર્યો છે. એ દૃષ્ટ જેમ આપણાથી ન ડર્યો તેમ પાપથી પણ ન ડર્યાં. એ દુરાત્માને આ સ્વર્ગમાં સ્થાન ન મળવુ જોઇએ. એને જલદી કાઢી મૂકેા. ક્રોધથી ઇન્દ્રે તેને ડાબા પગની લાત મારી ટ્રીટકાર આપ્યા. ઇન્દ્રના હથિયારબ`ધ સુભટા લાકડી, પાટુ, સુષુિ વિગેરેથી તેને પ્રહાર કરવા લાગ્યા અને આખરે સભામાંથી ધક્કો મારી બ્હાર કાઢી મૂક્યા. દેવીએએ પોતાના હાથની આંગળીએ મરડી, પેાતાના આક્રોશ જાહેર કર્યાં, સામાનિક દેવાએ પણ તેને ખૂબ મકાન્યા. એ રીતે ચાતરફથી તિરસ્કાર પામેલા સોંગમદેવ, ચારની જેમ માજીમાજી નિહાળતા-મૂઢ જેવા દેખાતા−ઠરી ગયેલા અ‘ગારા જેવા કાળા મેશ થઇ ગયા. હડકાયા કૂતરાની પેઠે, દેવલાકમાંથી તેને ધૂતકારી કાઢવામાં આવ્યેા. ત્યાંથી તે મ્યાનમુખે મેરુ પર્યંતની ચૂલા ઉપર ગયા. સંગમની અગ્રમહિષીએ દીનમુખે ઇન્દ્રને વિનંતિ કરી કે “ હે સ્વામી ! જો આપની માજ્ઞા હાય તેા હું મારા પતિ પછવાડે જઉં. ઈન્દ્રે તેને જવાની અનુમતિ આપી અને બીજા સર્વ પરિવારને પાછળ જતા અટકાવ્યેા. ત્યાં તે સ ંગમ પેાતાનું સાગરાપમનું આયુષ્ય પુરૂં કરવા લાગ્યા. ,, પ્રભુના ચરણમાં ચમરેદ્ર હવે ગાકુળગામથી વિહાર કરી પ્રભુ આલલિકા નગરીએ આવ્યા. ત્યાં હરિકાંત નામના વિદ્યુત્ક્રમારના ઇન્દ્ર પ્રભુને સુખશાતા પૂછવા આવ્યા. પ્રભુના ધૈર્ય ગુણની પ્રશંસા અને સ્તુતિ
SR No.023492
Book TitleKalpsutra Sukhbodhika Sachitra
Original Sutra AuthorN/A
AuthorSushil
PublisherMeghji Hirji Jain Bookseller
Publication Year
Total Pages578
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy