SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૮ શ્રી કલ્પસૂત્ર શ્રાવક પિતાના ઘેર ગયે અને પ્રભુ પણ ત્યાંથી વિહાર કરી, શ્રાવસ્તી નગરી પધાર્યા. ત્યાં દશમું ચાતુર્માસ વિવિધ તપ વડે સંપૂર્ણ કર્યું. - સંગમ દેવના ઘર ઉપસર્ગો ચાતુર્માસ પુરૂં થતાં, પ્રભુ નગરીની બહાર પારણું કરી, વિચિરતા વિચરતા અનુકમે પ્લેચ૭ લેકથી ભરપૂર એવી દઢભૂમિમાં આવ્યા. ત્યાં પેઢાલ નામના ગામની બહાર પોલાસ નામના ચૈત્યમાં તેમણે અઠ્ઠમ તપ સ્વીકારી પ્રવેશ કર્યો અને એક રાત્રિની પ્રતિમા ધરીને રહ્યા. એ વખતે શકેન્દ્ર પિતાના અવધિજ્ઞાનથી પ્રભુને ધ્યાનમગ્ન જોઈ, તુરત સિંહાસન પરથી ઉતરી, પ્રભુને ઉદેશી નમન કર્યું. તે પછી ઈન્દ્ર પ્રભુના હૈયે ગુણની પ્ર શંસા કરતાં, પિતાની સુધર્મસભામાં બેઠેલા દેવે સમક્ષ કહ્યું કે “અહે, શ્રી વિરપ્રભુ કેવા ધ્યાનમગ્ન થઈ રહ્યા છે? તેમની ધીરતાની અને અડગતાથી હું કેટલી સ્તુતિ કરૂં? તેમના ધ્યાન મન ચિત્તને ચલાયમાન કરવા, કદાચ ત્રણ જગતના પ્રાણીઓ એકઠા થાય તે પણ નિષ્ફળ જ જાય.” સભામાં બેઠેલે, ઈન્દ્રને એક સામાનિક દેવ-સંગમ, પ્રભુની પ્રશંસા સહન ન કરી શકે. તે ભ્રકુટી ચડાવી, ધ્રુજતા સ્વરમાં તાડુકી ઉઠો કે:-“દેવેન્દ્ર! આ દેવની સભામાં એક પામર સાધુના વખાણ કરતાં આપને જરાય સંકેચ નથી થતું? દેવો કરતાં એક સામાન્ય મનુષ્યમાં વિશેષ સામર્થ્ય હોય એવી કઈ કલ્પના પણ ન કરી શકે. જે દેવો મેરૂ પર્વતને પણ એક ટેફાની જેમ ફેંકી દઈ શકે, જે દેવે સમુદ્રના અગાધ જળનું એક અંજલી માત્રામાં પાન કરી શકે, અને જે દેવે આખી પૃથ્વીને છત્રીની જેમ એક ભુજાથી તેની રાખે તેમની પાસે એક માનવસાધુ શી ગણતરીમાં છે? સુરેન્દ્રી આપ જ્યારે કે મનુષ્યની પ્રશંસા આ સભામાં કરે છે ત્યારે
SR No.023492
Book TitleKalpsutra Sukhbodhika Sachitra
Original Sutra AuthorN/A
AuthorSushil
PublisherMeghji Hirji Jain Bookseller
Publication Year
Total Pages578
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy