SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૬ શ્રી કલ્પસૂત્ર નાગસેન શ્રાવકે પ્રભુને અર્ચ માસક્ષપણને પારણે ખીર વ્હારાવી. તે વખતે તેના દાનની દેવાએ;પણુ સ્તુતિ કરી અને વસુધારા વિગેરે પાંચ દિવ્યે પ્રકટ કર્યા. ત્યાંથી વિહાર કરી શ્વેતાંખી નગરીમાં ગયા. શ્વેતાંખીના પ્રદેશી રાજાએ પ્રભુનુ ઘણુ સારૂ સ્વાગત અને સત્કાર કર્યો. ત્યાંથી સુરભિપુર જતાં પ્રભુને પાંચ રથયુક્ત તૈયકગાત્રના રાજાઓએ વંદન કર્યું. સુષ્ટના અણધાર્યાં ઉપદ્રવ સુરભિપુર પહોંચતા પહેલાં ગંગા નદી ઓળંગવાની જરૂર હતી. સિદ્ધદત્ત નામના એક નાવિક લેાકેાને ગંગા નદી ઉતારવા પેાતાની નાથમાં ચડાવતા હતા. પ્રભુ પણ તે નાવપર ચડ્યા. નાવિક નાવને હુ‘કારવા લાગ્યા. અકસ્માત એ વખતે ઘુવડ પક્ષીના અવાજ કાન સાથે અથડાયા. ક્ષેમલ નામના એક નિમિત્તીયા નાવમાં બેઠા હતા તે, બીજા લેાકે સામે જોઇ એટલી ઉઠ્યો કે નદી ઉતરતાં આજે આપણને મરણાંત કષ્ટ થવુ જોઇએ, પરન્તુ આ મહાત્માના પુણ્યપ્રભાવથી આપણેા વાળ વાંકા નહીં થાય. આરાહીઓથી ભરેલું નાવ ગંગાની મધ્યમાં-અગાધ જળમાં આવી પહેયુ. 99 પ્રભુએ પેાતાના ત્રિષ્ટ વાસુદેવના ભવમાં જે સિંહને માયો હતા તે (સંહુના જીવ ઘણાં ભવભ્રમણ કરી ભુવનપતિમાં સુ કે નામે નાગકુમાર થયા હતા. પ્રભુને નાવમાં બેઠેલા જોઇ તેને પૂ જન્મનું વેર સાંભરી આવ્યું અને તેના બદલે લેવા–નાવને છુડાઢવા તૈયાર થયા. બરાબર તેજ વખતે નાગકુમાર દેવ તરીકે ઉત્પન્ન થયેલા કંબલ અને શંખલ નામના દેવાએ વિધિજ્ઞાનથી તીર્થંકર પ્રભુને ઉપસર્ગ થતા જોયા, તેથી તેઓ તત્ક્ષણુ ત્યાં આવી
SR No.023492
Book TitleKalpsutra Sukhbodhika Sachitra
Original Sutra AuthorN/A
AuthorSushil
PublisherMeghji Hirji Jain Bookseller
Publication Year
Total Pages578
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy