SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭. મા કહ૫સૂત્ર ઈન્દ્ર તુરત જ બ્રાહ્મણનું રૂપ ધરી પંડિતના ઘેર આવ્યા. ત્યાર પછી પંડિતને છાજે એવા આસન ઉપર પ્રભુને બેસારી ઈન્વે પ્રભુને એવા તે પ્રશ્નો પૂછ્યા કે જે વ્યાકરણમાં અધિક કઠિન હોવાથી પંડિત પોતે પણ ખુલાસે કરી શકતે નહતો. પિતાના મનમાં ઘણું વખતથી વસી રહેલી શંકાએ પૂછાતી જોઈ પંડિત વિચાર કરવા લાગ્યું કે “લાંબા સમયથી શાસ્ત્રોને અયાસ કરવા છતાં જે શંકાઓનું સમાધાન હું પોતે મેળવી શકે નથી તેને ઉત્તર આ બાળક કેવી રીતે આપી શકશે ?” હાજર રહેલા લોકોને પણ થયું કે આવી આકરી શંકાઓને ઉકેલ આ બાળક કેવી રીતે કરી શકે? પંડિત તથા લેકે હજી વિચાર જ કરતા હતા, એટલામાં પ્રભુએ એક પછી એક પ્રશ્ન લઈ દરેકના સંતોષકારક ખુલાસા કરી દીધા. પંડિતાના મનમાં આજ સુધી જે શંકાઓ ધુંધવાતી હતી તે શંકાએ ઈન્દ્ર અવધિજ્ઞાનથી જાણીને જ એ વિષે ભગવાનને પ્રશ્નો કર્યા હતા. એ શંકા અને ઉત્તરના પરિણામે “જેનેન્દ્ર” નામનું વ્યાકરણ રચાયું. * લોકે તે ચકિત જ થઈ ગયા કે અહો! વર્ધમાન કુમાર હજી બાળક હોવા છતાં આટલી બધી વિદ્યા કયાં ભણી આવ્યા? સ્તબ્ધ બનેલે પંડિત પણ વિચારવા લાગ્યા કે “આટલા લાંબા વખતમાં મારી જે શંકાઓનું નિવારણ હેટા મહેટા પંડિતોએ પણ કર્યું નહોતું, તે શંકાઓ આ બાળકે જોતજોતામાં દૂર કરી એ ખરેખર આશ્ચર્ય જ ગણાય ! વધારે આશ્ચર્ય તે વળી એ છે કે આ વિદ્યાવિશારદ હોવા છતાં તેનામાં કેટલી બધી ગંભીરતા છે? પણ એમાં ખરું જોતાં કંઈજ નવાઈ નથી. મહાત્મા પુરૂષનાં આચરણ એવાં જ હોય. શરઋતુમાં ગર્જના કરતે મેઘ કંઈ વરસતું નથી. અને વર્ષાઋતુને મેઘ તે ગર્જના વિના મેટી બડાઈની વાત કરનાર
SR No.023492
Book TitleKalpsutra Sukhbodhika Sachitra
Original Sutra AuthorN/A
AuthorSushil
PublisherMeghji Hirji Jain Bookseller
Publication Year
Total Pages578
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy