SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ બીકણપત્ર વર્ધમાન નામની સાર્થકતા હે દેવાનુપ્રિયે ! અમારો આ બાળક ગર્ભમાં હતું ત્યારે અમને આત્મવિષયક (ચિંતિત, પ્રાર્થિત અને મને ગત ) એવો સંકલ્પ થયું હતું કે જ્યારથી આ બાળક કુખને વિષે ગર્ભપણે ઉત્પન્ન થયે છે ત્યારથી આપણે હિરણ્યથી, સુવર્ણથી, ધનધાન્યથી, રાજ્યથી, પ્રધાન દ્રવ્યથી, માનસિક સંતેષથી અને સ્વજને તરફના સારા સત્કારથી અતિશય વૃદ્ધિ પામીયે છીયે, તેમજ ત્યારથી આરંભીને સીમાડાના રાજાઓ પણ વશ થયા છે, તેથી કરીને એ બાળક જન્મે ત્યારે આ ધન વિગેરેની વૃદ્ધિને સૂચવનારૂં અનુરૂપ, ગુણેથીજ ઉત્પન્ન થયેલું એવું વર્ધમાન” નામ પાડશું. અમેને પહેલાં ઉત્પન્ન થયેલ મને રથની સંપત્તિ આજે સફળ થઈ છે. અમારે કુમાર “વર્ધમાન” નામથી જ ઓળખાઓ, અને અમે પણ તેનું વર્ધમાન નામ પાડીએ છીએ. શ્રમણ ભગવાન મહાવીર શ્રમણ ભગવાન મહાવીર કાશ્યપગોત્રના હતા. તેમના માતપિતાએ વર્ધમાન નામ પાડયું તે તે આપણે જાણું લીધું. પણ શ્રમણ ભગવાન મહાવીર નામ શી રીતે પડ્યું તેને અધિકાર આ પ્રમાણે જાણ–રાગદ્વેષરહિતપણને જે સહજ ગુણ, તે સહજ ગુણપણે તપસ્યા કરવાની શક્તિ હોવાથી પ્રભુનું બીજું નામ “ શ્રમણ પડયું. વિજળી પડવી વિગેરે આકસ્મિક બનાવિાથી જે ડર ઉપજે તે ભય કહેવાય, અને સિંહાદિથી ઉપજતો ડર ભૈરવ કહેવાય. આ ભય કે ભૈરવથી પણ પ્રભુ ચલાયમાન થયા નહીં. ભૂખ તરસ વિગેરે બાવીસ પ્રકારના પરીષહે અને દેવતા સંબંધી ચાર પ્રકારના ઉપસર્ગો ક્ષમાપૂર્વકસહન કર્યા, અસમર્થ
SR No.023492
Book TitleKalpsutra Sukhbodhika Sachitra
Original Sutra AuthorN/A
AuthorSushil
PublisherMeghji Hirji Jain Bookseller
Publication Year
Total Pages578
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy