SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી કલ્પસૂત્રઆ ઉગ્ર તપસ્યાના પ્રભાવથી ભવાંતરે ઘણે પરાક્રમી થઉં.” પછી પિતાનું કરડ વરસનું આયુષ્ય પૂર્ણ કરી, પૂર્વના પાપની આયણું કર્યા વિના મૃત્યુ પામવાથી સત્તરમે ભવે મહા શુક દેવલોકમાં ઉત્કૃષ્ટ આયુષ્યવાળા દેવ થયા. ત્યાંથી અવીને અઢારમે ભાવે પોતનપુર નગરમાં પિતાની પુત્રીને પરણનાર પ્રજાપતિ નામના રાજાને દીકરે ત્રિપૃષ્ઠ નામને વાસુદેવ થયે. પ્રજાપતિ રાજાનું નામ પ્રથમ રિપુ પ્રતિશત્રુ હતું. તેને ભદ્રા નામની રાણીની કુખે અચળ નામે પુત્ર અને મૃગાવતી નામે પુત્રી હતી. મૃગાવતી ઘણું રૂપાળી હતી. એક વખતે વનમાં પ્રવેશેલી અને અતુલ સાંદર્યવતી મૃગાવતી પોતાના પિતા પાસે પ્રણામ કરવા ગઈ. રાજા તેનું સંદર્ય જોઈ કામાતુર થયે. પછી રાજાએ નગરના મોટા મોટા માણસોને બોલાવીને કહ્યું કે “હે સ? રાજ્યમાં જે જે રન-વસ્તુઓ ઉત્પન્ન થાય તે કોની સમજવી?” ત્યારે સભ્યજનેએ ઉત્તર આપ્યો કે- “હે સ્વામી ! જે ઉત્તમ રન-વરતુઓ હેાય તે રાજાની જ ગણાય. કારણકે એવી ઉમદા વસ્તુઓનો રાજા સિવાય બીજો કોણ માલેક હેઈ શકે ?” આ પ્રમાણે પ્રપંચી રીતે લેકેની સમ્મતિ મેળવી રાજાએ મૃગાવતીને રાજસભામાં બોલાવી, સભ્યોને ઉદ્દેશી કહ્યું કે-“તમારા અભિપ્રાય મુજબ આ કન્યારત્ન મારે જ ગ્રહણ કરવું જોઈએ.” લે રાજાના આવા વર્તનથી ચકિત થઈ ગયા. રાજાએ આખરે પિતાનું ધાર્યું કર્યું. મૃગાવતી સાથે ગંધર્વ વિધિથી લગ્ન કર્યું. એ રીતે રાજા પોતાના પ્રજા એટલે સંતતિને પતિ થયા તેથી તેનું નામ પ્રજાપતિ તરીકે પ્રસિદ્ધ થયું. તે મૃગાવતીની કુખે સાત સ્વોએ સૂચિત, ચોરાશી લાખ વરસના આયુષ્યવાળો ત્રિપૃષ્ઠ નામે પુત્ર . તેણે બાલ્યાવસ્થામાં પણ પ્રતિવાસુદેવના ડાંગરના ખેતરને વિન્ન કરનારા સિંહને શસ્ત્રવગર પિતાના
SR No.023492
Book TitleKalpsutra Sukhbodhika Sachitra
Original Sutra AuthorN/A
AuthorSushil
PublisherMeghji Hirji Jain Bookseller
Publication Year
Total Pages578
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy