SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ વ્યાખ્યાન. લગનાહાણુ—ભવ્ય લોકોના નાથ. એટલે કે વેગ અને ક્ષેમ કરનારા. યોગ એટલે નહીં પ્રાપ્ત થયેલા જ્ઞાનાદિની પ્રાપ્તિ અને ક્ષેમ એટલે પ્રાપ્ત થયેલા જ્ઞાનાદિનું રક્ષણ, એ બન્ને કરનાર તેથી ભવ્ય લેકના નાથ. લેગહિયાણું-સર્વજીનું હિત કરનાર. કારણ કે ભગવાન દયાના પ્રરૂપક છે. લોગપઈવાણું–લેકને વિષે પ્રદીપ સમાન; કારણ કે મિથ્યાત્વરૂપી અંધકારને નાશ કરનાર છે. લેપ અગરાણું–લેકામાં પ્રદ્યોત કરનાર, કારણ કે ભગવાન સૂર્યની પેઠે સર્વ પદાર્થોને પ્રકાશ આપે છે. અભયદયાણું–અભયને દેવાવાળા–સાતે ભયને હરનારા. સાત ભય ક્યા ક્યા? (૧) મનુષ્યને મનુષ્યનો ભય રહે તે ઈહલોકભય, (૨) મનુષ્યને દેવ વિગેરેને ભય રહે તે પરલોક ભય, (૩) ચોરી વિગેરેને ભય તે આદાનભય (૪) બહારના નિમિત્ત વિના આકસ્મિક ભય તે અકસ્માતુ ભય (૫) આજીવિકા ચલાવવાને ભય તે આજીવિકા ભય (૬) મરણ ભય (૭) અપયશ ભય. (એ સાતે ભય ભગવાન્ હરે છે.) ચખુદયાણું–શ્રુતજ્ઞાનરૂપ આંખ દેનાર. મગ્નદયાણું–સમ્યજ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ મેક્ષમાર્ગ આપનાર. જેમ કેઈ લેકે મુસાફરીએ જતા હતા, તેમનું દ્રવ્ય ચેરીએ લૂંટી લીધું અને પછી તેમને આંખે પાટા બાંધીને અવળે માર્ગે ચડાવી દીધા. તેવામાં કેઈએ આવી આખપરના પાટા છેડી નાખી, ધન આપી, સાચે માર્ગ બતાવી, ઘણે ઉપકાર કર્યો. તેવી રીતે ભગવાન પણ કામ, ક્રોધાદિ કષાયાએ જેમનું ધર્મધન લૂંટી લીધું છે અને મિથ્યાત્વરૂપ પાટાથી
SR No.023492
Book TitleKalpsutra Sukhbodhika Sachitra
Original Sutra AuthorN/A
AuthorSushil
PublisherMeghji Hirji Jain Bookseller
Publication Year
Total Pages578
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy