SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ ૩-૧૧] વાક્તિજીવિત ૨૦૫ શયમાં વધારા કરતા હેાઈ તે પણ રસવાન ગણાય. આમ, વિશેષણ (કર્મધારય) સમાસ લઇએ યે પરિણામ તે આ જ આવે છે. અને આમ માની લઈએ (એટલે કે રસવદલ કાર છે એમ માની લઈએ) તેાયે એથી તે તે અલંકારની જાણીતી વ્યાખ્યામાં કશે. નવા ઉમેરે થતેા નથી. કારણ, દરેક અલકારની પોતાની ચાક્કસ વ્યાખ્યા હોય છે અને કાવ્યના વસ્તુના સૌ માં વધારે કરવાના સામાન્ય ગુણ પણ તે ધરાવતા હાય છે. આ બે તત્ત્વા ભેગાં મળીને અલકારને અલંકાર બનાવે છે. જો આમાંથી માત્ર સામાન્ય ગુણ ઉપર જ ભાર મૂકવામાં આવે તા પ્રત્યેક અલંકારની વિશેષ વ્યાખ્યાનું કશું મૂલ્ય જ ન રહે. તેથી એવા દાખલાઓને રસવત્ અલંકાર ન ગણી શકાય. કારણ, તજ્જ્ઞાએ એ વાત સ્વીકારી નથી. બલ્કે તેમણે બીજા અલંકારોને પ્રધાન ગણાવેલા છે. અથવા, ચેતન પદાના વર્ણનમાં રસવઠ્ઠલંકાર અને અચેતન પદાર્થાના વર્ણનમાં ઉપમા વગેરે બીન્ન અલંકારા, એવા કેટલાક વિષય-વિભાગ કરે છે, તે પણ વિદ્વાનેાના હૃદયને આકર્ષતું નથી, એટલે કે તર્કસંગત નથી. કારણ, અચેતન પદાર્થાંમાં પણ રસનું ઉદ્દીપન કરવાનું સામર્થ્ય જેમાં હાય એવી સુ ંદરતા અને સરસતાના ઉલ્લેખ સારા કવિઓ કરતા હાય છે, એટલે ઉપમા વગેરે બીજા અલકારા માટે બહુ ઓછા વિષય રહેશે અથવા રહેશે જ નહિ. (અને અચેતન પદાર્થોમાં રસ સભવે જ નહિ એમ માનીએ તે) શૃંગારાદિ રસના પ્રવાહથી મનેહર સારા કવિઓની અચેતન પદાર્થાંના વર્ણન કરતી ઘણી કૃતિઓને નીરસ જાહેર કરવી પડશે, એવું પૂર્વસૂરિઓએ પ્રતિપાદન કરેલું છે. આ ઉલ્લેખ આનંદવ નાચાર્યના ધ્વન્યાલાકના છે. તેમાં ખીન્ન ઉદ્યોતની પાંચમી કારિકા ઉપરની વૃત્તિમાં આ ચર્ચા આવે છે. જુએ આનંદવધ ના ધ્વનિવિચાર' પૃ. ૭૪-૭૬) અથવા એક બીજા જ પ્રકારના વૈચિત્ર્ય કહેતાં સૌને
SR No.023451
Book TitleVakrokti Jivit Kuntakno Kavya Vichar
Original Sutra AuthorN/A
AuthorNagindas Parekh
PublisherGujarat Sahitya Academy
Publication Year1988
Total Pages660
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy