SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૬ વક્તિ જીવિત [૨-૨૪, ૨૫ કેઈ અપૂર્વ ક્રિયાચિત્ર્ય ધારણ કરી કોઈ અપૂર્વ વક્રતા કહેતાં શોભા પ્રગટ કરે છે. વડવાગ્નિ યુગો થયાં સમુદ્રને પીવાને પ્રયત્ન કર્યા કરે છે. આમ એને પીવાની ક્રિયાને લાંબા સમયને અભ્યાસ પણ છે અને એનામાં એને વળગી રહેવાની ખંત પણ છે, એટલે એ ક્રિયામાં એ પરાકાષ્ટાએ પહેચેલે છે, તેમ છતાં એ સમુદ્રને પી શક્યો નથી, અને અગત્ય એ સમુદ્રને એક ઘૂંટડામાં પી ગયા, એમાં અગત્યની પીવાની ક્રિયા પેલા વડવાગિનની પીવાની ક્રિયા કરતાં કોઈ જુદા જ પ્રકારની લાગે છે. આમ, વડવાગ્નિરૂપ બીજા કર્યા કરતાં અગત્યરૂપ કર્તાની વિશેષતા પ્રગટ થાય છે અને તે વિશેષતા એની ક્રિયાની વિશેષતાથી સિદ્ધ થાય છે. આમ, આ ક્રિયવૈચિત્ર્યવક્તાના બીજા પ્રકારનું ઉદાહરણ બને છે. બીજું ઉદાહરણ– શરણાગતનાં દુઃખને કાપનાર નાખો.” ૮૭ આ લેક પહેલા ઉન્મેષમાં પહ્મા ઉદાહરણ તરીકે આવી ગયે છે (પૃ. ૪૮). ત્રીજુ ઉદાહરણ– “શંભુનાં શોને અગ્નિ તમારાં પાપને બાળી મૂકે.” ૮૮ આ લેક પહેલા ઉમેષમાં ૬૦મા ઉદાહરણ તરીકે આવી ગયો છે (પૃ. ૪૮). આ બંનેની વકતાની સમજૂતી પહેલાં આપી છે. . (૩) કિયાચિત્ર્યવકતાને ત્રીજો પ્રકાર એવે છે, જેમાં કિયાના પિતાના વિશેષણની ચારુતા હોય છે. ક્રિયા જ પ્રધાનપણે પ્રસ્તુત હોઈ તેનું વિશેષણ જે ચારુતાયુક્ત હેય તે એથી વૈચિત્ર્ય કહેતાં સૌંદર્ય સધાય છે. જેમ કે – ચંદ્રોદય થતાં જ સ્ત્રીઓએ સુંદર કાન્તિવાળી દૂતીએ સાથે વાત કરવામાં આંખ અને મન રોકાયેલાં હોવાથી
SR No.023451
Book TitleVakrokti Jivit Kuntakno Kavya Vichar
Original Sutra AuthorN/A
AuthorNagindas Parekh
PublisherGujarat Sahitya Academy
Publication Year1988
Total Pages660
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy