SearchBrowseAboutContactDonate
Page Preview
Page 457
Loading...
Download File
Download File
Page Text
________________ ४१२ दर्शनशुद्धिप्रकरणम् - सम्यक्त्वप्रकरणम् गुरुगुणरहिओ य इह दट्ठव्वो मूलगुणविउत्तो जो । न उ गुणमित्तविहीणु त्ति चंडरुद्दो उदाहरणं । ।१७६ ।। સાધુ મૂલગુણ વિનાનો હોય, તેને જ ગુરુના ગુણોથી રહિત જાણવો, પણ જે સાધુ એકાદ ગુણમાત્રથી રહિત હોય, તેને તો ગુરુના ગુણોથી યુક્ત જ સમજવો અને એમાં શ્રી ચંડરુદ્રાચાર્ય દૃષ્ટાન્તભૂત છે. ૧૭૬ कालाइदोसओ जइवि कहवि दीसंति तारिसा न जई । सव्वत्थ तहवि नत्थि त्ति नेव कुज्जा अणासासं । । १७७ ।। વળી આ દુષમ કાળાદિના દોષથી કોઈ સ્થાનમાં સુગુણશાળી સાધુઓ ન દેખાય, તેટલા માત્રથી ‘સર્વત્ર સાધુઓ નથી' તેવો અવિશ્વાસ કરવો નહિ. ૧૭૭ कुग्गहकलंकरहिया जहसत्ति जहागमं च जयमाणा । जेण विसुद्धचरित्त त्ति वृत्तमरिहंतसमयंमि ।।१७८ । । કારણ કે, શ્રી અરિહંત પરમાત્માના શાસનમાં કદાગ્રહના કલંકથી રહિત અને યથાશક્તિ જિનાજ્ઞા મુજબ રત્નત્રયીની આરાધનામાં ઉદ્યમશીલ સાધુઓને વિશુદ્ધ ચારિત્રવાળા કહ્યા છે. ૧૭૮ अज्जवि तिन्नपइन्ना गरुयभरुव्वहणपचला लोए । दीसंत महापुरिसा अखंडियसीलपब्भारा।।१७९।। આજે પણ વિશ્વમાં પ્રતિજ્ઞાને પૂર્ણ રીતે પાળનારા, મહાભારવાળા સંયમને વહન ક૨વામાં સમર્થ અને અખંડિત શીલના પ્રાભા૨ને ધારણ કરનારા મહાપુરુષો દેખાય છે. ૧૭૯ अवि तवसुसियंगा तणुयकसाया जिइंदिया धीरा । दीसंति जए जइणो वम्महहिययं वियारंता । । १८० । । વર્તમાન કાળમાં પણ તપના અનુષ્ઠાનથી કાયાને સુકાવનારા, અલ્પ કષાયવાળા, જિતેન્દ્રિય, ક્ષુધા આદિ પરીષહોને સહન ક૨વામાં ધીર અને કામદેવના હૃદયનું વિદારણ કરનારા=કામ વિજેતા મહાપુરુષો જગતમાં દેખાય છે. ૧૮૦ अज्जवि दयसंपन्ना छज्जीवनिकायरक्खणुज्जुत्ता । दीसंति तवस्सिगणा विगहविरत्ता सुईजुत्ता । । १८१ । । આ દુષમકાળમાં પણ દયાથી યુક્ત, છ જીવનિકાયના રક્ષણમાં ઉદ્યમવાળા, વિકથાઓથી વિરક્ત અને સ્વાધ્યાય ગુણથી સહિત એવા તપસ્વીઓ જગતમાં દેખાય છે. ૧૮૧
SR No.023423
Book TitleDarshanshuddhi Prakaranam Aparnam Samyaktva Prakaranam
Original Sutra AuthorN/A
AuthorVijaykirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2013
Total Pages512
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy