SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ સંશોધનની દષ્ટિએ અવલોકન - અત્રે ગ્રહણ કરેલા ૩૭ ગ્રંથો-ગ્રંથકાર-ટીકાકારની સૂચિ પાંચમા પરિશિષ્ટમાં ‘સમુયુક્તન પ્રત્થરત્નાનિ' - રૂપે મૂકવામાં આવી છે. - પૂ.આચાર્ય શ્રી દેવભદ્રસૂરિજી મહારાજે પોતાની વૃત્તિમાં કેટલાક સ્થાને આવશ્યકનિર્યુક્તિ, આચારાંગ નિર્યુક્તિ, પંચાશક જેવા કેટલાક ગ્રંથોની જ ટીકા ગ્રહણ કરેલી છે. જેની સૂચિ છઠ્ઠા પરિશિષ્ટમાં સદશપ્રાયઃ વૃત્તીનાં સૂચિ: રૂપે આપી છે. પૂ.આચાર્ય શ્રી ચક્રેશ્વરસૂરિજી મહારાજે પોતાની વૃત્તિમાં જે કથાઓને સમાવિષ્ટ કરી છે, જેને અમે પ્રસ્તુત સંપાદનમાં સમાવી શક્યા નથી. તે તે કથા અને તેના વિષયની સૂચિ સાતમા પરિશિષ્ટમાં પ્રસ્તુત પ્રશને પૃહીતાનાં વ્યાધ્યન્તિતાનાં સૂચિ: રૂપે મૂકવામાં આવી છે. - આઠમા પરિશિષ્ટમાં મૂળ ગાથાઓનો અકારાદિક્રમ મૂકવામાં આવ્યો છે. પૂ. આચાર્ય શ્રી ચક્રેશ્વરસૂરિજી મહારાજે પોતાની ટીકાની આદિમાં આ ગ્રંથને સમ્યકત્વપ્રકરણના નામે ઓળખાવ્યો છે. તો પૂ.આચાર્ય શ્રી દેવભદ્રસૂરિજી મહારાજે પોતાની ટીકાની આદિમાં ગ્રંથને દર્શનશુદ્ધિ પ્રકરણના નામે ઓળખાવ્યો છે. જ્યારે મૂળ ગ્રંથકાર પૂ. શ્રી ચંદ્રપ્રભસૂરિજી મહારાજ ગ્રંથની છેલ્લી ગાથામાં 'યું હંસસોહં બે મત્રી પડંતુ નિયુvi,' એ રીતે ગ્રંથને દર્શનશુદ્ધિપ્રકરણના નામે જ પરિચય કરાવી રહ્યા છે. આ રીતે ગ્રંથકારના આશયને લક્ષમાં લઈને આપણા આ ગ્રંથને ‘સર્જનશુદ્ધિકરમ્' ના મુખ્ય નામે તેમજ સર્વપ્રશરણમ્ ના ગૌણ નામે પ્રકાશિત કરવામાં આવ્યો છે.
SR No.023423
Book TitleDarshanshuddhi Prakaranam Aparnam Samyaktva Prakaranam
Original Sutra AuthorN/A
AuthorVijaykirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2013
Total Pages512
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy