SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ સમર્પણમ્ સિંહસત્તના સ્વામી જિનશાસનશિરતાજ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા એક સદી જેટલા વિરાટ સમયખંડમાં પથરાયેલું, સેંકડો ઘટનાઓને સમાવી લેતું, હજારો પરિચિતો સાથે સંકળાયેલું અને લાખો વ્યક્તિઓને સ્પર્શતું તેઓશ્રીનું જિનશાસન સમર્પિત સમગ્ર જીવન એક વિહંગાવલોકનથી નિહાળીએ તો તેમના મુખ્ય બે ગુણ નજર સામે તરી આવે - ભીમ અને કાંત ! વીરરસથી ધગધગતો ભીમગુણ અને શાંતરસથી છલોછલ થતો કાંતગુણ ! પોતાને દઝાડનારાઓને એમણે નિર્મળ વાત્સલ્યથી નવડાવી દઈને સદા શાંતરસનો અનુભવ કરાવ્યો છે અને જિનશાસનને દઝાડનારાઓને એમણે સદા ધગધગતા અંગારા જેવા વીરસનો પરિચય કરાવ્યો છે... પોતાના અપરાધીઓને એમણે સદા મિત્ર જ માન્યા છે. પણ જિનશાસનના અપરાધીઓને એમણે ક્યારેય મિત્ર નથી માન્યા - વર્ષોથી નિકટતમ હતા તો પણ. દેવગુરુ પ્રત્યે ભક્તિભીનાં અને ભક્તો-વિરોધીઓ સૌ પ્રત્યે કરુણાભીનાં એમનાં નિર્વિકાર નયન શાસનરક્ષા અને ચણાપડિચોયણાં આદિ પ્રસંગોમાં લાલઘુમ પણ થઈ શકતાં હતાં.. જોતાં વેંત આકર્ષી લે એવું મોહક મિત સર્જતા બે હોઠને તેઓ સત્યરક્ષા પ્રસંગે સામેવાળાને ધ્રુજાવી દે એ રીતે ભીડી પણ શકતા હતા... અમૃતમિર્ઝરવહાવતા તેઓના કોમલ કરકમલ ધર્મ ઉપરના આક્રમણોને મારી હઠાવતી કરાલ કરવાલ પણ બની શકતા હતા. સાથે કોણ કોણ છે, કેટલા છે... સામે કોણ કોણ છે, કેટલા છે ? - આવું બધું જોવા બેસવાનું એમના સ્વભાવમાં જ નહોતું. એમની નીતિ સ્પષ્ટ હતી. જિનમતના આગ્રહી સૌ મારી સાથે જ છે અને નિજમત કે જનમતના આગ્રહીઓ સૌ મારી સામે છે - પછી ભલે એ પાસે હોય કે દૂર હોય ! તેમની આવી છાપ વિરોધીઓમાં પણ હતી. શ્રીસંઘમાં ઉત્પન્ન થયેલા પ્રાય: તમામ વિવાદોમાં પ્રચંડ લોકમત અને પ્રબલ લોકહિત સામ સામે ટકરાયાં હતાં - આવી સ્થિતિમાં લોકમત તરફ ઝૂકી જઈને લોકપ્રિય બનવાનો વિચાર પણ એમને નહોતો આવ્યો, બલકે તમામ આક્રમણો અને આકર્ષણોને અવગણીને તેઓ લોકહિતને વળગી રહ્યા હતા. કારણ કે તેઓ સાચા સંદહિતચિંતક હતા. સંઘને સન્માર્ગે દોરવાની ભાવના સ્વરૂપ સંઘવાત્સલ્યથી તેઓનું હૃદય છલોછલ હતું. તેમના વ્યક્તિત્ત્વનું એક તેજદાર પાસું હતું - સ્પષ્ટ નિર્ણય શક્તિ. તુલા રાશિ અને તુલા લગ્ન લઈને જન્મેલા પૂજ્યશ્રીમાં ત્રાજવાના બંને પલ્લાને ન્યાય આપવાની કળાકુશળતા જન્મજાત હતી. વિવાદાસ્પદ મુદ્દાઓની ચર્ચાઓમાં દર વખતે પક્ષનું સુકાન તમામ વડીલો તેઓને જ સોંપતા. તેમનું નિવેદન ચતુર્વિધ સંઘના અગ્રણીઓ ખૂબ ગંભીરતાપૂર્વક સાંભળતા. બોલાયેલો શબ્દ એમણે ક્યારેય પાછો લેવો પડ્યો નથી કે ફેરવી તોળવો પડ્યો નથી ! આક્ષેપો અને આવેશો, આરોપો અને આક્રોશો, અપયશો અને અપમાનોને ઝેર ઘૂંટડા ગળે ઉતારીને જગતને તો એમણે મિતભર્યા ચહેરે અમૃતભર્યું સત્ય જ આપ્યું છે. અરે ! ઝેર રેડનારાઓ ઉપર પણ એમણે તો કરુણા અમૃત જ વરસાવ્યું છે. એમને નહિ સમજનારાઓએ એમને વિષે ફેલાવેલી ગેરસમજની તોતિંગ ઇમારત એમના ફક્ત એકાદ પ્રવચનથી કે એમની ફક્ત એકાદ મુલાકાતથી કડકભૂસ થઈને તૂટી પડ્યાનાં દૃષ્ટાંતો સંખ્યાબંધ છે. ભક્તો અને શિષ્યોના હૃદયમાં આસન જમાવવું આસાન છે. ગુરુદેવના હૃદયમાં સ્થા, મેળવવું કઠિન છે. જ્યારે વિરોધીઓના હૃદયમાં બિરાજમાન થવું અશક્ય પ્રાયઃ છે... તેઓશ્રીએ શિષ્યો, ભક્તો અને ગુરુદેવની સાથોસાથ વિરોધીઓના હૃદયને પણ વશ કર્યું હતું. એમના વશીકરણ મંત્રો હતા - ન્યાયનિષ્ઠા, વિનયશીલતા અને કરુણા ! દર્શન મોહનીય કર્મના ક્ષયોપશમથી પાવન બનેલા જ્ઞાનાવરણીય કર્મના અદ્ભુત ક્ષયોપશમે એમને સર્વોત્તમ ગીતાર્થ બનાવ્યા. જ્ઞાન એવું પામ્યા કે એમણે કરેલા શાસ્ત્રાર્થને સફળતાપૂર્વક કોઈ પડકારી શક્યું નહિ. અને દર્શન તેમજ ચારિત્ર મોહનીયકર્મના અભુત ક્ષયોપશમે એમને અનુપમ સંવિગ્ન બનાવ્યા. શ્રદ્ધા એવી પામ્યા કે ગમે તેવી ધાકધમકી અને શેહશરમ, સ્વીકારેલા સત્યને એમની પાસેથી છોડાવી શકી નહિ. જ્ઞાન શ્રદ્ધાના આ મોંધેરા ઘરેણાંમાં મઘમધાટ વેર્યો અમોઘ પ્રવચન લબ્ધિએ ! પૂજ્યપાદશ્રીજીનો પૂર્ણ પરિચય એક જ પંક્તિથી પામવો હોય તો ગાતાં રહો પૂજ્યપાદ મહોપાધ્યાય રચિત સમકિત સઝાયની. આ કડી “સંવેગરંગતરંગ ઝીલે માર્ગ શુદ્ધ કહે બધા !! અત્યંત વિપરીત વાતાવરણ વચ્ચે શાસ્ત્રીય સત્યો, સંયમધર્મ, શુદ્ધ ધર્મ વિધિ અને સદ્ધવ્યવ્યવસ્થાના સંરક્ષણ-સંવર્ધનનાં લગભગ એકલ પડે એમણે કરેલાં અગણિત કાર્યો બુદ્ધિની પહોંચની બહાર છે... જ્યાં બુદ્ધિ જ • પહોંચી શકે, ત્યાં શબ્દોનું તો શું ગજું ? જીવનના પ્રથમ-ઉપદેશથી લઈ અંતિમ માર્ગદર્શન સુધી પ્રત્યેક સ્વ-પર-ઉપકારક વિચાર-વચન-વર્તનમાં “સમ્યગ્દર્શન'ની ધરીને અકબંધ જાળવનારા; માટે જ ભાવાચાર્ય ભગવંતનું સાર્થક બિરૂદ ધરાવારા સુવિશુદ્ધ પ્રરૂપક, દર્શનશુદ્ધિધારક ગુરુદેવશ્રીના વિશુદ્ધ કરકમળોમાં તેઓશ્રીના દીક્ષા-શતાબ્દી વર્ષે સાદર સમર્પણમ્ લિ. કીર્તિયશસૂરિ
SR No.023423
Book TitleDarshanshuddhi Prakaranam Aparnam Samyaktva Prakaranam
Original Sutra AuthorN/A
AuthorVijaykirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2013
Total Pages512
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy