SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૨ વેદ, પર્યાપ્તિ, દૃષ્ટિ, દર્શન, જ્ઞાન, યોગ (i) હેતુવાદોપદેશસંજ્ઞા જેને હોય તે સંસી, શેષ (એકેન્દ્રિય) અસંજ્ઞી. જેમાં વર્તમાનકાળનું જ જ્ઞાન હોય તે હેતુવાદોપદેશ સંજ્ઞા. આ સંજ્ઞા વિકસેન્દ્રિયને હોય. એકેન્દ્રિયને ઓઘસંજ્ઞા હોય. (ii) દષ્ટિવાદોપદેશસંજ્ઞા જેને હોય તે સંશી - સમ્યગ્દષ્ટિ, શેષ અસંશી - મિથ્યાષ્ટિ. છદ્મસ્થ સમ્યગ્દષ્ટિને આ સંજ્ઞા હોય. કેવળીઓ સંજ્ઞાતીત હોય છે. (૧૧) વેદ - તે ત્રણ પ્રકારે છે - સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુંસકવેદ. ' તે પૂર્વે કહ્યા છે. (૧૨) પર્યાપ્તિ - તે પૂર્વે કહી છે. (૧૩) દષ્ટિ - ત્રણ પ્રકારે છે - સમ્યગ્દષ્ટિ, મિથ્યાદષ્ટિ, સમ્યગમિથ્યાદષ્ટિ. (૧૪) દર્શન - વસ્તુનો સામાન્ય બોધ તે દર્શન. તે ચાર પ્રકારે છે ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન, કેવળદર્શન. (૧૫) જ્ઞાન - વસ્તુનો વિશેષ બોધ તે જ્ઞાન. તે પાંચ પ્રકારે છે મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, કેવળજ્ઞાન. (૧૬) યોગ- તે ત્રણ પ્રકારે છે – મન, વચન, કાયા. મનોયોગ ચાર પ્રકારે છે - સત્ય, અસત્ય, સત્યાસત્ય, અસત્યઅમૃષા. વચનયોગ ચાર પ્રકારે છે - સત્ય, અસત્ય, સત્યાસત્ય, અસત્યઅમૃષા.
SR No.023418
Book TitlePadarth Prakash Part 08
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy