SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ સમુદ્દાત, સંજ્ઞી ઈન્દ્રિય શ્રોત્રેન્દ્રિય ચક્ષુરિન્દ્રિય ઘ્રાણેન્દ્રિય રસનેન્દ્રિય સ્પર્શનેન્દ્રિય અભ્યન્તર નિવૃત્તિ કદંબના પુષ્પ જેવી મસૂર જેવી અતિમુક્તના પુષ્પ જેવી અન્ના જેવી વિવિધ પ્રકારની ૧૫૧ (ii) ઉપકરણ - નિવૃત્તિ ઈન્દ્રિયની વિષયને ગ્રહણ કરવાની શક્તિ તે ઉપકરણ. (૨) ભાવેન્દ્રિય - તે બે પ્રકારે છે - (i) લબ્ધિ અને (ii) ઉપયોગ (i) લબ્ધિ - તે તે આવરણીય કર્મોનો ક્ષયોપશમ તે લબ્ધિ. (ii) ઉપયોગ - ઈન્દ્રિયોનો પોતાના વિષયમાં વ્યાપાર તે ઉપયોગ. એક કાળે એક જ ઇન્દ્રિયનો ઉપયોગ હોય. (૯) સમુદ્દાત - તે ૭ પ્રકારે છે - વેદના, કષાય, મરણ, વૈક્રિય તૈજસ, આહારક, કેવલી. તેમનું સ્વરૂપ દંડકમાંથી જાણી લેવું. (૧૦) સંશી - જેની પાસે સંજ્ઞા હોય તે સંજ્ઞી. પર્યાપ્તા પંચેન્દ્રિય સંશી છે. શેષ એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, અપર્યાપ્ત પંચેન્દ્રિય, સંમૂચ્છિમ પંચેન્દ્રિય અસંશી છે. અથવા સંજ્ઞી ૩ પ્રકારે . (i) દીર્ઘકાલિકીસંજ્ઞા જેને હોય તે સંજ્ઞી, શેષ અસંજ્ઞી. જેમાં ત્રણે કાળનું જ્ઞાન હોય તે દીર્ઘકાલિકી સંજ્ઞા. આ સંજ્ઞા દેવ, નારકી, ગર્ભજ તિર્યંચ, ગર્ભજ મનુષ્યને હોય.
SR No.023418
Book TitlePadarth Prakash Part 08
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy