SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન હવે અમિપ્ત શબ્દ ‘પૃથ્વોવરાવ’ ગણપાઠ અંતર્ગત હોવાથી તેમાં રહેલ મ ઉપસર્ગ સંબંધી જ્ઞ નો લોપ અને પ્ણ ના પ્ નો ર્ આદેશ થવાથી મિTM શબ્દ બન્યો. ત્યારબાદ ‘આત્ ૨.૪.૮’ સૂત્રથી આક્ પ્રત્યય લાગતા લક્ષ્યના અનુરોધથી (= તેવા પ્રકારના પ્રયોગો જોવા મળતા હોવાથી) એક સ્થળે ર્ નો આગમ થવાથી ખિસ્સેટા શબ્દ બન્યો, અને બીજે ત્ નો આગમ ન થવાથી મિસ્સા^) શબ્દ બન્યો. હવે ચૈત્રસ્ય મિસ્સા અને ઝોવનસ્ય મિક્સટા આ વિગ્રહ અવસ્થામાં ‘ષષ્ચયત્નાત્ રૂ.૨.૭૬' સૂત્રથી તત્પુરૂષ સમાસ થતા ચૈત્રપિમસ્સા અને ઓર્નામસ્મટા આ પ્રયોગો સિદ્ધ થયા. અહીં ઉભયસ્થળે ચૈત્ર તેમજ ઓવન શબ્દના અંત્ય ઞ થી પરમાં રહેલા મિસ્સા અને મિક્સટા શબ્દઘટક મિક્ અંશને આ સૂત્રથી ક્ આદેશ નથી થતો. કેમ કે આ સૂત્રમાં સ્યાદિનો અધિકાર આવે છે, અને આ બન્ને મિક્ અંશો સ્યાદિ સંબંધી નથી. શંકા :- મિસ્સા અને ખિસ્સટા શબ્દોનો અંશભૂત મિત્ અનર્થક હોવાથી તેના પેસ્ આદેશનું નિવર્તન તો ‘અર્થવન્દ્રને નાનર્થ(B) ’ ન્યાયથી પણ થઇ શકે છે. તેથી સૂત્રમાં સ્યાદિની અનુવૃત્તિ લેવાની શી આવશ્યકતા છે ? સમાધાન :- સૂત્રમાં માત્ર મિસ્સા અને મિક્સટા ના અંશભૂત મિસ્ ના પેર્ આદેશનું નિવર્તન કરવા સ્યાદિની અનુવૃત્તિ નથી. પરંતુ આ પછીના સૂત્રોમાં અવિચ્છિન્નપણે સ્યાદિનો અધિકાર લઇ જવા તેની અનુવૃત્તિ આવશ્યક છે. તેથી પૂર્વસૂત્રથી અનુવર્તમાન સ્થાતિ પદ ‘અર્થવાળે નાનર્થ સ્વ’ન્યાયની અપેક્ષા રાખ્યા વિના અમુક ચોક્કસ પ્રકારના જ પિમ્ ના (અર્થાત્ સ્યાદિ સંબંધી જ પિસ્ના) પેસ્ આદેશનું નિયમન કરતું હોવાથી આ સ્થળે ‘અર્થવાહને નાનર્થી સ્વ'ન્યાયની અપેક્ષા ન રાખવી, કારણ ન્યાયની અપેક્ષા રાખવી એ ગૌરવ કહેવાય. તેથી પ્રસ્તુતમાં આ ન્યાય અનિત્ય જાણવો. ।।૨।। (A) મસ્સા પ્રયોગ મિક્ ધાતુને વિવર્ પ્રત્યય લગાડી ભિવં સ્થતિ આ વિગ્રહાવસ્થા થકી પણ તે પૃષોવવિ ગણપાઠનો હોવાથી સિદ્ધ થશે. (B) અર્થવાન પ્રત્યય કે પ્રકૃતિનું ગ્રહણ સંભવતું હોય ત્યારે અનર્થક શબ્દનું ગ્રહણ ન કરવું. આશય એ છે કે વ્યાકરણશાસ્ત્રમાં શબ્દ એ કાર્યો છે. તે શબ્દ બે પ્રકારના જોવા મળે છે; સાર્થક અને નિરર્થક ઃ (i) સમુદાય રૂપ શબ્દમાં અર્થ પ્રત્યાયન (= બોધ) કરાવવાની શક્તિ હોવાથી તે સાર્થક કહેવાય. જ્યારે, (ii) અવયવ રૂપ તે શબ્દમાં અર્થ પ્રત્યાયન કરાવવાની શક્તિ ન હોવાથી તે નિરર્થક કહેવાય. દા.ત. સમુદાય રૂપ ખિસ્પ્રત્યય ‘બહુત્વ-કરણ’ વિગેરે અર્થોનું પ્રત્યાયન કરાવતો હોવાથી સાર્થક છે, તેથી તેનું અહીં ગ્રહણ થશે. જ્યારે મિલ્લા અને મિક્સટા માં રહેલ મિક્ અંશ કોઇ અર્થનું પ્રત્યાયન કરાવતો ન હોવાથી નિરર્થક છે, તેથી તેનું પ્રસ્તુત સ્થળે ગ્રહણ નહીં થાય.
SR No.023416
Book TitleSiddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Original Sutra AuthorHemchandracharya
AuthorPrashamprabhvijay
PublisherSyadwad Prakashan
Publication Year2012
Total Pages564
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy