SearchBrowseAboutContactDonate
Page Preview
Page 546
Loading...
Download File
Download File
Page Text
________________ परिशिष्ट-३ ૪૮૭ ક્ષેત્રવિસ્તારમાં મળ સહિત કે અરહિત બન્ને પ્રકારના અને અન્ના થી પરમાં રહેલા પ્રત્યાયનો સ્ આદેશ પ્રાપ્ત હતો, પરંતુ સૌ૦ ૨.૪.૩' સૂત્ર દ્વારા તે ક્ષેત્રવિસ્તારને ટૂંકાવી સહિતના જ અને આ નામ થી પરમાં રહેલા મિ પ્રત્યયનો આદેશ કરવા રૂપ નિયમ કરાયો. માટે તેને નિયમસૂત્ર કહેવાય. (g) વિકલ્પસૂત્ર - આદેશ, પ્રત્યયવિધાન, સંધિ થવી, સધ્યભાવ થવો આદિ અનેક પ્રકારના કાર્યો સંભવતા હોય છે. આવા કાર્યોમાં જે સૂત્ર વિકલ્પને સૂચવે તેને વિકલ્પસૂત્ર કહેવાય. જેમકે સો નવેતો ૨.૨.૨૮' સૂત્રમાં સંધિના અભાવ રૂપ કાર્યનો વિકલ્પ સૂચવવામાં આવે છે, માટે તેને વિકલ્પસૂત્ર કહેવાય. (A) સમુસૂત્ર – સમુચ્ચય એટલે જોડાણ. એક કાર્યની સાથે સાથે બીજા કાર્યને પણ જોડી આપતા સૂત્રને સમુચ્ચયસૂત્ર કહેવાય. જેમકે ‘સોડતા સ8૨.૪.૪૨' સૂત્રમાં પ્રત્યયના મની સાથે પૂર્વના સમાન સ્વરને દીર્ઘ આદેશના વિધાન રૂપકાર્યદર્શાવ્યું છે અને તેની સાથે સાથે તેમાં પુંલિંગ નામ સાથે જો તે પ્રત્યય જોડાયો હોય તો તેના ને આદેશના વિધાનરૂપ કાર્ય પણ જોડી દેવામાં આવ્યું છે. માટે શસોડતા શ૦ ૨.૪.૪૬' સૂત્ર સમુચ્ચયસૂત્ર કહેવાય. (i) અતિદેશસૂત્ર – જે સૂત્ર પોતે કોઈ કાર્યનું વિધાન ન કરતા બીજા સૂત્રોના કાર્યમાં ઉપદેશ આપે તેને અતિદેશસૂત્ર કહેવાય. જેમકે “રૂરતો વા૦ ૮.૪.?' સૂત્રમાં કહ્યું છે કે હવે પછીના સૂત્રોમાં જે ધાતુઓના છેડે ? ઇત્ દર્શાવ્યો હોય તે ધાતુઓને તસૂત્રીય કાર્ય વિકલ્પ થશે.” તો અહીં ક્લિતો વા૦ ૮.૪.?' સૂત્ર પોતે કોઈ નવા કાર્યનું વિધાન નથી કરતું, પરંતુ તેની પછીના સૂત્રોમાં દર્શાવેલા ઇવાળા ધાતુઓને ઉદ્દેશીને તેમને તે સૂત્ર સંબંધી કાર્યના વિકલ્પનો ઉપદેશ આપે છે. તેથી તેને અતિદેશસૂત્ર કહેવાય. () અનુવાદસૂત્ર - પ્રસિદ્ધ વસ્તુનું પુનઃ કથન કરવું તેને અનુવાદ કહેવાય. જે સ્ત્ર પોતામાં કોઇ પ્રસિદ્ધ વસ્તુનું પુનઃ કથન કરતું હોય તેને અનુવાદસૂત્ર કહેવાય. જેમકે તો સમૂહવળ્યું૭.રૂ.૩' સૂત્રમાં “ “પ્રવૃત્તિ ૭.રૂ.૨ અને ‘શ્મિન્ ૭.રૂ.૨' સૂત્રોના વિષયમાં બહુત્વવિશિષ્ટાર્થક નામને ‘પષ્ટયા: સમૂદે ૬.૨.૨' વિગેરે સૂત્રોમાં દર્શાવેલા સમૂહ અર્થની જેમ પ્રત્યયો થાય છે તથા પ્રત્યય પણ થાય છે" આમ કહ્યું છે. તો ‘તય સમૂહવચ્ચે ૭.૨.૨ સૂત્રમાં અન્યત્ર Tષ્ટયા: સમૂદે ૬.૨.૨' વિગેરે સૂત્રોમાં પ્રસિદ્ધ એવા સમૂહઅર્થનું પુનઃ કથન કર્યું હોવાથી તેને અનુવાદસૂત્ર કહેવાય. 135) સૂત્રો પાર – સૂત્રમાં દર્શાવેલ. 136) સૌત્રનિર્દેશ - “સૂત્રત્વત્ સમાર:' નિયમ મુજબ વ્યાકરણશાસ્ત્રના સૂત્રોમાં સમાહારદ્વન્દ સમાસ થવો જોઈએ. તેમજ સૂત્રોમાં વ્યાકરણશાસ્ત્રની મર્યાદા મુજબ ઉચિત પ્રયોગો થવા જોઇએ. તેમ છતાં માત્રાલાઘવને ઉદ્દેશીને સૂત્રકારશ્રી જો ઉપરોકત બન્ને વાતોને અવગણીને સૂત્રમાં વિચિત્ર પ્રકારનો કોઈ પ્રયોગ કરે તો તેને સૌત્રનિર્દેશ કહેવાય.
SR No.023416
Book TitleSiddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Original Sutra AuthorHemchandracharya
AuthorPrashamprabhvijay
PublisherSyadwad Prakashan
Publication Year2012
Total Pages564
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy