SearchBrowseAboutContactDonate
Page Preview
Page 545
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮૬ શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન અલગ અધિકારસૂત્ર રચ્યું છે અને તે અણ્ પ્રત્યયનો અધિકાર ‘અત ફેંગ્ દ્દ..રૂશ્’ વિગેરે અપવાદના વિષયને છોડીને અપત્યાદિ અર્થક વિશેષસૂત્રો સ્થળે જ અનુવર્તતો ‘૬.૧’ પાદ પૂર્ણ થયા પછી પણ છેક ‘૬.૩’ પાદ પૂર્ણ થાય ત્યાં સુધી ચાલ્યા જ કરે છે. તો કલિકાલસર્વજ્ઞશ્રીએ 'પ્રશ્ નતાવન્ ૬.૧.રૂ' સૂત્રમાં અધિકારની મર્યાદાનું સૂચક ‘પ્રશ્ નિતાર્' પદ મૂક્યું છે, જેથી ખબર પડે કે ઞ પ્રત્યયનો અધિકાર જિતાર્થક 'તેન નિત॰ ૬.૪.૨’સૂત્રની પૂર્વના ‘૬.૩’ પાદ પૂર્ણ થાય ત્યાં સુધીના અપત્યાદિ અર્થક સૂત્રોમાં અનુવર્તે છે. (iii) જ્યાં અધિકાર ગંગાપ્રવાહની જેમ દરેક સૂત્રોમાં અનુવર્તતો હોય ત્યાં તેઓશ્રી જુદું અધિકારાર્થક સૂત્ર રચતા નથી પરંતુ અધિકારને અટકાવવા યત્ન કરે છે. જેમકે ડ્વોતઃ વાસ્તેઽસ્ય૦ ૧.૨.૨૭' આ વિધિસૂત્રથી આગળના દરેક સૂત્રોમાં પવન્ત શબ્દની અનુવૃત્તિ પ્રવાહની જેમ ચાલ્યા જ કરે છે. તો પવન્ત શબ્દની અનુવૃત્યર્થે તેઓશ્રીએ જુદું અધિકારાર્થક સૂત્ર નથી રચ્યું પરંતુ પવન્ત શબ્દની અનુવૃત્તિને અટકાવવા ‘સ્વરેમ્યઃ ૧.રૂ.રૂ૦’ સૂત્રમાં વ્યાપ્ત્યર્થે બહુવચન કર્યું છે. આના વધુ દાખલા જાણવા ‘યુટિ ૧.૪.૬૮’સૂત્રનું વિવરણ જોઇ લેવું. કેટલાક જયશંકરલાલ ત્રિપાઠી વિગેરે વ્યાકરણના વિવેચકો અધિકાર અને અનુવૃત્તિમાં ભેદ દર્શાવે છે. તેમનું એમ કહેવું છે કે અધિકારસૂત્ર સંપૂર્ણ રૂપે આગળના સૂત્રોમાં જોડાયા કરે છે, જ્યારે સૂત્રના અમુક પદ કે પદોનું જ જોડાણ જો આગળના સૂત્રોમાં જોડાય તો તેને અનુવૃત્તિ કહેવાય છે. (d) વિધિસૂત્ર – જે સૂત્ર અમુક કાર્યનું વિધાન કરતું હોય તેને વિધિસૂત્ર કહેવાય. જેમકે ‘નામ્યન્તસ્થા૦ ૨.રૂ.૯’ સૂત્ર સ્ ના ર્ આદેશનું વિધાન કરે છે તેથી તે વિધિસૂત્ર કહેવાય. (e) પ્રતિબંધસૂત્ર – પ્રતિષેધ એટલે નિષેધ. અમુક કાર્યના નિષેધને સૂચવતું સૂત્ર પ્રતિષેધસૂત્ર કહેવાય. જેમકે ‘7 સ્તું મત્વર્થે ૧.૧.રરૂ' સૂત્ર 7 કારાન્ત-7 કારાન્ત નામોને મત્વર્થીય પ્રત્યય પરમાં વર્તતા પદત્વનો નિષેધ કરે છે, તેથી તે પ્રતિષેધસૂત્ર કહેવાય. (f) નિયમસૂત્ર – નિયમ એટલે સંકોચ. પૂર્વસૂત્ર જેટલા ક્ષેત્રવિસ્તારને લઇને અમુક કાર્યને પ્રવર્તાવતું હોય તેટલા ક્ષેત્રવિસ્તારને ટૂંકાવવા (= સંકોચવા) પૂર્વક એના એ જ કાર્યને જો પછીનું કોઇ સૂત્રપ્રવર્તાવતું હોય તો તેને નિયમસૂત્ર કહેવાય છે. જેમકે ‘મિસ સ્ ૧.૪.૨’ આ પૂર્વસૂત્રથી ૪ થી પરમાં રહેલા સ્યાદિ મિસ્ પ્રત્યયનો પેસ્ આદેશ થાય છે અને તેની પછીના ‘મનસો૦ ૧.૪.રૂ’ સૂત્રથી મ પ્રત્યય પરમાં હોય તેવા જ વમ્ અને ગવર્ના ઞ થી પરમાં રહેલા સ્યાદિ મિક્ પ્રત્યયનો સ્ આદેશ થાય છે. તો અહીં બન્ને સૂત્રોનું મિસ્ પ્રત્યયના સ્ આદેશ રૂપ કાર્ય તો સમાન જ છે, પરંતુ ‘મિસ પેસ્ ૧.૪.૨’ સૂત્રનો ક્ષેત્રવિસ્તાર કોઇપણ ૪ થી પરમાં રહેલો મિક્ પ્રત્યય છે. જ્યારે ‘વમવસો૦ ૧.૪.રૂ' સૂત્રનો ક્ષેત્રવિસ્તાર ‘ગમે તે ઞ નહીં, પણ ઞ પરમાં હોય તેવા જ ડ્વમ્ અને અસ્ ના અ થી પરમાં રહેલો મિક્ પ્રત્યય' આમ સંકુચિત છે. અર્થાત્ 'મિસ પેસ્ ૧.૪.૨' સૂત્રના પહોળા
SR No.023416
Book TitleSiddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Original Sutra AuthorHemchandracharya
AuthorPrashamprabhvijay
PublisherSyadwad Prakashan
Publication Year2012
Total Pages564
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy