SearchBrowseAboutContactDonate
Page Preview
Page 531
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭૨ શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન કે લોકવ્યવહારમાં પ્રયોગને યોગ્ય નિઃ પદનો સોમ: પદની સાથે સમાસ કર્યા બાદ ‘ પોમવરૂપે રૂ.૨.૪ર' સૂત્રથી નિઃ આ મૂળપદના અંત્ય ટૂ નો દીર્ઘ આદેશ કરવો એ પદકાર્ય ગણાય. 83) સંસ્કાર - પદની નિષ્પત્તિ થાય ત્યાં સુધી પ્રકૃતિ અને પ્રત્યયોની સ્થાપના કરીને પછી જે સંસ્કાર અર્થાત્ પદની નિષ્પત્તિ કરવામાં આવે તેને પદસંસ્કાર કહેવાય છે. આ પદસંસ્કારને માનનારો એક પક્ષ છે. આ પક્ષનું એવું માનવું છે કે કોઇ પણ વાક્ય બનાવતી વખતે પૂર્વે તેમાં વર્તતા પદોને પ્રકૃતિ અને પ્રત્યયોને બાજું બાજુમાં મૂકી સંસ્કાર કરવા પૂર્વક અલગથી સાધી લેવામાં આવે છે અને પછી સાધેલા તે પદોને જોડીવાક્ય બનાવવામાં આવે છે. જેમકે પાdય આવું વાક્ય બનાવવું હોય તો આ પક્ષ મુજબ પૂર્વે જો + અ = T અને પતૃ + વુિં + શત્ + દ = પાય આમાં અને પાય પદો બનાવવામાં આવે છે અને પછી તે બન્ને પદોને જોડીને જ પાય વાક્યની નિષ્પત્તિ કરવામાં આવે છે. પદસંસ્કારની વ્યાખ્યા પાર્વત્ત પ્રકૃતિપ્રથાન સંસ્થા તત: સંજીર R:' આ પ્રમાણે છે. વિશેષ જાણવા પ્રસ્તાવનામાં પૃષ્ઠ xxxiv' જુઓ. 84) પુન:પ્રસવ - વિક્ષિત કાર્ય કોક સૂત્રથી પ્રાપ્ત હોય, પછી કોઇ બીજા સૂત્ર દ્વારા તે કાર્યનો નિષેધ કરવામાં આવે, ત્યારબાદ કોક ત્રીજા સૂત્ર દ્વારા ફરી તે કાર્ય કરવાની અનુમતિ પ્રાપ્ત થાય તો તે કાર્યનો પુનઃપ્રસવ થયો ગણાય. જેમકે દ્વન્દ્રસમાસ ઉભયપદપ્રધાન સમાસ હોવાથી તેના ઉત્તરપદ રૂપે વર્તતું સર્વાદિ નામ સર્વાદિ સંજ્ઞક જ ગણાય છે. તેથી તેના સંબંધી ન પ્રત્યયને ‘નાં રૂઃ ૨.૪.૨’ સૂત્રથી આદેશ થવાની પ્રાપ્તિ વર્તે છે. પરંતુ સદિઃ ૨.૪.૨૨’ સૂત્રથી શ્વસમાસસ્થળે સઘળાય સર્વાદિકાર્યોનો નિષેધ કરવામાં આવે છે. તેથી નસ્ ના ? આદેશરૂપ સર્વાદિ કાર્યનો પણ નિષેધ થઇ જાય છે. પરંતુ ત્યારબાદ દવા ૨.૪.૨૨ સૂત્રથી ફરી તે ધન્દ્રસમાસગતા સર્વાદિ નામ સંબંધી ન પ્રત્યયના આદેશની વિકલ્પ અનુમતિ આપવામાં આવે છે. તો આ ન પ્રત્યયના આદેશ રૂપ કાર્યનો પુનઃપ્રસવ થયો ગણાય. 85) પ્રાર - સાદશ્ય. 86) પ્રવૃતિ – પ્રકૃતિ એટલે નામ કે ધાત્વાત્મક શબ્દ. આ નામ કે ધાત્વાત્મક પ્રકૃતિને પ્રત્યયો લગાડીને ભાષામાં પદોના પ્રયોગ કરવામાં આવે છે. 87) પ્રક્રિયા વિનાયવ – એક સૂત્રની પ્રક્રિયાથી જો ઇષ્ટપ્રયોગની સિદ્ધિ થતી હોય તો બે સૂત્રની પ્રક્રિયામાંથી પસાર થવું નાહક ગૌરવનું કારણ બને. તેથી ઈષ્ટપ્રયોગની સિદ્ધયર્થે બને તેટલા ઓછા સૂત્રની પ્રક્રિયામાંથી પસાર થવું પડે તેમ કરવું તેને પ્રક્રિયાકૃતલાઘવ કર્યું કહેવાય. પ્રક્રિયાકૃતલાઘવ કરવા માટે કેટલેક સ્થળે સૂત્રકારશ્રીએ માત્રાકૃતગૌરવને પણ આવકાર્યું છે. જેમકે – ‘fમો --સુરમ્ .૨.૭૬' સૂત્રથી ની ધાતુને રુ અને 7 પ્રત્યય લગાડીને ક્રમશઃ પીરુ, મી અને બીજુ શબ્દો નિષ્પન્ન કરવામાં આવે છે. હવે આ
SR No.023416
Book TitleSiddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Original Sutra AuthorHemchandracharya
AuthorPrashamprabhvijay
PublisherSyadwad Prakashan
Publication Year2012
Total Pages564
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy