SearchBrowseAboutContactDonate
Page Preview
Page 514
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૫ परिशिष्ट-३ 10) અનુવન્યાનેન્તિવપક્ષ – ક્ષત્તિ શબ્દ ‘અવયવઅર્થનો વાચક છે. તેથી પાન્ત = અનેકાન્ત = અનવયવ = જે અવયવન બનતો હોય તે. અનુબંધના અનેકાંતપક્ષવાળા કહે છે કે અનુબંધ જેની સાથે જોડાયો હોય તેનો અવયવ બનતો નથી. કેમકે જે અવયવ હોય તે પોતાના અવયવી સાથે સંબંધ હોય છે. જેમકે હાથ, પગ વિગેરે શરીરના અવયવ છે. તો તે અવયવી શરીર સાથે સંબદ્ધ (જોડાયેલા) જોવા મળે છે. અનુબંધ ઇત્ હોવાથી તે જેની સાથે જોડાયો હોય છે તે પ્રત્યયાદિની સાથે પ્રયોગકાળે તે ક્યાંય પણ સંબદ્ધ જોવા મળતો ન હોવાથી અનુબંધ પોતાના સંબંધી પ્રત્યયાદિનો અવયવ બનતો નથી. હવે પ્રશ્ન થાય કે જો અનુબંધ અવયવન બને તો ત (7) વિગેરે પ્રત્યયોને વિત્ આદિ રૂપે ન કહી શકાય? કેમકે વિ શબ્દનો અર્થ અવયવ છે ઇન્ જેમાંથી આવો થાય છે. જ્યારે ત (f) પ્રત્યયગત અનુબંધ અવયવરૂપ ન હોવાથી ત્યાં ત્િ શબ્દનો અર્થ ઘટતો નથી. હવે જો ત (#) પ્રત્યયને વિશન કહી શકાય તો તે પરમાં વર્તતા પૂર્વના સ્વરના ગુણનો નિષેધન થઇ શકે. માટે ત (f) પ્રત્યયને ત્િ કહેવડાવવા હવે શું કરવું?” પરંતુ આ પ્રશ્નનો ઉત્તર આમ સમજવો કે ભલે અનુબંધ વાસ્તવિક રીતે અવયવ ન બને, પણ વસમીપરિતેડનુવાજે સ્વાઇવયવર્તમારોથને નિયમાનુસાર તેમાં ઉપચરિત અવયવત્વની કલ્પના કરી શકાય છે. નિયમ એમ કહે છે કે “અનુબંધ જેની નજીકમાં (અનંતરમાં) ઉચ્ચારાય છે તેના અવયવ રૂપે ઉપચારથી તેને ગણી શકાય છે.” તો તે (#) પ્રત્યયગત અનુબંધ 7 (5) પ્રત્યયની નજીકમાં ઉચ્ચારાતો હોવાથી તેને ઉપચારથી ત (f) પ્રત્યયના અવયવરૂપે ગણી શકાય. તેથી ત (m) પ્રત્યયમાં વિત્ શબ્દનો ‘ અવયવ છે ઇત્ જેમાંથી અર્થ ઘટી શકતા તેને વિ કહી શકવાથી તે પરમાં વર્તતા પૂર્વના સ્વરના ગુણનો નિષેધ થઇ શકશે. આમ અનુબંધના અનેકાંતપક્ષવાળા અનુબંધને વાસ્તવિક અવયવરૂપે સ્વીકારતા નથી, પરંતુ ત્િ આદિ સ્થળે આવતી આપત્તિને ટાળવા તેને ઉપચારથી અવયવ રૂપે સ્વીકારે છે. આના માટે વિશેષ જાણવા અનેકાન્તા અનન્યા તિ (પરિ. શે. ૪) ન્યાયની ટીકાઓ દ્રષ્ટવ્ય છે. 11) અનુવચ્ચેન્નપક્ષ – અનુબંધના એકાન પક્ષવાળા કહે છે કે અનુબંધ જેની સાથે જોડાયો હોય તેનો તે વાસ્તવિક અવયવ બને છે. કેમકે અનુબંધ હંમેશા ઉપલબ્ધ થાય તો પોતાના અવયવી સાથે જ ઉપલબ્ધ થાય છે, અન્યત્ર ક્યાંય ઉપલબ્ધ થતો નથી. જે જેની સાથે ઉપલબ્ધ થાય તે તેનો અવયવ કહેવાય. ગુમડું શરીર સાથે જ ઉપલબ્ધ થાય, તો તે શરીરનું અવયવ કહેવાય જ. કાગડો ક્યારેક ગૃહ સાથે સંબંધ હોય છે, તો ક્યારેક વૃક્ષની શાખા સાથે સંબદ્ધ હોય છે, તેથી કાગડો જેમ ગૃહાદિનો અવયવ ગણાતો નથી, તેવું અનુબંધની બાબતમાં નથી. ટૂંકમાં કહેવું હોય તો એક જાતીય સંબંધથી જે એકત્ર જ ઉપલબ્ધ થતો હોય તેને અવયવ કહેવાય.” જેમકે અનુબંધ, અને એક જાતીય સંબંધથી જે અનેકસ્થળે ઉપલબ્ધ થતો હોય તેને અવયવ ન કહેવાય જેમકે કાગડો. આમ એકાન્તપણે અનુબંધ પોતાના અવયવી પ્રત્યયાદિનો અવયવ બનતો હોવાથી આ પક્ષે તે () પ્રત્યયને હિતુ કહેવડાવવા તેના અનુબંધને ઉપચારથી અવયવરૂપે સ્વીકારવો પડતો નથી.
SR No.023416
Book TitleSiddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Original Sutra AuthorHemchandracharya
AuthorPrashamprabhvijay
PublisherSyadwad Prakashan
Publication Year2012
Total Pages564
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy