SearchBrowseAboutContactDonate
Page Preview
Page 513
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૪ શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન 6) ગનુર – અનુકરણ એટલે અનુકાર્ય (= મૂળ વકતાના શબ્દો માં જેવા પ્રકારની વર્ષાવલી છે તેવા પ્રકારની જ વર્ણાવલીપૂર્વક પુનઃ ઉચ્ચારાયેલો શબ્દ. જેમકે દૂતના શબ્દો અક્ષરશઃ પોતાના રાજાના કોણ અનુસાર હોવાથી તે શબ્દોને રાજાના શબ્દોનાં અનુકરણ રૂપે ગણવામાં આવે છે. ભાષાકીય પ્રયોગમાં આ અનુકરણ કરાયેલા શબ્દો પછી મોટાભાગે ત્તિ શબ્દનો પ્રયોગ કરવામાં આવતો હોય છે. જેમકે ચૈત્ર ઘટ:' આ પ્રમાણે બોલ્યો ત્યારે મૈત્રએ ચૈત્રના શબ્દોનું અનુકરણ કરવું હોય તો તેણે વેત્ર. ‘ઘટ:'તિ મહત્ આમ બોલવાનું રહે. આ અનુકરણ ક્યારેક આખા શબ્દોનું તો ક્યારેક શબ્દોના અંશનું પણ આવશ્યકતાનુસાર કરવામાં આવતું હોય છે. જેમકે ‘રિવ્યવાન્ ક્રિય: રૂ.રૂ.૩૭' સૂત્રમાં આખા ધાતુનું અનુકરણ કરી ક્રિય રૂપ સાધવામાં આવ્યું છે અને ‘સંધ્યા-સાય વેરચ૦ ૨.૪.૫૦' સૂત્રમાં ચિહ્નશબ્દના અંશભૂત અહ્નનું અનુકરણ કરી મદ્દ રૂપ સાધવામાં આવ્યું છે. આશય એ છે કે એકલો મહ્ન એવો આ કારાન્ત મૂળ શબ્દ મળતો નથી કે જેને ૩ પ્રત્યય લગાડી ગદરૂપ સાધી શકાય. તેથી વદ્દ શબ્દના અંશભૂત મદનું અનુકરણ કરી મહ્મસ્વરૂપ સાધવામાં આવે છે. બાકી મૂળ શબ્દ તો મહદ્ છે. અહીં એ ધ્યાનમાં રાખવું કે અનુકરણ કરાયેલ શબ્દ કે શબ્દાંશ ‘મધાતુ-વિપત્તિ ૨.૧.ર૭’ સૂત્રાનુસાર સ્વતંત્ર નામ સંજ્ઞાને પામે છે, કેમકે તે ધાતુ, વિભકિત કે વાક્ય સ્વરૂપ નથી હોતું અને અનુકરણ શબ્દ કે શબ્દાંશ અનુકાર્ય શબ્દ કે શબ્દાંશ કેવો હતો તેના સ્વરૂપની ઝાંખી કરાવનાર હોવાથી અનુકાર્ય શબ્દના સ્વરૂપાત્મક અર્થનો બોધક હોવાથી અર્થવાનું પણ બને છે. આમ તેને નામ સંજ્ઞાનો લાભ થતા અઢી અને શિય: આ પ્રમાણે સ્યાદા પ્રયોગો સાધી શકાય છે. અહીં શંકા થશે કે “અનુકરણ જો નામ બનતું હોય તો ક્રિય: સ્થળે શt અનુકરણ નામ ગણાતા તેના { નો ધાતુને ઉદ્દેશીને પ્રવર્તતા “સંયો ત્ ૨.૪.૧ર' સૂત્રથી રૂ આદેશ શી રીતે થઈ શકે ?” પરંતુ આ શંકાને અવકાશ નહીં રહે. કેમકે પ્રકૃતિવનુરા ન્યાયથી શ્રી અનુકરણ પોતાની મૂળ પ્રકૃતિ- સદશ (= ધાતુસદશ) પણ ગણાતા તેના નો રૂઆદેશ સાધી શકાય છે. 7) અનુર્વ – જેનું અનુકરણ કરવામાં આવે તે. 8) સનુન – દષ્ટાંત વિગેરેની પાછળ કરવામાં આવેલ પ્રયોગ. 9) અનુબંધ – વ્યાકરણશાસ્ત્રમાં વપરાતા ધાતુ, પ્રત્યય વિગેરે સાથે જોડાયેલ અમુક સાંકેતિક અક્ષરોને અનુબંધ કહેવાય છે. અનુબંધો ઇ’ હોય છે, તેથી તેઓ લૌકિક પ્રયોગમાં ટકતા નથી. પરંતુ તેઓ ગુણ-વૃદ્ધિ ન થવા દેવી, ધાતુને આત્મને પદ સંજ્ઞા લાગુ પાડવી વિગેરે પોતાની અસર છોડી જતા હોય છે. જેમકે – દુ' ધાતુને “વત્તા' પ્રત્યય લગાડીએ તો પ્રત્યયમાં રહેલો અનુબંધ ધાતુમાં રહેલા નો ગુણ ન થવા દે. એવી જ રીતે { કે અનુબંધ જો ધાતુ સાથે જોડાયા હોય અને જો કર્તા ફળવાન હોય તો તેઓ ધાતુને આત્મને પદ પ્રત્યયોનું વિધાન કરે છે.
SR No.023416
Book TitleSiddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Original Sutra AuthorHemchandracharya
AuthorPrashamprabhvijay
PublisherSyadwad Prakashan
Publication Year2012
Total Pages564
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy