SearchBrowseAboutContactDonate
Page Preview
Page 381
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૪ શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ‘અર્થવને નાનર્થ'ન્યાયાનુસારે આ સૂત્રથી આ આદેશરૂપ કાર્ય કરવામાં અનર્થક પથી વિગેરેનું ગ્રહણ નહીં થાય. આથી થી વિગેરેના અંત્યનો આ સૂત્રથી ના આદેશ નહીં થાય એવું તેઓ (સુખાકર) માને છે. શંકા - uથી વિગેરે શબ્દોના માર્ગને ઇચ્છનાર’ વિગેરે અર્થો થતા હોવાથી તેઓ સાર્થક છે તો તેમને અનર્થક કેમ કહ્યા? સમાધાન - “માર્ગને ઇચ્છનાર” વિગેરે અર્થોને આશ્રયીને થી વિગેરે શબ્દો સાર્થક છે એ વાત સાચી. પણ લોકમાં માર્ગ, મન્થન કરનાર' વિગેરે જે અર્થોને આશ્રયીને ઉથન, થન વિગેરે શબ્દો અર્થવાનું ગણાય છે તે અર્થોને આશ્રયીને પથી, નથી વિગેરે શબ્દો અર્થવાનું નથી ગણાતા, તેથી તેમને અહીં અનર્થક કહ્યા છે. શંકા - વ્યાકરણશાસ્ત્ર માત્ર શબ્દની નિષ્પત્તિ કરનાર હોય છે. ત્યાં લોકની જેમ શબ્દની અર્થવત્તા અને અનર્થકતાનો વિચાર ન કરાય. સમાધાનઃ- વ્યાકરણશાસ્ત્રમાં પણ વં ચાડશબ્દસં)' સ્થળે શબ્દના સ્વરૂપની જેમ તેના અર્થનું પણ ગ્રહણ કરવાનું કહ્યું છે. અર્થાત્ અર્થવાનું શબ્દોને વ્યાકરણશાસ્ત્રીય કાર્યો કરવાનાં કહ્યા છે, અનર્થકને નહીં. તેથી વ્યાકરણશાસ્ત્રમાં પણ લોકની જેમ શબ્દની અર્થવત્તા અને અનર્થકત્વનો વિચાર કરવાનો હોય છે. તો પથર્ વિગેરે શબ્દો થી વિગેરે શબ્દો કરતા ભિન્ન અર્થવાળા હોવાથી તેમને વચન અર્થ (= ઇચ્છા અર્થ) ન સંભવતા અર્થાત્ વચન પ્રત્યય લાગવાના કારણે પથી વિગેરે શબ્દોના જે અર્થો થાય છે તેના કરતા ભિન્ન અર્થવાળા થિ વિગેરે શબ્દો હોવાથી વિગેરે શબ્દોના જે અર્થો થાય છે તેને આશ્રયીને પથી વિગેરે શબ્દો વ્યાકરણશાસ્ત્રમાં પણ અનર્થક મનાય. શંકા - “ભિન્ન અર્થવાળા પથ વિગેરે શબ્દોના અર્થની અપેક્ષાએ બીજા અર્થવાળા એવા પણ પથી વિગેરે શબ્દો અનર્થક બને” આવું શેના આધારે કહો છો? સમાધાનઃ- “અત્તર સંમતનઈનાન્ન મઘB)' ન્યાયના આધારે કહીએ છીએ. આમ આ વ્યાકરણના મતે સૂત્રવર્તી થ–મથ–મુક્ષ: પદસ્થળે જ કારાન્ત – નો નિર્દેશન કારાન્ત સિવાયના પથી વિગેરે શબ્દસ્થળે આ સૂત્રની પ્રવૃત્તિ ન થાય તે માટે છે. જ્યારે સુખાકર'ના મતનો સંગ્રહ કરવો હોય ત્યારે તેમનો તાદશ નિર્દેશ આ સૂત્રમાં અર્થવાનું થર્ વિગેરે શબ્દોનું ગ્રહણ કરવું, પણ (A) ગ્વિ વં પં. (પા.ફૂ. ૨..૬૮) રૂત્તિ રાત્રે સ્વશન્ટેનાત્મીવવાવિના વૃઘતે રૂપરાત્રે સ્વરુપવં તદુમાં शब्दस्य संज्ञीति तदर्थः। तत्रार्थो न विशेष्यस्तत्र शास्त्रीयकार्याऽसम्भवात्, किन्तु शब्दविशेषणम्। एवं चार्थविशिष्टः शब्दः संज्ञीति फलितम्। तेनैषा (= अर्थवद्ग्रहणे नानर्थकस्येति) परिभाषा सिद्धेति भाष्ये स्पष्टम्। (परि.शे.१४) (B) જુદા અર્થનો વાચક બનેલો શબ્દ અનર્થક કરતા જુદો નથી ગણાતો. અર્થાત્ અનર્થક જ ગણાય છે.
SR No.023416
Book TitleSiddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Original Sutra AuthorHemchandracharya
AuthorPrashamprabhvijay
PublisherSyadwad Prakashan
Publication Year2012
Total Pages564
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy