SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૬ શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ‘અર્થવ ન્યાયાનુસાર સૂત્રોકત તૃ શબ્દથી જ કર્તાઘર્થક અર્થવાનું તૃપ્રત્યયાત નસ્કૃવિગેરે ઉણાદિ નામોનું ગ્રહણ સંભવતા સૂત્રમાં તેમનું પૃથગૂ ઉપાદાન કેમ કર્યું છે? સમાધાન - નિયમ કરવા માટે તેમનું સૂત્રમાં પૃથઉપાદાન કર્યું છે. આશય એ છે કે નવૃ વિગેરે શબ્દોનું જો સૂત્રમાં પૃથગૂ ઉપાદાન ન કરવામાં આવે તો વ્યુત્પત્તિપક્ષાનુસાર સૂત્રોક્ત તૃ શબ્દથી સૂત્રમાં તેમનું ગ્રહણ તો થઇ જાય, પણ સાથે સાથે ઉણાદિના તૃપ્રત્યયાન્ત પિતૃવિગેરે શબ્દોનું પણ ગ્રહણ થવાનો અનિષ્ટ પ્રસંગ આવે. તો ‘સિદ્ધ સત્યાન્મો નિયમ A) ન્યાયાનુસારે સૂત્રોક્ત તૃ શબ્દથી પિતૃ વિગેરે શબ્દોનું ગ્રહણ ન થતા માત્ર નવૃવિગેરે કેટલાક ઉણાદિ શબ્દોનું જ સૂત્રમાં ગ્રહણ થાય આવો નિયમ કરવા માટે નવૃ વિગેરે શબ્દોનું સૂત્રમાં પૃથગૂ ઉપાદાન કર્યું છે. આમ પિતૃ વિગેરે શબ્દસ્થળે ધુ પ્રત્યય પરમાં આવતા આ સૂત્રથી તેમના નો માર્ આદેશ ન થવાથી પિત્ત, પ્રતિરોવિગેરે પ્રયોગ થશે અને અહીં કરાયેલ વ્યુત્પત્તિપક્ષનો આશ્રય ‘૩ડિસુત્રાનિ નામાનિ' ન્યાયની અનિત્યતાને સૂચવે છે. શંકા - ઉણાદિ નામોમાં વ્યુત્પત્તિપક્ષનો આશ્રય ક્યારે કરાય? અને અવ્યુત્પત્તિપક્ષનો આશ્રય ક્યારે કરાય? આ બન્ને પક્ષો શા કારણે ઊભા થયા છે? સમાધાન - ઈષ્ટપ્રયોગની સિદ્ધિ અને અનિષ્ટપ્રયોગનું વારણ કરવા જ્યારે જે પક્ષનો આશ્રય કરવો હોય તે કરી શકાય છે. અહીં અમે બન્ને પક્ષને ગ્રહણ કરી પ્રાપ્ત થતું ફળ ઉપર દર્શાવ્યું છે. પણ દરેકસ્થળે બન્ને પક્ષને લઇ ફળ બતાવવું જરૂરી નથી. હવે આ બન્ને પક્ષો કેમ ઊભા થયા તે અંગે જાણી લઇએ. ઉણાદિ નામોમાં વ્યુત્પત્તિપક્ષને શાકટાયનવ્યાકરણકાર પાલ્યકીતિ સ્વીકારે છે અને અવ્યુત્પત્તિપક્ષને મહર્ષિ "પાણિનિ’સ્વીકારે છે. તેમાં પાણિનિનામાનેયી (T. સૂ. ૭.૪.૨)' સૂત્રમાં પ્રત્યયની આદિમાં રહેલા ૧, ૨, ૩, ૪ અને ઘર નો અનુક્રમે ગાયન, યૂ ન, અને આદેશ કરવામાં આવ્યો છે. તો અહીં શંકા ઊભી કરવામાં આવી છે કે “શું તમે ઉણાદિ પ્રત્યયોની આદિમાં રહેલાં ૩, ૪ વિગેરેના પણ આ સૂત્રથી છું અને પ વિગેરે આદેશ કરશો? જો “હા” કહેશો તો પર્વ અને પદ્ધ શબ્દસ્થળે પણ ઉણાદિના ૩ અને ૪ પ્રત્યયો હોવાથી તેમના દ્ અને આદેશ કરવાનો પ્રસંગ વર્તતા તમે ગર્વ અને પદ્ધ શબ્દના પ્રયોગ નહીં કરી શકો.”આ શંકાના બીજા અનેક પ્રકારે સમાધાનો આપવાનો પ્રયત્ન કરી છેલ્લે મહાભાષ્યમાં કહ્યું કે ‘તિવિવિજ્ઞાનાર્થે આવત: પળને માવાર્થી સિદ્ધ—પત્રુિત્યનિતિવિનિઅર્થાત્ પ્રકૃતિ-પ્રત્યય રહિત અખંડ પ્રાતિપાદિક (નામ) માનવાના કારણે પાણિનિ ઋષિના મતે આ વાત સિદ્ધ થાય છે કે ઉણાદિ નામો અવ્યુત્પન્ન અર્થાત્ પ્રકૃતિ-પ્રત્યયના ભેદ રહિત હોય છે.' આમ પાણિનિ ઋષિના મતે ઉગાદિનામા અવ્યુત્પન્ન ગણાતા અને પત્ત શબ્દો અખંડ મનાવાથી ત્યાં કોઈ (A) સૂત્રોત તૃ શબ્દથી નવૃવિગેરે નામોનું ગ્રહણ સિદ્ધ હોવા છતાં સૂત્રમાં તેમનો પૃથ ઉપાદાનાત્મક આરંભz શબ્દથી ગ્રહણ કરાતા પિતૃ વિગેરે નામોના નિષેધરૂપ નિયમાર્થે છે.
SR No.023416
Book TitleSiddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Original Sutra AuthorHemchandracharya
AuthorPrashamprabhvijay
PublisherSyadwad Prakashan
Publication Year2012
Total Pages564
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy