SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૬ શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસને જ આ પરિભાષા લાગુ પડશે. બાકી ‘સમાનાનાં તેન ટીર્ઘઃ ૨.૨.૬' જેવા સ્થળો કે જ્યાં સમાનસ્વરોને સાક્ષાત્ સ્થાની બતાવ્યા છે ત્યાં આ પરિભાષા લાગુ નહીં પડે. કેમકે જ્યાં સાક્ષાત્ સ્થાની બતાવ્યા હોય ત્યાં ‘આદેશ સ્વરોના સ્થાને કરવો કે વ્યંજનના સ્થાને ?' આવા અનિયમનો કોઇ પ્રસંગ જ રહેતો નથી. હવે સ્વરોને સ્થાનીરૂપે પ્રાપ્ત કરાવનાર આ પરિભાષા ઉપસ્થિત થયે છતે પ્રદેશોને વિશે અર્થાત્ જ્યાં આ પરિભાષા લાગુ પડે છે એવા ‘વીશ્ત્રિ૦’ વિગેરે સ્થાનોને વિષે બે ષષ્ઠી વિભકિત ઉપસ્થિત થશે. જેમકે ધાતુને(A) આશ્રયીને પ્રવર્તતા ‘વીર્ઘશ્ર્વિ॰' સૂત્રમાં એક ષષ્ઠી ધાતુને અને બીજી ષષ્ઠી પ્રસ્તુત પરિભાષાને આશ્રયીને સ્થાનીરૂપે પ્રાપ્ત થતા સ્વરને લાગુ પડશે. તેમાં બન્ને ષષ્ટયન્ત પૈકી કોને વિશેષણ બનાવવું અને કોને વિશેષ્ય ? એ બાબતમાં કામચાર (= ગ્રંથકારની મરજી) વર્તતા સ્વરો ધાતુને અંતે પણ સંભવતા હોવાથી સ્વર દ્વારા સૂત્રમાં ગ્રહણ કરાતા ધાતુઓ વિશેષિત કરાશે. અર્થાત્ સ્વરને ધાતુના વિશેષણ બનાવાશે. જેથી વિશેષળમન્તઃ ૭.૪.૬૧૩' પરિભાષા મુજબ સ્વર ધાતુનું અંત્ય અવયવ બનતા ‘સ્વરાન્ત ધાતુ’ અર્થ પ્રાપ્ત થાય અને ધાતુની ષષ્ઠીને લઇને ‘પશ્ર્ચાત્ત્વય ૭.૪.૨૦૬’પરિભાષા મુજબ સ્વરાન્ત ધાતુના અંત્ય અવયવ સ્વરનો દીર્ઘ આદેશ પ્રાપ્ત થાય. આમ ચૌયતે વિગેરે ઇષ્ટ સ્થળે સ્વરાંત ત્તિ ધાતુના અંત્ય અવયવ જ્ઞ સ્વરનો ‘વીક્વિ॰' સૂત્રથી દીર્ઘ આદેશ થશે, અને પચ્યતે વિગેરે સ્થળે વ્યંજનાન્ત પણ્ વિગેરે ધાતુઓના સ્વરનો તે સૂત્રથી દીર્ઘ આદેશ નહીં થાય(B). એવી રીતે ‘વિસ્તવે ૨.૪.૨૭’સૂત્રમાં પણ હ્રસ્વ આદેશનો સ્થાની નથી બતાવ્યો. પરંતુ પ્રસ્તુત પરિભાષાથી સ્વર સ્થાનીરૂપે પ્રાપ્ત થશે અને ઉપર મુજબ અહીં પણ સ્વર અને નામ નેં ષષ્ઠી વિભક્તિ થઇ ‘સ્વર’ તેના દ્વારા આક્ષિમ નપુંસકમાં વર્તતા નામનું વિશેષણ બનવાથી વિશેષળમન્તઃ ૭.૪.૬૬રૂ' પરિભાષા મુજબ ‘સ્વરાંત નપુંસકલિંગ નામ’ અર્થ પ્રાપ્ત થશે. પાછું નામ ની ષષ્ઠીને લઇને ‘બચાન્યસ્ય ૭.૪.૨૦૬' પરિભાષાથી સ્વરાંત નપુંસક નામના અંત્ય અવયવ સ્વરનો હ્રસ્વ આદેશ પ્રાપ્ત થશે. તેથી રાયમતિાન્તમ્ = અતિરે અને નાવતિાન્તમ્ = ગતિનો સ્થળે ‘વિનવે ૨.૪.૬૭’સૂત્રથી બન્ને નપુંસક નામના અંત્ય સ્વરનો હ્રસ્વ આદેશ થવાથી તિર અને અતિનું પ્રયોગ સિદ્ધ થઇ શકશે. અહીં જો નામને સ્વરનું (વ્યધિકરણ) વિશેષણ બનાવાત તો ‘વિજ્ઞવે’ સૂત્રનો ‘નપુંસકમાં વર્તતા નામના સ્વરનો હ્રસ્વ આદેશ થાય છે’ આવો અર્થ થાત. જેથી હ્રસ્વ આદેશ પામનાર સ્વર નામના અંતે હોવો જરૂરી ન રહેતા સુવાક્ બ્રાહ્મળામ્ જેવા સ્થળે નપુંસક સુવાર્ ના મધ્યવર્તી સ્વરનો હ્રસ્વ આદેશ થઇ મુવન્ આવો અનિષ્ટ પ્રયોગ થવાનો પ્રસંગ આવત. (A) દ્ધિ, યત્, ય ૢ અને વય (= વર્ષન્, વયડ, વયર્ અને (5)) પ્રત્યયો ધાતુને લાગે છે. માટે રીર્ઘન્નિ' સૂત્ર ધાતુને આશ્રયીને પ્રવર્તે છે તેમ કહ્યું છે. (B) જો ધાતુને સ્વરનું (વ્યધિકરણ) વિશેષણ બનાવાત તો ‘ધાતુના સ્વરનો દીર્ધ આદેશ થાય છે' આવો અર્થ થાત. જેથી પ વિગેરે ધાતુના સ્વરનો પણ દીર્ઘ આદેશ થવાની આપત્તિ આવત.
SR No.023413
Book TitleSiddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 01
Original Sutra AuthorHemchandracharya
AuthorSanyamprabhvijay, Prashamprabhvijay
PublisherSyadwad Prakashan
Publication Year2012
Total Pages484
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy