SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૦ શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન સ્વર માનવાનું પ્રયોજન છે. યદચ્છા શબ્દોની પ્રવૃત્તિમાં કેવળ તેમનું સ્વરૂપ જ કારણ બને છે. તેથી આવા શબ્દોનો નિવર્તક બીજો કોઈ શબ્દ મળતો ન હોવાથી તે શબ્દો સાધુ ગણાય છે. શંકા - શિષ્ટ પ્રયુકત એવો કૃત શબ્દ જ્યાં સુધી મળતો હોય ત્યાં સુધી યદચ્છા પ્રકારના સંજ્ઞાદિ શબ્દ નૃતમાં તેનું જ કલ્પન કરવું ઉચિત ગણાય. તેથી અશાસ્ત્રીય એવો નૃત નહીં પણ તે શબ્દ સાધુ હોવાથી ત્યાં નૃતને બદલે ઋત કલ્પીને ઋતાય રેટિ, તારેહિ એવો પ્રયોગ સમજવો જોઈએ. સમાધાન - એમ કંઇ શાસ્ત્રાવિત એવો ઋતક શબ્દ નૃત શબ્દનું નિવર્તન ન કરી શકે, કારણ ઋત (નિંદક) અને નૃતક (તે નામનો વ્યકિત) બન્નેના અર્થ જુદા છે. સમાન અર્થ જણાતો હોય ત્યારે જ શાસ્ત્રાવિત શબ્દ અશાસ્ત્રાન્વિત શબ્દની નિવૃત્તિ કરી શકે છે. જેમકે – જે અને આવી શબ્દનો અર્થ સરખો છે, તો શાસ્ત્રાન્વિત જો શબ્દ અશાસ્ત્રાન્વિત આવી શબ્દની નિવૃત્તિ કરી શકે. શાસ્ત્રાન્વિત વત્ત શબ્દ અશાસ્ત્રાન્વિત કેવ-વિUT શબ્દની નિવૃત્તિ કરી શકે. નૃતવ શબ્દ જો ઋતવ શબ્દના અર્થમાં જ વપરાયો હોય તો તે ત્રઢતવ શબ્દના અપભ્રંશરૂપે(A) ગણાવાથી અસાધુ શબ્દ ગણાય. કેમકે એકનો એક શબ્દ કોઇક અર્થવિશેષને લઈને સાધુ ગણાય છે, અન્યથા અસાધુ ગણાય છે. જેમકે અશ્વ અને અસ્વ: શબ્દોનો પ્રયોગ કરાતા જો મસ્ત શબ્દ = વિદતે વં ચ વિગ્રહને લઈને ધનના અભાવ” રૂપ અર્થવિશેષમાં વપરાયો હોય તો તે સાધુ ગણાય છે, પરંતુ જો તેઅજાતિને ઓળખાવવા રૂપે વપરાયો હોય તો અસાધુ ગણાય છે. એવી જ રીતે ગાય માટે જોળી શબ્દ ગોણી (= ધાન્યનું ભાજનવિશેષ કે દહીં વલોવવાનું વાસણ વિશેષ) ના સાધર્મ (સમાનતા) ને લઈને જો પ્રયોજાયો હોય તો તે સાધુ ગણાય. પરંતુ ગોત્વ જાતિને નજરમાં રાખી ગાય માટે વપરાયો હોય તો તે અસાધુ ગણાય. પરંતુ યાદચ્છિક સૃત શબ્દ તો તે શબ્દ કરતા ભિન્ન અર્થનો વાચક છે, તેથી ત્રઢતવ શબ્દ સૃત શબ્દની નિવૃત્તિ ન કરી શકે. અથવા તો નૃત વિગેરે યદચ્છા શબ્દો અવ્યુત્પન્ન હોય છે અને શિષ્ટો દ્વારા પ્રયોગ કરાયેલા, પરંપરાથી આવેલા તેમનો સંજ્ઞાશબ્દ રૂપે પ્રયોગ કરવામાં આવે છે. આવી વિગેરે શબ્દો શિષ્ટ પરંપરાથી આવ્યા નથી તેમ સમજવું. (ii) અશકિતના કારણે કોઇએ કરેલા અસાધુ શબ્દપ્રયોગનું અનુકરણ કરવામાં આવે તો ત્યાં અનુકરણ અનુકાર્ય શબ્દાત્મક અર્થનો વાચક બને અને અનકાર્ય (= અસાધુ શબ્દો દ્વારા તે અશકિતના કારણે જે સાધુ શબ્દના બદલામાં બોલાયો હોય તેનો અર્થ જણાવવાનો ઉદ્દેશ હોવાથી બન્ને ભિન્ન અર્થવાળા બનતા જુદા શબ્દો (A) અપભ્રંશ શબ્દો અને યદચ્છા શબ્દોમાં ફરક છે. આવો શબ્દ જો શબ્દની પરંપરામાં એ જ અર્થમાં સ્વરૂપાન્તર પામ્યો છે, તેથી તે અપભ્રંશ શબ્દ કહેવાય. હિન્દુ વિગેરે શબ્દો કોઇ મૂળ શબ્દોના સ્વરૂપાંતર નથી. સાથે તેઓ મૂળથી સંસ્કૃત ભાષાના શબ્દો પણ નથી. લોકમાં સંજ્ઞા માટે તેમનો વ્યવહાર થતો હોવાથી તેમને સંસ્કૃત ભાષામાં સમાવી લેવામાં આવ્યા છે. અહીં ધ્યાનમાં રાખવું કે અમુક શબ્દને અપભ્રંશ શબ્દ ગણાવવો હોય તો તેમાં મૂળ શબ્દનો અર્થ જળવાય તે જરૂરી છે, અન્યથા તે અપભ્રંશ ન ગણાય. નૃતક શબ્દ ઋત શબ્દના અર્થમાં વપરાયો હોય તો જ તેને ત્રકત શબ્દના અપભ્રંશ રૂપ ગણાવી શકાય.
SR No.023413
Book TitleSiddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 01
Original Sutra AuthorHemchandracharya
AuthorSanyamprabhvijay, Prashamprabhvijay
PublisherSyadwad Prakashan
Publication Year2012
Total Pages484
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy