SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ .રૂ9. ૨૭૫ અથવા જે જેનો અનવયવ હોય તે તેની અપેક્ષાએ 'ઇ' સંજ્ઞક થાય છે અને તે અપ્રયોગી હોય છે આ રીતે સૂત્રનો અર્થ થવાથી વર્ગોને ઇત્ સંજ્ઞા અને અનવયવહોવાના કારણે તેમનો અભાવ (લોપ) ઉભયની સિદ્ધિ થઇ જશે. શંકા - સૂત્રમાં ‘અનવયવ” અર્થને બતાવનારુ કોઇ પણ ન હોવાથી તે અર્થને જણાવવા સૂત્રમાં ભેદનો પ્રસંગ આવશે? સમાધાન - ના, અમે સૂત્રનું આ રીતે કથન કરશું – આ સૂત્ર “ગાયોની છે તથા આ પછીનું સૂત્ર ‘મનન્ત: પશ્ચા: પ્રત્ય:' આવું છે. તેને બદલે આ પછીના સૂત્રનાં અનન્ત:' પદને અમે પ્રસ્તુત સૂત્રમાં લેશું. તેથી આ સૂત્ર ‘મપ્રયોવનન્ત: ..૨૭' આવું થશે અને પછીનું સૂત્ર પશ્ચા : પ્રત્યય: ..૨૮' આવું થશે અને આ સૂત્રથી પછીના સૂત્રમાં અનન્તઃ પદની અનુવૃત્તિ જશે. હવે આ સૂત્રમાં વર્તતા અનન્તઃ પદનો અર્થ આવો થશે - તે = કાશ્રીયડસી થ િત મન્તઃ (જે ધર્મી દ્વારા આશ્રય કરાય તે મન્ત) આ વ્યુત્પત્તિ પ્રમાણે મત એટલે ‘અવયવ” કેમકે અવયવી (ધમી) અવયવોને આશ્રયીને રહેતો હોય છે અને ર મન્તઃ = મનન્તઃ નો અર્થ ‘અનવયવ થશે. અને મનુજન્ય:'ન્યાય પ્રમાણે અનુબંધ (ઇન્ સંજ્ઞક વર્ણ) અનવયવ હોય છે. આ વાત આપણે પૂર્વે જોઈ ગયા છીએ. આ અવયવ’ અને ‘અનવયવ’ શબ્દો સંબંધ શબ્દો છે. તેથી તેઓ બીજા સંબંધીશબ્દોને તુલ્ય છે. જેમ સંબંધીશબ્દોમાં માતરિ તિવ્યમ્', ‘પર શુભૂષિતવ્યમ્' કહેવામાં આવે, ત્યાં ‘પોતાની માતા અને પોતાના પિતા' એમ નથી કહેવામાં આવતું, છતાં “માતા” અને “પિતા” સંબંધી શબ્દો હોવાથી આપમેળે જણાઈ આવે છે કે “જે જેની માતા હોય તેની તેણે પૂજા કરવી જોઈએ અને જે જેના પિતા હોય તેમની તેણે સેવા કરવી જોઇએ. તેમ અહીં પણ ‘અનવયવ” શબ્દથી જેના પ્રત્યે જે અનવયવ હોય તેના પ્રત્યે તે ઇત્ સંજ્ઞક થાય છે” આવો અર્થ સ્વાભાવિક રીતે જણાઇ આવશે. અર્થાત્ અનવયવ’ શબ્દ સંબંધીશબ્દ હોવાથી અને તસ્ય શબ્દોનો સ્વાભાવિક લાભ થાય છે. આમ ઇન્ સંજ્ઞક વર્ણ અનવયવ હોવાથી લૌકિક પ્રયોગકાળે તેનો અભાવ (લોપ) સિદ્ધ થઈ જાય છે. શંકા - જો ઇત્ સંસક વર્ણ અનવયવ બનવાથી તેનો લોપ થાય છે તો જવું, વત્થા, જીવતું સ્થળે અને વર્ગોનો લોપ નહીં થઈ શકે. વાત એવી છે કે અહં ૫૫ સ્થળે થયેલો જ પ્રત્યય f૬ વાડજ્યો ૪.રૂ.૧૮ સૂત્રથી વિકલ્પ ત્િ (ા ઈવાળો) છે. એવી રીતે સેવિત્વા સ્થળે સ્વી ૪.રૂ.૨૬' સૂત્રથી થયેલ વિન્ધી પ્રત્યય વિસ્વ નથી થતો. તેમ યિત: અને યિતવા સ્થળે ‘ન ડીશી ૪.૩.૨૭' સૂત્રથી થયેલ સેટ અને વધુ પ્રત્યયો વિત્ નથી. હવે તમે લોપને ઈત્ સંજ્ઞા સાથે જોડો છો. અર્થાત્ વર્ગોને ઇત્ સંજ્ઞા થાય તો તેઓ સમુદાયના અનવયવ થવાથી તેમનો લોપ થાય, આમ તમે બતાવો છો. તો ઉપરોક્ત સ્થળે અને ઈન્ સંજ્ઞક ન હોવાથી તેઓ સમુદાયના અનવયવ ન બનવાથી પV, રેવત્વ, પિતા અને પતવા સ્થળે તેમનો લોપ નહીં થઈ શકે.
SR No.023413
Book TitleSiddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 01
Original Sutra AuthorHemchandracharya
AuthorSanyamprabhvijay, Prashamprabhvijay
PublisherSyadwad Prakashan
Publication Year2012
Total Pages484
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy