SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૪ શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન અથવા બીજી રીતે સંગતિ કરવી હોય તો સૂત્રમાં રૂત્ શબ્દનો એકશેષ નિર્દેશ સમજવો. જેથી ત્ શબ્દ બેવાર પ્રાપ્ત થઈ શકવાથી ઈ વર્ણના લોપની સિદ્ધિ થઈ શકે. તે આ પ્રમાણે – એક રૂ શબ્દનો ઈતિ = ૫/છતીતિ ત અર્થાત્ જે પોતાનું કાર્ય કરીને ચાલ્યો જાય છે' આમ અર્થ સમજવો અને બીજા ત્ શબ્દને સંજ્ઞા શબ્દ સમજવો. જેથી સૂત્રનો આવો અર્થ પ્રાપ્ત થાય કે જે અપ્રયોગીવર્ણ કે વર્ણસમુદાય હોય તે ઈત્' સંજ્ઞક થાય છે અને તે પોતાનું કાર્ય કરી ચાલ્યો જાય છે.' આમ ઇત્ વર્ગોના લોપની સિદ્ધિ થઇ જશે. સૂત્રનો આવો અર્થ પ્રાપ્ત થાય છે માટે જ બ્રવૃત્તિમાં ત્યા/છતીતિ જ્ઞો ભવતિ' આમ લખ્યું છે. અથવા પ્રતિ = પIછતીતિ રૂ સ્થળે જે અયન અર્થાત્ અપગમન (ચાલ્યા જવું / ગેરહાજર રહેવું) અર્થ જણાય છે તેનો અર્થ થાય અભાવ. અભાવ હંમેશા ભાવોપાધિ (ભાવપ્રતિયોગિક) હોય. અર્થાત્ તે કોકને કોક ભાવાત્મક પદાર્થનો સંબંધ હોય. અહીં વ્યાકરણશાસ્ત્ર ચાલતું હોવાથી અને વ્યાકરણનો વિષય શબ્દ હોવાથી ઇત્ સંજ્ઞક શબ્દ જ અભાવના સંબંધી રૂપે પ્રાપ્ત થશે. તેથી સૂત્રનો અર્થ આવો પ્રાપ્ત થશે કે જે અપ્રયોગી વર્ણ કે વર્ણસમુદાય હોય તે 'ઇસંજ્ઞક થાય છે અને તેનો અભાવ (લોપ) થાય છે.') આરીતે પ્રસ્તુત સૂત્રથી વર્ણોનો લોપ સિદ્ધ થાય છે. શંકા - શું સૂત્રમાં બે વાર ગ્રહણ કરેલા ત્ શબ્દ પૈકીના એકને ષષ્ઠયન્ત રૂપે અને બીજાને પ્રથમાન્ત રૂપે તા ત્ (ઇન્વર્ણનો અપગમ થાય છે.) આ પ્રમાણે ગ્રહણ ન કરવો જોઈએ? સમાધાન - ના, તેમ કરવાથી “મિરાહને ધાતુ સ્થળે જ્યાં ઘણાં ઇ વર્ગો છે ત્યાં 'પષ્ટચાન્દસ્થ ૭.૪.૨૦૬' પરિભાષાથી છેલ્લા બે વર્ણનો જ લોપ થવાનો પ્રસંગ આવે. જ્યારે અહીં ‘ ત્' (ઇત્ વર્ણ અપગમને પામે છે) આમ પ્રથમાન્ત નિર્દેશ કર્યો છે, તેથી બધા ઈત્ વર્ગોનો અભાવ (લોપ) થઇ શકે છે. પ્રસ્તુતમાં તંત્રથી પ્રયત્નવિશેષથી) બે ફત્ શબ્દોનો સ્વીકાર કર્યો છે. આમ તો જેમ એકનો એક પ્રજ્વલિત દીવો અનેક છાત્રોને ઉપકાર કરે, તેમ એકનો એક શબ્દ આવૃત્તિ વગર ભિન્ન-ભિન્ન અર્થ બતાવી અનેકને ઉપકાર કરે તેને તંત્ર કહેવાય. પરંતુ પ્રસ્તુતમાં તંત્ર શબ્દનો પ્રયત્નવિશેષ” અર્થમાં વિવક્યો છે. આ તંત્ર દ્વારા અહીં બીજા ફનું ગ્રહણ કર્યું છે એમ સમજવું. શંકા - એક પ્રયત્ન વિશેષથી બે વાર ત્ શબ્દનું ગ્રહણ શી રીતે થઇ શકે? સમાધાન - જેમ વેતો બાવતિ' આ એક જ પ્રયત્ન દ્વારા “શ્વેતો બાવત્તિ(શ્વેતવર્ણો દોડે છે.)અને ‘શ્વા તો બાવતિ' (કૂતરો અહીંથી દોડે છે.) આમ બે વાક્યો પ્રાપ્ત થઈ શકે છે, તેમ અહીં પણ સૂત્રમાં એક જ વાર શબ્દ માટે પ્રયત્ન કરવા છતાં બે ત્ શબ્દ પ્રાપ્ત થાય છે. (A) અર્થાયવોથેચ્છા આ સહુથારદ તY (T.. ૨૭.ર૭ મી.માધ્યમની દ્યોત્ત:)
SR No.023413
Book TitleSiddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 01
Original Sutra AuthorHemchandracharya
AuthorSanyamprabhvijay, Prashamprabhvijay
PublisherSyadwad Prakashan
Publication Year2012
Total Pages484
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy