SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસનું (3) ‘અન્યત્યનેન વન્’ વ્યુત્પત્તિ મુજબ જેના દ્વારા વર્ગોનો ક્ષેપ કરવામાં આવે તેને ‘આસ્ય’ કહેવાય. અહીં પારિભાષિક આસ્ય ન લેતા લૌકિક ગ્રહણ કર્યું હોવાથી તે પશુ, અપત્ય, દેવતા આદિની જેમ પ્રસિદ્ધ છે. આથી બુ. વૃત્તિમાં કહે છે કે ‘હોંઠથી માંડીને કાકલી^) (કંઠમણિ) ની પહેલા સુધીના મુખને આસ્ય કહેવાય.’ ગળામાં જે થોડો ઉપસેલો ભાગ હોય છે તેને કાકલી કહેવાય છે. ૧૧૪ શંકા :- આસ્તે મવમ્ વ્યુત્પત્તિ મુજબ ‘વિવિ૦ ૬.રૂ.૨૨૪' સૂત્રથી આસ્ય શબ્દને તદ્ધિતનો ય પ્રત્યય લાગી ‘અવળેવર્ગસ્થ ૭.૪.૬૮' સૂત્રથી ઞસ્ય ના ૪ નો લોપ અને ‘વ્યજ્ઞનાત્ પ૪૦ ૧.રૂ.૪૭' સૂત્રથી ય્ નો લોપ થતા ફરી ઞસ્ય શબ્દ બને છે. આમ આલ્યે મવમ્ વ્યુત્પત્તિ મુજબ મુખ, અંતર્વર્તી તાલુ વિગેરે સ્થાનો પણ લૌકિક આાસ્યસંજ્ઞાને પામશે. સમાધાન :- ના, નહીં પામે. કેમકે તાલુ વિગેરે સ્થાનો ‘આસ્ચે મવમ્’ યોગ (વ્યુત્પત્તિ) મુજબ આસ્વ શબ્દથી વાચ્ય બનતા હોવાથી તેમની આસ્ય શબ્દ દ્વારા ઝડપી પ્રતીતિ નથી થતી. તેથી તેઓ આસ્ય શબ્દના વાચ્ય રૂપે અપ્રસિદ્ધ છે. જ્યારે હોઠથી કાકલી સુધીના મુખ અર્થમાં આસ્ય શબ્દ રૂઢ છે. ‘યોર્ હેર્વતીયસ્ત્વમ્' ન્યાય મુજબ યૌગિક અર્થ (વ્યુત્પત્યર્થ) કરતા રૂઢયર્થ બળવાન બને. તેથી અહીં અસ્ય શબ્દ મુખ અર્થમાં જ વર્તશે, તાલુ વિગેરે અર્થમાં નહીં. આથી જ સૂત્રમાં આસ્ય શબ્દની પૂર્વે સ્થાન શબ્દનું ગ્રહણ કર્યું છે. બાકી ગાસ્ય શબ્દથી જ જો તાલુ વિગેરે સ્થાનોનું ગ્રહણ થતું હોત તો સૂત્રમાં તેમના ગ્રહણાર્થે સ્થાન શબ્દ મૂકવો નિરર્થક થાત. (4) આસ્યમાં થતો વર્ણને અનુકૂળ એનો આંતરિક સંરંભ (યત્નવિશેષ) તે સ્વપ્રયત્ન કહેવાય. તે ‘૪’ પ્રકારનો છે ઃ (૧) સ્પષ્ટતા (૨) ઇષત્કૃષ્ટતા (૩) વિવૃતતા અને (૪) ઇષદ્ વિવૃતતા.(B) શંકા :- સૃષ્ટસ્થ ભાવ: પૃષ્ટતા, સા વિર્યસ્ત્ર=દૃષ્ટતાવિઃ, અહીં સ્પષ્ટતાદિ ચારને પ્રયત્ન રૂપે બતાવ્યા છે. પરંતુ સૃષ્ટાદિ તો કરણ છે (અર્થાત્ ર્સ્પષ્ટતાદિ તો કરણના ધર્મ છે.) જેમકે જીભના મૂળ, મધ્યભાગ, અગ્રભાગ અને ઉપાગ્રભાગ રૂપ ચારે કરણ જો કંઠાદિ તે તે સ્થાનોને કાંઇક સ્પર્શે, ઘણા સ્પર્શે, દૂર રહે કે સ્પર્થા વિના નજીક રહે તો તે તે વર્ણોની ઉત્પત્તિ થતી હોય છે. તેથી સ્પષ્ટ, ઇષÍષ્ટ વિગેરે રૂપે તો આ ચાર કરણ હોય છે. અથવા સ્પષ્ટતાદિ વર્ણના ધર્મ છે. કેમકે વર્ણ પણ પોતાના પરિણામ (= ભાષા વર્ગણાના પુદ્ગલમાંથી શબ્દ રૂપે પરિણામ પામવું) અને આલંબનની બાબતમાં કંઠાદિ સ્થાન અને જીભના મૂળ વિગેરે કરણ વડે તે તે રીતે સ્પર્શાય છે. જેમકે કહ્યું છે કે ‘TM થી મ સુધીના સ્પશ વ્યંજન અને યમ રૂપ વર્ણને ઉત્પન્ન કરનાર વાયુ (A) ાિ શબ્દ આમ બન્યો છે * ત્ + ગર્ = hl, * ત્ + વપ્ કે ળ = તજ, * રૂપવું ના = ાવન । અહીં ‘અલ્પે રૂ.૨.૬૩૬' સૂત્રથી જ આદેશ થયો છે. (B) લઘુન્યાસમાં આ ચારે શબ્દની વ્યુત્પત્તિ બતાવી છે, તે ત્યાં જ જોઇ લેવી.
SR No.023413
Book TitleSiddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 01
Original Sutra AuthorHemchandracharya
AuthorSanyamprabhvijay, Prashamprabhvijay
PublisherSyadwad Prakashan
Publication Year2012
Total Pages484
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy