SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ ૨..૨૬ ૧૦૫. શંકા - એ ન્યાયથી ‘’ અને ‘)(' ને વર્ણરૂપે સિદ્ધ કરશો તો જૂનો લોપ પણ ના આદેશરૂપ હોવાથી લોપ” ને પણ વર્ણ માનવો પડશે. સમાધાન - એમ કાંઇ લોપને વર્ણન માની શકાય, કારણ લોપ તો અભાવ સ્વરૂપ છે અને અભાવ કદાપિ ભાવનો આશ્રય ન બને. જો તેમ માનીએ તો ઘટાભાવમાં પટ (ભાવપદાર્થ) રહે છે આવું માનવાનો અતિપ્રસંગ (અતિવ્યામિ) દોષ આવે. આશ્રય-આશ્રયીભાવ ભાવાત્મક વસ્તુમાં હોય. જેમકે ઘટમાં જળ. =' અને 'ઈ' કાંઈ અભાવ સ્વરૂપ નથી, પરંતુ સૂનો ભાવાત્મક આદેશ છે. માટે વર્ણસમાપ્નાયમાં નહીં દર્શાવેલા પણ તેઓ વર્ણ રૂપે મનાય છે. આ વાત સૂત્રોક્ત બહુવચનથી સૂચવવામાં આવી છે. અહીં ધ્યાન રાખવું કે સૂત્રોકત બહુવચન' અને (એ વર્ણ છે? આ વાતનો કેવળ અનુવાદ (લોકપ્રસિદ્ધ વાતનું પુનઃકથન) કરે છે, પરંતુ તેમને વર્ણરૂપે સિદ્ધ નથી કરતું. અર્થાત્ તે અનુવાદક છે, પ્રાપક નહીં. આશય એ છે કે “ અને ')' ને અભાવ રૂપે સ્વીકારીએ તો અભાવરૂપ તેઓ ભાવાત્મક એકત્વત્વિ-બહુત્વ વિગેરે સંખ્યાનો આશ્રય શી રીતે બની શકે ? અર્થાત્ ન બની શકે. કારણ અભાવ એ કોઇ સત્ વસ્તુ નથી પરંતુ અસત્ છે, માટે તે કોઈનો આધારન બની શકે. આશ્રય-આશ્રયીભાવતો ભાવાત્મક પદાર્થો વચ્ચે જ ઘટી શકે. આમ –' અને 'C' ને ભાવાત્મક પદાર્થ જ માનવા જોઈએ. જેથી એકત્વ વિગેરે સંખ્યાના આશ્રય બનતા તેમને એકવચન, દ્વિવચન આદિ થઇ શકે. આમ ભાવપદાર્થ અને )( એકત્વાદિ સંખ્યાના આશ્રય બનતા હોવાથી જ સૂત્રમાં ‘અંગ:)(પાસા:' આમ બહુવચન કરી તેમનું વર્ણત્વ સૂચિત કર્યું છે. શંકા - જો પૂર્વે કહ્યું તેમ બહુવચન સૂચક જ બનતું હોય પણ વિધાયક ન બનતું હોય તો કેમ ‘મોન્તા: સ્વર: ૧.૨.૪' સૂત્રમાં બહુવચનને સ્વરસંશાના વિષયમાં ડુતવર્ગોના ગ્રાહક રૂપે બતાવ્યું છે? સમાધાન - હસ્વવર્ણ જ માત્રાની વૃદ્ધિને લઈને પ્લત બને છે. અર્થાત્ હ્રસ્વ વિગેરે વર્ણને જ જો ત્રણ માત્રા જેટલા લંબાવવામાં આવે તો તે ડુત ગણાય છે. તેથી હસ્વ વર્ણને સ્વર સંજ્ઞા થવાથી ડુતને પણ તે સિદ્ધ જ છે. આમ ‘ગોન્તા. સ્વર:' સૂત્રમાં પણ બહુવચન પ્લત વર્ગોની સ્વરસંજ્ઞાના સૂચક રૂપે જ છે. અર્થાત્ ત્યાં પરપ્રહાર્થ નો અર્થ સૂચનાર્થ કરવો. શંકા - એમ તો દીર્ધ વર્ગો પર હસ્વ વર્ગોની માત્રાની વૃદ્ધિને લઈને જ બને છે. તેથી હ્રસ્વ વર્ગોને સ્વરસંજ્ઞા થવાથી દીર્ધ વર્ગોને પણ તે સ્વયં સિદ્ધ જ છે. તો શા માટે વર્ણસમાસ્નાયમાં દીર્ધ વર્ગોનો પાઠ દર્શાવ્યો છે? જે દીર્ધનો બતાવ્યો છે તો હુતનો પણ દર્શાવવો જોઈએ. સમાધાનઃ-ડુતવર્ગોનો વર્ણસમાપ્નાયમાં પાઠ એટલા માટે નથી દર્શાવ્યો, કેમકે તેઓ અલ્પવિષયવાળા (બહું ઓછો પ્રયોગ થતા હોય તેવા) છે આ વાતનું જ્ઞાપન કરવું છે અને દીર્ઘ વર્ણો પ્રચૂર વિષયવાળા છે માટે
SR No.023413
Book TitleSiddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 01
Original Sutra AuthorHemchandracharya
AuthorSanyamprabhvijay, Prashamprabhvijay
PublisherSyadwad Prakashan
Publication Year2012
Total Pages484
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy