SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ સિદ્ધાંત દિવાકર ગચ્છાધિપતિ પ.પૂ.આ.ભ. શ્રીમદ્ વિજ્ય જ્યઘોષસૂરીશ્વરજી મ.સા.ની હદયોમિ... પ્રભુએ ગણધર દેવો દ્વારા શાસ્ત્રોની રચના કરાવી છે કારણ કે પદાર્થો- તત્ત્વોનું જ્ઞાન વ્યવહારમાં શબ્દો દ્વારા પ્રવર્તે છે. આ તત્ત્વજ્ઞાન અનેક વિષયોમાં વિભાજિત છે. તેથી સદ્ભાવનાઓ માટે, વૈરાગ્ય માટે, આત્મ જાગૃતિ માટે, ગુણ અને ગુણીજનો પર બહુમાન માટે, દાનાદિ મહાત્મ્યના ભાવન માટે, કષાય-વિષયોની ભયંકરતાના ભાવન માટે આવા અનેક વિષયોના તે તે વિષયોના સ્વરુપ, હેતુ, ફળ વગેરે જણાવનાર એક સ્થળે કે ભિન્ન ભિન્ન સ્થળે અનેક વ્યક્તિઓએ રચેલા નિયતશબ્દો રુપી શ્લોકોનો ચિંતન-મનન-ભાવન માટે મુખપાઠ અતિ આવશ્યક છે. માટે આત્માના દોષોના નિગ્રહ માટે, ગુણોની પ્રાપ્તિ માટે, આચારની દઢતા માટે, વારંવાર ભાવના કરવા-વિચારણા કરવા, આત્માને તે તે લક્ષ્ય માટે જાગૃત કરવા-જાગૃત રાખવા શ્લોકોના સંગ્રહ રુપ આ કુલકોના નામથી તે તે વિષયના નાના ગ્રંથો, પ્રકરણો મહાપુરુષોએ બનાવ્યા છે, તે શ્લોકો-ગાથાઓ મુખ પાઠ કરવી, અર્થ વાંચવા, વિચારવા અને અર્થની સ્મૃતિ સાથે ગાથાઓનું પુનઃ પુનઃ પરાવર્તન-સ્મરણ કરવું. તેથી આત્મામાં તે તે ગુણોની પ્રાપ્તિની જિજ્ઞાસા, રુચી, પ્રવૃત્તિ રુઢ થાય છે અને તે તે દોષો પ્રત્યે ઘૃણા-અરુચી-ત્યાગની પ્રવૃત્તિ સહજ પ્રવર્તે છે. માટે આ કુલકો આચાર ગ્રંથો, ભાવના ગ્રંથો, અધ્યાત્મ ગ્રંથોના અંશો રુપ છે. આને ગોખવાથી-પાઠ કરવાથી અંતર્મુખ-અધ્યાત્મરસિક-આચાર રુચીવાળા જીવોને ઘણો જ લાભ થશે. માટે મહાજ્ઞાનીથી માંડીને અભણ જેવા બધાને આ મુખપાઠ કરી ભાવના, પરાવર્તન કરવા ભલામણ છે. આ રીતે ગુજરાતી દુહારુપે ટૂંકમાં આવા ભાવોના સંગ્રહની રચનાઓ પ્રકાશિત થાય તે પણ અતિ જરુરી છે. વિજય જયઘોષસૂરિ વિ.સં. ૨૦૬૨, નૂતનવર્ષ શ્રી ચિંતામણિ જૈન દેરાસર, પાર્લા (ઇસ્ટ), મુંબઇ.
SR No.023400
Book TitleKulak Samucchay
Original Sutra AuthorN/A
AuthorPrashantvallabhvijay
PublisherDivya Darshan Trust
Publication Year2006
Total Pages158
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy