SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ પંચસૂત્ર ૨૪ પહેલું સૂત્ર આ હેતુ ઉત્તમ હોવાથી સર્વોત્તમ છે. આ ભાવના વધતી વધતી જ્યારે ઉત્કૃષ્ટ બને છે ત્યારે તીર્થંકર નામકર્મ બંધાય છે. આથી તીર્થંકર નામકર્મરૂપ પુણ્યસમૂહ પુણ્યબંધના સર્વોત્તમ હેતુના ઉત્કર્ષથી બંધાયેલ છે. આમ ભગવાન સર્વોત્તમ પુણ્યસમૂહવાળા છે.). ક્ષીણ રાગ-દ્વેષ-મોહ– અભિવંગ રૂ૫ રાગ, અપ્રીતિરૂપ દ્વેષ અને અજ્ઞાનરૂપ મોહ આ ત્રણ દોષો જેમના ક્ષીણ થઇ ગયા છે એવા છે. અચિંત્ય ચિંતામણિ– ચિંતામણિ ચિંતવેલું જ આપે છે, જ્યારે ભગવાન તો નહિ ચિંતવેલા એવા મોક્ષને કરનારા (=આપનારા) હોવાથી ભગવાન અચિંત્ય ચિંતામણિ છે. ભવસમુદ્ર વહાણ- વહાણની જેમ ભગવાન સંસારરૂપ સમુદ્રના પારને પમાડનારા હોવાથી ભગવાન ભવસમુદ્રવહાણ છે. એકાંત શરણ્ય- સર્વ આશ્રિતોનું હિત કરનારા હોવાથી ભગવાન એકાંત શરણ્ય છે, એટલે કે એકાંતે શરણ કરવા લાયક છે. (રાજા વગેરેનું શરણ સ્વીકારવામાં આવે તો તે બધાનું હિત કરે જ એવો નિયમ નથી. જ્યારે અરિહંત પરમાત્મા તો જે કોઇ એમના શરણે જાય તે બધાનું અવશ્ય હિત કરે છે.) અરિહંત- અશોકવૃક્ષ વગેરે આઠ મહાપ્રાતિહાર્ય રૂ૫ પૂજાને યોગ્ય છે માટે ભગવાન અરિહંત છે. ભગવાન– સમગ્ર ઐશ્વર્ય વગેરે ગુણોથી યુક્ત હોવાથી પરમાત્મા ભગવાન કહેવાય છે. જીવન પર્યત જીવન પર્યત એટલે જીવન હોય ત્યાં સુધી. અહીં “જીવન હોય ત્યાં સુધી એમ કાલનું પરિમાણ કર્યું છે. કેમ કે કાલનું પરિમાણ ન હોય તો જીવન પૂર્ણ થયા પછી પ્રતિજ્ઞાનો ભંગ થાય. જીવન પૂર્ણ થયા પછી શરણ કરવાની જરૂર નથી માટે કાલનું પરિમાણ કર્યું છે એવું નથી. કેમ કે જીવન પૂર્ણ થયા પછી પણ ફરી મર્યાદા રાખીને પ્રસ્તુત શરણ ઇષ્ટ છેઃકરવું જરૂરી છે. આવા અરિહંતો જીવનપર્યત મારું શરણ છે મારો આશ્રય છે. ૬. સિદ્ધોના શરણનો સ્વીકાર दहा रहीणचरमरण, अवेअनाकलंका, ૧. સમગ્ર એશ્વર્ય વગેરે ગુસ્સો આ જે ગ્રંથમાં પેજ ને. ૧રની ટીપ્પણીમાં જણાવ્યા છે.
SR No.023399
Book TitlePanch Sutram
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2004
Total Pages194
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy