SearchBrowseAboutContactDonate
Page Preview
Page 981
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૦૨] - [ શારદા શિરેમણિ મુદ્દામાલ ઘર ભેગો કરી દીધું અને પેઢી પર નિખિલના પિતાના નામનું જ પાટિયું હતું તે પણ કાઢી નાખ્યું. લાખોની મૂડી હજમ કરી જનાર મામાએ બધાને એવી વાત કરી કે નિખિલના પિતા કેટલા કરજદાર હતા. તેમનું બધું દેવું મેં ચૂકતે કરી દીધું છે. તેમની બધી મૂડી સાફ થઈ ગઈ. નિખિલને તેના પિતાનો એક પૈસો ન બતાવ્યા. હવે તે નિખિલ જમવા બેસે તે પણ વેરેવં થવા લાગ્યો. મામી રેજ કકળાટ કરવા લાગી. નિખિલને કાંઈ કહીએ તો સામે થઈ જાય છે. જેમ તેમ બેલવા લાગી. એક દિવસ નિખિલને કહે છે કે અમારે ત્યાં રહી ખાઈપીને અલમસ્ત થયો છે અને અમારા સામો થઈ જાય છે. ઘરબાર નીકળી જા. મામા મામીએ નિખિલને બહાર કાઢ્યા. નિખિલે મામા સામે કરેલો કેસ : નિખિલ હજુ ૧૮ વર્ષને હતે. ભણવામાં ખૂબ હોંશિયાર હતે. પિતાની પાસે તે પૈસે છે નહિ પણ લેકની રહેમ દષ્ટિ ખૂબ હતી. તેને ભણવામાં સકેલરશીપ મળતી અને ટયુસન કરતે. તે રીતે પિતાની આજીવિકામાં વાંધો આવતે ન હતા. તે ૨૦ વર્ષનો થયો. હવે તેને પોતાની સ્થિતિને બધે ખ્યાલ આવી ગયું. તે હોંશિયાર અને ભણેલે હતું. તેણે વકીલની સલાહ લીધી. મામા સામે કેસ કર્યો. નિખિલના પક્ષમાં જામીન રહેનારા ૨૦-૨૫ ઊભા થયા જ્યારે મામાના પક્ષમાં કઈ ન હતું, નિખિલનું પુણ્ય જેર કરતું હતું અને મામાના પાપને ઘડો ભરાઈ ગયો હતો. નિખિલ વેરને બદલે લેવા તલસી રહ્યો હતો. મામાએ પિતાની જે દશા કરી લાખોની મૂડી પચાવી પાડી છે એમને બરાબર બોધપાઠ આપ જોઈએ. જેથી બીજા પણ આવું કરતાં અટકી જાય, છેવટે મામા જેલમાં જાય એ સ્થિતિ આવી ગઈ. બીજાની પાયમાલી કરી જે સંપત્તિ મેળવી હોય તે કેટલે ટાઈમ ટકી શકે ? કહેવાય છે કે અનીતિનું ધન વધુ ૧૦ વર્ષ સુધી રહે અને પછી જાય ત્યારે પિતાની મૂડી પણ સાથે લઈને જાય. ખાસ કામ છે માટે મારે જવું જોઈએ. એક વાર નિખિલ મામાના ઘર પાસેથી નીકળ્યો. તેણે મામાના ઘર સામે નજર કરી તે બધાના મુખ ઉદાસ થઈ ગયા છે, આથી નિખિલને આનંદ છે. મામાના કેસનો કાલે ચુકાદો આવવાને છે. ચુકાદામાં તેમને જેલ મળવાની છે. તેના આગલા દિવસે નિખિલને રસ્તામાં એક સંત ભેટી ગયા. નિખિલ કલેજમાં ભણતો હતો ત્યારે આ મુનિને પરિચય થયેલ. ત્યાગી, તપસ્વી, ક્ષમામૂતિ આ મુનિના જીવનથી તે ખૂબ પ્રભાવિત બન્યા હતા. સંતને જોતાં નિખિલે વંદન કર્યા. ગુરૂદેવ ! આપ અહીં પધાર્યા છે? હા. નિખિલ! મારે તારું ખાસ કામ છે માટે તું ઉપાશ્રયે આવજે. “ખાસ કામ” એ શબ્દ આજે જાણે જુદી રીતે બોલ્યા હોય એવું દેખાતું હતું. સંત ઉપાશ્રયે ગયા. નિખિલ ઘેર આવ્યો. તેના મનમાં થયું કે સાધુને ખાસ કામ ન હોય છતાં આજે ગુરૂએ મને કહ્યું કે નિખિલ ! મારે તારું ખાસ કામ છે માટે તું જેમ બને તેમ વહેલો આવજે, તે માટે આજે જ જવું જોઈએ. સંતની શિખામણ સાંભળતે નિખિલ : નિખિલ ઉપાશ્રયે ગયો ત્યારે સંત
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy