SearchBrowseAboutContactDonate
Page Preview
Page 962
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શિરોમણિ ] [ ૮૮૩ વાત કરી. શ્રીદેવી પર તેના પતિને ઘણેા સ્નેહ હતા. તે ઘણી વાર પત્નીનું ઉપરાણું લેને પણ આજે માતાની ચઢવણીથી ચઢી ગયા. હાથમાં જોરદાર લાકડી લઇને શ્રીદેવીના માથા ઉપર નિયપણે પ્રહાર કરવા લાગ્યા. ધડાક ! ધડાક ! ક્રોધાવેશમાં પતિ ભાન ભૂલી ગયા કે આ હું કાને મારી રહ્યો છું. અતિ પડતા મારના અવાજથી લોકો ભેગા થઈ ગયા. લાકડીએના ઘા વાગતા માથામાંથી તે લેહીની ધાર થવા લાગી. શ્રીદેવી બેભાન થઈ ગઈ. દવા, ઉપચાર કરતાં ભાનમાં આવી ત્યારે મેલી, બાપુજી ! મેં ચેરી કરી નથી. કચરા વાળતા મારા હાથમાં આવી છે. પતિ કહે-હવે તું મારા ઘરમાં જોઈતી નથી. આ વાત ફેલાતા શ્રીદેવીના માતાપિતાને ખખર મળી. બધા કામ પડતા મૂકીને તેએ શ્રીદેવી પાસે દોડી આવ્યા. દીકરીની આ સ્થિતિ જોતાં માબાપ રડવા લાગ્યા. પેાતાની વહાલસેાયી લાડીલી દીકરીની આ સ્થિતિ જોતાં આધાત લાગે એ સહજ છે. માબાપ કહે-દીકરી! અમે તને તેડવા આવ્યા છીએ. શ્રીદેવી કહે-ખાપુજી ! આપ શા માટે તેડવા આવ્યા છે ? ઘર છે તે વાસણ ખખડે. એમાં શું થઈ ગયું ? બાપુજીની વીટી ખાવાઈ ગઈ હતી એટલે જરા ઊંચુ નીચુ થઈ ગયુ. એટા! તારી વાત ઠીક છે પણ તારા માથામાંથી તેા હજુ લાહી નીકળે છે. બેભાન થઈ ગઈ હતી છતાં તું કહે છે કે મને કાંઈ થયું નથી. "" શ્રીદેવી કહે–પિતાજી! એમાં કોઈના દોષ નથી. દોષ માત્ર મારા કર્મોના છે. આપે ઘણી વાર સાંભળ્યુ છે કે ઢાળ માળ ન મેલ અસ્થિ’કરેલા કર્યાં ભાગળ્યા સિવાય છૂટકારો નથી. સ`સાર છેાડીને સયમી અને તેા પણ એને કર્યાં ભોગવવા પડે છે. તમે શા માટે આવું માના છે ? છેવટે માબાપ શ્રીદેવીને દવા કરાવવા ઘેર લઈ ગયા. દુઃખની ઝડી વરસાવનાર પ્રત્યે પણ શુભ ભાવના : આ બધું બન્યું ત્યારે આય બીલની એળીના આઠમા દિવસ હતા. શ્રીદેવીએ એળી કરી હતી. છેલ્લા દિવસે તેને ઉપવાસ હતા, તેથી પૌષધ લઈ ને બેસી ગઈ. પ્રભુને પ્રાથના કરે છે હે પ્રભુ! મેં જે કર્યાં કર્યાં છે તે હું સમભાવે ભેાગવી લઈશ પણ મારા નિમિત્તે ખીજા જીવાને કમ્ ખાંધવા પડે એવુ ન કરીશ. સાસુએ, પતિએ આટલુ કષ્ટ આપ્યું છતાં મનમાં એવે વિચાર નથી આવતા કે મને આ બધાએ આટલું દુખ આપ્યું. તે તે એ વિચાર કરે છે કે મારા કારણે બીજા જીવાને કર્યાં બધાય છે. મારા સાસુ તે। મારા કારણે રાજ કર્યાં ખાંધે છે. તે કમે† બાંધતા અટકી જાય. તેમના જીવનમાં સદ્ગુદ્ધિ આવે. મારે બીજુ કાંઈ જોઈતુ નથી. પ્રભુ! હું આપની પાસે આ એક માંગણી કરું છું. આટલા દુઃખમાં પશુ કોઇના દોષ ન જોવા એ કેટલી ઉત્તમ ભાવના ! તેણે તે મૌન પૌષધ કર્યાં હતા. આખા દિવસ સતત નવકારમંત્રના જાપ કર્યાં. તેના પ્રભાવ એવા પડયા કે સાસુનું હૃદય પલ્ટાઈ ગયું. સહનશીલતાએ સહુના પલ્ટાવેલા દિલ : સાસુજી તરત ઉઠયા અને શ્રીદેવીના પિયર આવ્યા. શ્રીદેવી પાસે જઈને કહે છે દેવી ! તું તેા ખરેખર દેવી છે.
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy