SearchBrowseAboutContactDonate
Page Preview
Page 900
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શામણિ ] [ ૮૨૧ ખાટુ' જેવુ' ઓલીએ તેની અસર ખીજાને થાય છે અને બીજા ખેલે તેા તેની અસર આપણને થાય છે. સારુ ખેલીએ તેા બીજાને આનંદ થાય, એના મનના ઉકળાટ શાંત થાય અને ખરાબ ખેલીએ તેા સામા જીવાને દુઃખ થાય, કષાય આવે. નિર્દોષને ગુનેગાર ઠરાવવા અને ગુનેગારને નિર્દોષ ઠરાવવા આ કામ વાણીનું છે. અસમાધિવાળાને સમાધિ અને સમાધિવાળાને અસમાધિ કરવાનુ કામ પણ વાણી કરી શકે છે. ધરતી પર પાણી પડવાથી જે જગલેા ઊભા થઈ જાય છે તે જગલા ઘણી વાર એટલા ગીચ હોય છે કે માનવી ત્યાં ભૂલા પડી જાય છે. સાચી દિશા તેને સૂઝતી નથી તેમ વાણીને જેમ તેમ ઉપયેગ કરીએ, જરૂર વિના એલખેલ કરીએ, ધ કથાને બદલે વિકથાઓ કરીએ, સામાના દિલમાં આધાત પહેાંચે તેવી વાણી બોલીએ તે તેનાથી કર્મ ખંધાય છે, પછી તે આત્મા ચાર ગતિ રૂપ સંસારના જંગલમાં ભૂલા પડી જાય છે અને આ ભવમાં પણ ઉપયાગ રહિત વાણી ખેલવાથી કેટલાય સંઘર્ષો પેદા થાય છે, બગીચામાં માનવી જઈને બેસે તેા તેના દિલના ઉકળાટ શાંત થાય છે. તેને તાજગીનેા પ્રસન્નતાના અને સુગધને અનુભવ થાય છે. જ'ગલમાં જવાનુ` કોઈને મન થતું નથી, કારણ કે ત્યાં પ્રસન્નતા મળતી નથી. કદાચ જો ત્યાં ભૂલા પડી ગયા તે એમ થશે કે અહી'થી જલ્દી બહાર નીકળી જાઉ તેા સારું. બગીચામાં જવાનુ` નાના મોટા સૌને ગમે છે. ત્યાં ગયા પછી ત્યાંથી ઉઠવાનું મન થતું નથી. જાણે અહી બેસી રહીએ એવુ થાય છે. આ જ રીતે જેની વાણી મીઠી,હિતકારક અને કોમળ છે તેની પાસે આવનારને શીતળતા મળે છે. અશાંત હૃદયને શાંતિ મળે છે. જે આત્મા વાણીનો ગમે તે રીતે ઉપયોગ કરે છે, કશ, કઠોર અને સામાને દુઃખકારક વાણી એલે છે તેની પાસે જવાનુ` કાઈને મન થતું નથી. કદાચ એવા આત્મા પાસે જવું પડયું હાય તા ત્યાંથી જલ્દી છૂટી જવાનુ મન થાય છે. જે આત્મા પાસે વાણીના ઉપયેગ કરવાના વિવેક છે તેની પાસે જવાનુ` સૌ ઇચ્છે છે. બધાને તેની પાસે જવાનું મન થાય છે. ગયા પછી તેની પાસેથી ઉઠવાનું મન થતું નથી. કશ, કટુ વાણી માનવીના હૈયામાં અશાંતિ, દુઃખ ઊભા કરે છે.. કાઢે લાખડના કાંટા, ક્ષણિક દુઃખ ઉપજે, કટુ વાણી તણા કાંટા, જન્માવે વૈર ને ભય. લાખડની ખીલી કે કાંઈ વાગ્યુ હાય તે તે ન નીકળે ત્યાં સુધી દુઃખ કરે પણ નીકળી ગયા પછી થોડા સમયમાં સારુ થઈ જાય છે પણ કટુવાણી રૂપી કાંટા તા એકબીજા સાથે વેર અને ભય ઉત્પન્ન કરાવે છે માટે વાણીના ખૂબ કટ્રોલ રાખવાની જરૂર છે. એના સદુપયોગ માટે માળી બનીને વાણીના વિવેકથી ઉપયાગ કરીશું તે જીવન જરૂર બગીચા જેવુ' મની જશે. આ જીવનને વન નહિ બનાવતા જ નંદનવન બનાવવુ હોય તા વાણીના સદુપયેાગ કરતા શીખેા. મહાન પુણ્યાયે આ વચન શક્તિ મળી છે તે
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy