SearchBrowseAboutContactDonate
Page Preview
Page 898
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શિરોમણિ ] [૮૧૯ નિદાખોર હતો. તેને નિંદા કુથલી કરવી બહુ ગમે છે. તેને ધંધે કે નોકરી કરવી ગમતી નથી. આવા માણસના સંગથી દૂર રહેવું સારું છે. વિચારે શુભ તે મન સત્વશીલ : આ વાત આપણે સમજવી છે. આપણું મન એ દુકાન છે. જેને સંગ સારો નથી, વિચારે સારા નથી તેને દુકાનમાં પેસવા દેતા નથી, તેને દુકાન ઉપરથી ઉતારી મૂકે છે તે અશુભ વિચારોને મનમાં પેસવા દેવાય ખરા ? જે દુર્ગણી માણસે દુકાનમાં પેસી જાય અને ધંધામાં નુકશાન થાય તે આ ભવ પૂરતું થશે પણ મન રૂપી દુકાનમાં જે દુષ્ટ, ખરાબ વિચારો પિસી ગયા તે આ ભવ બગાડશે ને બીજા ભાવ પણ બગાડશે માટે અશુભ વિચાર મનમાં પેસી ન જાય તે માટે ખૂબ સાવધાની રાખવાની છે. જે એક અશુભ વિચારને પેસવા દીધો તો પછી બીજે આવવાનો છે. સારા વિચારોથી મન સાત્વિક બને છે અને ખરાબ વિચારથી મન નિ:સત્વ બને છે. એક વાર જે ખરાબ, અશુભ વિચારથી મન નિઃસત્વ બની ગયું પછી એને સારા વિચારમાં રમતું કરવું એ ઘણું દુઃશકય છે. આ મનમાં કચરા જેવા એટલા બધા નકામાં વિચારે ખડકયા છે કે જેથી મને એક પણ સારે વિચાર કરી શકતું નથી. કયારેક કઈ સારું નિમિત્ત મળી જાય તે શુભ વિચાર આવે છે પણ તે લાંબા સમય સુધી ટકતા નથી. આજે સંસારમાં ઢગલાબંધ અશુભ નિમિત્તા છે કે જેથી શુભ વિચાર આવવા મુશ્કેલ બની ગયા છે. આવા વાતાવરણમાં પણ એવા સદ્દભાગી આત્માઓ છે કે જે અશુભ નિમિત્તો વચ્ચે પણ પિતાના મનને શુભ વિચારોથી ભાવિત કરે છે. અશુભ વિચારને દૂર કરવા જે આત્મા પ્રયત્ન કરે તો તેને દૂર કરીને જરૂર શુભ વિચારો લાવી શકે પણ અફસેસ છે કે માનવી નકામા માણસને પિતાના ઘરમાં કે દુકાનમાં પેસવા દેતા નથી અને મહા કિંમતી મન રૂપી દુકાનમાં અશુભ વિચારે પિસી જાય ત્યારે બેફિકર રહે છે. એક વાત યાદ રાખજે. દુર્ગણ માણસને દુકાનમાં કે ઘરમાં આવતા રોકવામાં જેટલો લાભ છે તેના કરતા અનેક ગણો લાભ નકામા વિચારોને મનમાં પેસતા અટકાવવામાં છે. અત્યાર સુધી નકામા અને નુકશાનકારક વિચાર કરીને મનને નિઃ સત્વ બનાવી દીધું છે. હવે સારા અને હિતકારક વિચાર કરવામાં મુશ્કેલી લાગશે પણ એ મુશ્કેલીની પરવા કર્યા વિના મનને શુભ વિચારો તરફ વાળવાને પ્રયત્ન જે ચાલુ રાખીશું તે જરૂર મન સત્વશીલ બની શકશે. ઉત્તરાધ્યયન સૂત્રનાં ૨૩ મા અધ્યયનમાં કેશી સ્વામીએ ગૌતમ સ્વામીને પ્રશ્ન કર્યો કે ભયાનક દુષ્ટ ઘોડે ચારે બાજુ દોડાદોડ કરે છે તેને આપે કેવી રીતે વશમાં કર્યો છે ત્યારે ગૌતમ સ્વામીએ કહ્યું : मणा साहसिओ भीमो, दुटुस्सा परिधावई । રાખં તુ નિશિorfમ, ધમસા પંથ| ગાથા ૫૮ મન રૂપી સાહસિક અને ભયાનક દુષ્ટ ઘેડે ચારે બાજુ ભાગાભાગ કરી રહ્યો
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy