SearchBrowseAboutContactDonate
Page Preview
Page 863
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૮૪] શિારદા શિશમણિ છતાં ઊંઘ ન આવી. પત્ની કહે છે તમે જ તે થાકયા પાક્યા આવે છે ને આરામથી ઊંઘી જાવ છો. આજે ઊંધ કેમ આવતી નથી ? મને એક ચિંતા છે. શી ચિંતા છે? હું ગામ બહાર શારીરિક કારણે ગયો હતે. પછી ઝાડ નીચે બેઠો હતે ત્યાં હાથથી જમીન ખેતરતા ડું ઊંડું ખોદાઈ ગયું તે માલમિલ્કતને ભરેલ મોટો ચરૂ નીકળે, પણ આજે મારે પ્રતિજ્ઞા છે કે અણુદીધું લેવું નહિ. કેઈની આજ્ઞા લેવા જાઉં તો એ જાણી જાય. પત્ની કહે-બાધા તમારે હતી પણ મારે કયાં બાધા છે? મને બોલાવવી હતી ને? ના. મારાથી તને પણ ન બોલાવાય. હું બરાબર દાટીને આવ્યો છું. લેવા ગયા ચરૂ પણ મજ્યા વીંછીના ચટકા : આ બંને માણસે જે વાત કરતા હતા તે વાત ઘરની બહાર ઉભેલા બે એ સાંભળી. ચેરના મનમાં થયું કે સારું થયું. આપણે કોઈના ઘર તોડવા મટી ગયા. વગર મહેનતે તૈયાર માલ મળી જશે. નામ, ઠેકાણું બધું બરાબર સાંભળ્યું હતું એટલે ચારો તે ઉપડી ગયા. જઈને તે જગ્યાએ ખોદયું તે કેઈકે ચટકે માર્યો. જોયું તે વીંછી હતો. તેણે બીજા ચરને વાત ન કરી. હું એકલે દુઃખી થાઉં? બીજા ભેગા ભલે ને દુઃખી થાય. એટલે તે કાંઈ બોલ્યો નહિ. બીજાએ અંદર હાથ નાંખ્યો તે તેને પણ વીંછીએ ચટકે માર્યો. તેણે કહ્યું કે અહીં તે વીંછીઓ છે. પિલે વાણિયે કે પાકે કે તેને ખબર પડી હશે કે ચેર આવ્યા છે એટલે આપણને કાઢવા માટે જૂઠું બે હશે. તેણે આપણને ચરૂને સ્વાદ બરાબર ચખાડી દીધે. ઘણે પાક વાણિયે. તે આપણને છેતરી ગયે. હવે તેને બરાબર બતાવી દઈએ. ચરોએ તે ચરૂને ધૂળથી બરાબર ઢાંકી દીધો. પ્રતિજ્ઞાનો અદભૂત પ્રભાવ : સવારના ચાર વાગતાં ચોરો તે ભાઈના ઘેર આવ્યા. તેનું મકાન નળિયાનું હતું. છાપરા પર ચઢીને નળિયા ખસેડી નાંખ્યા ને વીંછીને ભરેલે ચરૂ ઊધે વા ને કહ્યું –લે, આ તારો ચરૂ. આ ચરૂ ગાદલામાં પડે ત્યારે ભાઈ પથારીમાં બેસીને પ્રભુને પ્રાર્થના કરતા હતા કે મેં આજે પ્રતિજ્ઞા લીધી હતી કે અણદીધું લેવું નહિ. તેમાં હું ચલિત થઈ ગયે. હું એને અડયે શા માટે ? મારાથી અડાય નહિ. મારાથી આ પાપ થઈ ગયું ? હું ગુરૂદેવ પાસે જઈને પાપનું પ્રાયશ્ચિત લઈ આવું. ચરૂ મારા ભાગ્યમાં હશે તો સવારે મને મળશે. પ્રાર્થના કર્યા બાદ સવારમાં જોયું તે ઝગમગ ઝગમગ દેખાયું. અહો ! આ તે મેં જે જોયું હતું તે છે. પ્રતિજ્ઞાને પ્રભાવ કેટલે પડયો! પત્ની કહે-હવે આપ રજ સાધુ પાસે જતા રહેજે ને નવા નવા પચ્ચકખાણ લેતા રહેજે. જેથી રોજ નવા નવા ચરૂ આવ્યા કરે. પતિ કહે, એમ આવે નહિ. હું પ્રતિજ્ઞાથી ચલિત ન થયો, સામેથી મળ્યું છતાં લીધું નહિ તે ઘેર બેઠા આવી ગયું. જે હું લઈને આવ્યું હતું અને કદાચ ચરૂને માલિક તપાસ કરવા આવતા તે હું પકડાઈ જાત અને મારા હાડકા ભાંગી જાત. પ્રતિજ્ઞાન કે અદ્દભૂત પ્રભાવ ! ભગવાન સમજાવે છે કે ત્રીજા વ્રતમાં અતિચાર લગાડશો નહિ. ત્રીજો અતિચાર છે.
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy