SearchBrowseAboutContactDonate
Page Preview
Page 758
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શિરામણ ] [ ૬૭૯ આ બાજુ સુરેશ ન્યાય, નીતિથી જીવન જીવતા હતેા પણ તે વધુ કમાતા ન હત પણ ખૂબ ઉદાર હતા. આંગણે આવેલાને કઈ દિવસ નિરાશ ન કરે. તેનુ જીવન ખૂબ પ્રમાણિક હતું. તેની પત્ની સુશીલા પણ ખૂબ ડાહી, ગુણીયલ અને શાંત સ્વભાવની હતી. તેના તરફથી સુરેશને ખૂબ સંતેાષ હતેા. સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ એ ઘટમાળ ચાલ્યા કરે છે, નરસિંહ મહેતાએ કહ્યું છે કે સુખ દુઃખ મનમાં ન આણીએ, ઘટ સાથે રે ઘડિયાં, ઢાળ્યા તે કોઇના નવ ટળે, રઘુનાથના ઘડિયા..... તેમ અહી સુરેશને પુણ્યના સિતારા અસ્ત થયા ને પાપને ઉંદય થયા એટલે વેપારમાં નુકશાન ગયું. લેણદારોએ પૈસા આપ્યા નહિ, છેવટે ખેતરવાડી બધુ વેચાઈ ગયું. ખાવાના પણ સાંસા પડયા. ઘરમાંથી બધું સારૂં થઈ ગયું. અત્યાર સુધી તેના આંગણે જે કઈ આવે તેને ખાલી હાથે પાછો કાઢતા ન હતા. કોઇ વાર જમવા બેઠા હાય ને યાચક આવે તેા પેાતાના ભાણામાંથી રોટલી આપી દે. માટોભાઈ બાજુમાં રહે છે પણ કોઈ દિવસ તેની ખખર લેતેા નથી. તેના સામુ જોતે નથી. સુરેશ ને સુશીલા ત્રણ ત્રણ દિવસના ભૂખ્યા છે છતાં ભાઈ કે ભાભી કોઈ પૂછતું નથી કે શું ખાધું ? દુનિયામાં સૌ સ્વાના સગા છે. સ્વાર્થ સરે ત્યાં સુધી મારા અને સ્વાર્થ સરતા બંધ થાય એટલે કાઈ નથી તારા. भज्जा पुत्ता य ओरसा । लुप्तस्स सकम्मुणा ॥ ઉત.અ૬.ગા.૩ माया पिया हुसा भाया, णालं ते मम ताणाय, પોતાના કરેલા કર્મોથી દુઃખી થતાં જીવની રક્ષા કરવાને માટે માતા-પિતા, પુત્રવધૂ, ભાઇ, પત્ની, પુત્ર કોઈ સમર્થ નથી એટલે કાઈ દુઃખમાંથી મુક્ત કરી શકતું નથી. એક વાર સુરેશ ગામ બહાર જંગલમાં લાકડા કાપવા ગયા હતા. ત્યાં અચાનક એક જૈન સાધુનેા ભેટા થયેા. સુરેશે સંતને વ ંદના કરી સુખશાતા પૂછી, પછી સંતે પૂછ્યું- ભાઈ ! તું શું કરે છે ?-ગુરૂદેવ ! હમણાં મારી સ્થિતિ સાવ ખરાબ થઇ ગઈ છે. મારા જીવનની આજીવિકા માટે હું જ'ગલમાં જઈને લાકડા કાપી તેના ભારા બાંધીને વેચું છું અને અમારુ 'નેનુ પેટ ભરું છું. સ ંતે કહ્યું-ભાઈ ! લીલા લાકડા કાપવામાં કેટલું પાપ લાગે છે ? કારણ કે વનસ્પત્તિમાં પણ જીવ છે. આચાર`ગ સૂત્રમાં વનસ્પતિની સરખામણી માનવની સાથે કરી છે. “મવિના ધમચ', 'વિ ગ્રાફ धम्मर्थ, इमपि वुडिधम्मय', एयपि बुद्धिधम्मयं जाब इमपि चओवचइयां एयं पिचओवचइयं, રૂમંત્તિ વિાિમ ધમચ', નિ વિાિમ ધમય ।” માનવશરીર ઉત્પન્ન થવાના સ્વભાવવાળું છે તેમ વનસ્પતિ પણ ઉત્પન્ન થવાના સ્વભાવવાળું છે. આપણું શરીર વધે છે તેમ તે પણ વધે છે. આપણા શરીરમાં ચેતન છે તેમ એનામાં પણ ચેતન છે, આ શરીર કાપવા છેદવાથી કરમાઈ જાય છે તેમ વનસ્પતિ પણ કાપવા છેવાથી કરમાય
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy