SearchBrowseAboutContactDonate
Page Preview
Page 661
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮૨ ] [ શારદા શિરેમણિ સત્યનો જય અને સંતનું દર્શન : મકરધ્વજ ઘર બાજુ જઈ રહ્યો છે. ત્યાં રસ્તામાં ખબર પડી કે અહીં સંત મુનિરાજ બિરાજે છે. તેને મનમાં થયું કે હું કે ભાગ્યશાળી! અહીં તે કેઈના દર્શન ન મળે તેના બદલે મને સંતના દર્શન થયા. તેના દિલમાં તો આનંદ સમાતું નથી. તે દર્શન કરવા ગયે ત્યારે ત્યાં કઈ દેવ આવ્યો હતો. તેણે પિતાની ફધિ બતાવવા મુનિ પાસે એક નાટક કરેલું. નાટક પૂરું થયું ત્યારે બીજા સાધુએ વડીલ સાધુને પૂછયું–આ દેવ, દેવની પદવી કેવી રીતે પામ્યો ? મોટા સંતે કહ્યું -તેણે પૂર્વજન્મમાં બીજું સત્યનું વ્રત અંગીકાર કર્યું હતું. તે વ્રત લીધા પછી તેના જીવનમાં કષ્ટ આવ્યું, દુઃખ આવ્યું પણ તે ડગ્યા નહિ અને પિતાના પ્રાણની આહુતિ આપી દીધી, તેથી તે મરીને દેવ થયા છે. આ વાત બધાએ સાંભળી. બધાના મનમાં થયું કે એક વ્રતના પાલનથી જે દેવ બને તે ૧૨ વ્રતના પાલનથી કેટલે બધે લાભ મળે ? મહાવ્રતના પાલનની તે વાત જ કયાં? આ સાંભળતાં જે સંતે પિતાના મહાવ્રતમાં જરા ઢીલા હતા તે બધા મકકમ થયા, છેવટે સંતે રાજકુમારને કહ્યું- તારામાં જે સત્ય પાલનને ગુણ છે તેમાં પ્રાણત સુધી દઢ રહેજે. ભલે, ગુરૂદેવ. એમ કહીને રાજકુમાર ત્યાંથી ઘર બાજુ રવાના થયે; ત્યાર બાદ દેવે મુનિને પ્રશ્ન કર્યો કે આ છોકરો સત્યવાદી છે. તેના પર દુઃખ કે આફત આવે તો તે કયારે પણ ચલિત નહિ થાય ને ? ના. તેના માથે ગમે તેવા વિપત્તિના વાદળા ઉતરશે તે પણ તે ચલિત નહિ થાય. સત્યને તે છોડશે નહિ, તે હું તેની પરીક્ષા કરું. દેવે રાજકુમારની કરેલી પરીક્ષા: મકરધ્વજ ઘેર ગયો. જઈને પિતાના હાથમાં ચાર ને સેંપી દીધા. રાજા કહે બેટા ! તું થોડી વારમાં ક્યાંથી આ ચાર રસ્તે લઈ આ ? આ બાજુ પેલે દેવ મકરવજની પરીક્ષા કરવા એક વેપારીને વેશ લઈને રાજસભામાં આવીને બેલવા લાગ્યું. મેં એક વાંસમાં ચાર રને રાખ્યા હતા. તે કઈ ચારીને લઈ ગયું છે. આપ ચોરને પકડીને મને મારા રને પાછા અપાવે. આ મકરધ્વજને તેના સાગરીતે કહે છે કે તેને રત્ન લેતા કયાં કેઈએ જોયા છે? માટે તું નામક્કમ જજે પણ આ તે સત્યવાદી હતા. તેણે કહ્યું કે મારે ચાર રને આપવા છે. હું તે કયારે પણ અસત્ય બોલીશ નહિ. તેણે પિતાને કહ્યું–પેલા ચાર રને હમણાં મને આપોને ! બધી વાત પછી આપને કરીશ. પિતા પાસેથી ચાર રને લઈને વેપારીને આપી દીધા. લેકે તે જેમ તેમ બોલવા લાગ્યા. જે ને મોટો સત્યવાદી. વેપારીઓ કહ્યું કે તારે તો અસત્ય બોલવાની, ચોરી ન કરવાની પ્રતિજ્ઞા છે તે આપે ચોરી શા માટે કરી? કુમારે બધાની વચ્ચે સત્ય વાત જે બની હતી તે પ્રગટ કરી. દેવ તરત હાજર થઈ ગયે ને તેના ચરણમાં પડે. પિતાના અપરાધની ક્ષમા માંગી અને કહ્યું કે આ કુમાર ચેર નથી. સાચો સત્યવાદી છે. તેની પરીક્ષા કરવા માટે મેં આ વેશ લીધો હતો. તેણે મારા રત્ન લીધા નથી. તેણે સત્ય વાત પ્રગટ કરી. રાજાને પણ ભાન થઈ ગયું કે પુણ્ય આગળ બધું નકામું છે. તેના સત્ય માટે ખૂબ પ્રશંસા
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy