SearchBrowseAboutContactDonate
Page Preview
Page 393
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૪ | [ શારદા શિરામણ તેટલી પછાડો છતાં પાણી આવવાનું નથી કારણ કે તેમાં પાણી છે જ નહિ તેમ જે આત્માઓ કેવળજ્ઞાની છે તેમની સામે આત્મા ભાન ભૂલી જાય, આત્મા ધમધમી ઊઠે એવા નિમિત્તો આવે છતાં તેમનામાં કષાયેા રૂપી પાણી ભરાતું નથી, કારણ કે તેમના અંતરમાં ક્રોધ આદિ કષાયે તથા રાગ-દ્વેષ છે નહિ. તેમણે ૧૬ કષાય હું નાકષાય એ રપ ચારિત્ર મેાહનીયની અને ૩ દશ ન મેાહનીયની એ ૨૮ મેાહનીય કર્મીની પ્રકૃતિઓને જડમૂળમાંથી ઉખેડી નાંખી છે. ખાલી કૂવામાં ડોલ પછાડા તા પણ પાણી ન આવે તેમ કેવલી ભગવ'તની સામે ડાલ સમાન ગમે તેવા નિમિત્તો આવીને ધમપછાડા કરે છતાં કષાયા રૂપી પાણી ન આવે. આપણને કાઈ સહજ ગાળ દે, અપમાન કરે તા પણુ ક્રોધ આવી જાય છે. સમજો. આપણી અર્ધાગિત કરાવનાર કોણ છે? કષાયા. આપણે બધા અહીં ભેગા થઈ એ છીએ, શા માટે ? ભવના ફેરા મટાડવા. જો અંતર કષાયેા રૂપી પાણીથી ભરેલુ. નહિ હાય તે સમજવુ` કે મારા મેાક્ષ વહેલા છે. આત્માનું અહિત કરનાર આંતર શત્રુએ છે. શત્રુ એ નામ પણ સાંભળવું આપણને ગમતું નથી, છતાં આપણું જીવન જોતાં જણાશે કે શત્રુતા ફાલીકુલી રહે એવા આપણા કન્યેા છે. જ્ઞાની કહે છે કે જેના અંતરના શત્રુએ જીવતા જાગતા હોય છે તેને બહારના શત્રુઓ હાય જેના આભ્ય તર શત્રુએ જીતાઈ ગયા છે તેમને માટે તે આ દુનિયામાં કોઈ શત્રુ નથી. જ્ઞાની કહે છે કે આંતરશત્રુએ કયા છે. કામ, ક્રોધ, માન એટલે મદ અને લેભ. આ આંતરશત્રુઓ પર વિજય મેળવવા એ સાચા વિજેતા છે. જલતી આગ બુઝા ન પાએ, વહુ નીરહી કયા? અપને લક્ષ્ય ભેદ ન પાએ, વહ તીર હી કયા ? સ'ગ્રામમે લાખાંક મારનેવાલા ભી અગર, અપને આપ પર વિજય ન પાએ તા વહ વીર હી કયા ? જે સળગતી આગને બુઝાવી ન શકે તેવા પાણીથી શુ' ? સંગ્રામમાં લાખાને મારનારા પેાતાના પર વિજય ન મેળવે તે તે વીરથી શુ' ? ખાહ્ય શત્રુ તેા આ એક ભવ બગાડે છે પણ આંતર શત્રુ તેા આ ભવનું બગાડે ને પરભવનુ પણ ખગાડે. અરે, ભવેાભવ બગાડે. અહીં જ્ઞાની એ સમજાવે છે કે દુનિયામાં બહારના શત્ર હેાય છે તેને કોઈ પશુ રીતે કેમ પછાડવા તે માટે માનવી પ્રયત્ન કરે છે જયારે આ અંતરંગ શત્રુ છે તેને પછાડવાની વાત તે બાજુમાં રહી પણ ઉપરથી તેને થાબડચા કરીએ છીએ, કારણ કે આ અંતર`ગ શત્રએ આપણને હજુ સુધી શત્રુ તરીકે લાગ્યા નથી. એ તે શત્રુને બદલે મિત્ર જેવા લાગે છે. એટલા માટે તે એને સાચવવા જીવનના કેટલા સમય તેમાં વેડફી નાંખીએ છીએ. તમે બહારના
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy