SearchBrowseAboutContactDonate
Page Preview
Page 377
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૮ ] [ શારદા શિશમણિ ઇર્ષ્યા, દુન્યવી પદાર્થાંની તૃષ્ણા, મમતા, આસક્તિના પાપ આ બધા આત્માને અહિતકારી છે, એટલે એના પ્રત્યે નફરત થાય, મનમાં આકુળતા-વ્યાકુળતા થાય. આ દાષાના સેવનથી પરલેાકના ભય રહે. આત્માના હિત અહિતના અંતરમાં સાચા વિવેક જાગે તે શકય એટલી હિતની પ્રવૃત્તિ હૈાંશથી અને રસથી કરે અને શકથ એટલા અહિતના ત્યાગ થાય. ધ સાધના અને ત્યાગ નિયમના મૂળ પાચા હિતાહિતને વિવેક છે. વિવેકથી આ સાધના મારા માટે હિતકર છે, મને તારણહાર છે, એવા હિતના ખ્યાલ આવે તેા એ સાધના કરવાના રસ જાગે. આહ્લાદ-ભાવ જાગે અને એ સાધના કરવાનું મન થાય. તમારા સંસારમાં પણ દરેક કાર્યમાં વિવેકની જરૂર છે. સ`સારમાં એવા વિવેક છે કે પૈસા હૈાય તે ઘર ચાલે. જો પૈસાન હોય તે ભીખ માંગવી પડે. આવે! વિવેક જાગ્યા તા પૈસા મેળવવા ધધા કરવાના કેટલેા રસ આવે ! કેટલેા બધા આહ્લાદ-ભાવ આવે. એ ધેા પણ કેટલી હોંશથી ને ઉમંગથી કરો. આત્મહિતના કાર્યŕમાં આટલા રસ કે આહ્લાદ-ભાવ કયારે પણ આવ્યા છે ખરા ? પૈસા અને વહેપારમાં હિત જાણ્યા પછી પૈસા અને વહેપાર પ્રત્યે જે વલણ છે એવું આમહિત માટે છે ખરું ? ના....ના.....માત્ર જ્ઞાનની જાણકારી ન ચાલે પણ સાથે વિવેક તે જોઇએ. મિષ્ટાન્ન અને વિષ્ટા પ્રત્યે કેટલેા બધા વિવેક ! મિષ્ટાન્નનુ' નામ સાંભળતા મુખમાં પાણી આવે. એના પ્રત્યે આકષ ણુ થાય છે જ્યારે વિષ્ટાને દૂરથી જોતાં તેના પ્રત્યે ઘણા થાય છે. મુખ ત્યાંથી દૂર ખસી જાય છે. ત્યાં ષ્ટિ કરવી પણુ ગમતી નથી. આ રીતે હિત પ્રત્યે આહ્લાદ, આકષઁણુ અને અહિત પ્રત્યે ધણા થાય છે એ વિવેક કહેવાય છે. યાદ રાખજો કે અહિ' જૈનશાસન સાથે મનુષ્યભવ મળ્યા છે. આ ભવમાં વિવેક અને અવિવેકને અનુરૂપ પ્રવૃત્તિ થઈ શકશે. બીજા કોઈ ભવમાં થઈ શકશે નહિ. દેવેને જ્ઞાન કેટલું ? મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન. આપણાં કરતાં જ્ઞાન વધારે છે, પણ એ બિચારા શુ કરે ? મિથ્યા-ષ્ટિ દેવને વિવેક નથી. સમકિતી દેવને વિવેક છે, છતાં એને અનુરૂપ પ્રવૃત્તિ ન કરી શકે. અરે, એક નવકારશી પચ્ચખ્ખાણુ પણ ન કરી શકે. તિય 'ચ જીવાને તે વિવેક છે જ નહિ. કીડી, મકોડાના જીવન ગણાય પણ વિવેકની તેા વાત જ કેવી ! નરકગતિમાં મિથ્યાષ્ટિ નારકીને વિવેક છે જ નહિ. કદાચ સમિકતી નારકીને થાડે! વિવેક હાય પણ આચરણ કયાં કરવાનુ` છે? મનુષ્યભવમાં પણુ જે અનાય મનુષ્યેા છે તેને આત્માના હિતાહિતના વિવેક નથી. જૈન મનુષ્યને વિવેકનું વરદાન મળ્યુ છે, છતાં એ વિવેકના ઉપયાગ ન કરે તેા તેને કેવા કહેવે ? સંતા તમને કઈ વાર ટકાર કરે કે દેવાનુપ્રિયે ! તમે ધમ કેમ નથી કરતા ? તા કોઈ કહેશે કે મને ટાઈમ નથી. કોઈ કહેશે કે મને ટાઈમ છે પણ મારા પ્રમાદ છે. પ્રમાદ કરવા જેવા છે. ત્યાં નથી કરતા અને નથી કરવા જેવા ત્યાં કરીએ છીએ. માના કે તમે ગામ બહાર ઉજાણી રાખી છે. તમે બધા જમવા બેઠા. ટેસ્ટથી જમી રહ્યા છે. ત્યાં બૂમ પડે કે આપણી બાજુ ગુંડાઓનુ` માટુ ટાળુ આવી રહ્યું છે તે
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy